SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 101 શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ પર આરૂઢ થઈને સમસ્ત દ્ધિની સાથે યાવતું ગીત વાજિંત્રના શબ્દોની સાથે જ્યાં મલ્લી અરિહંત હતા ત્યાં આવ્યા યાવતુ તેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અરિ હંતે તે મોટી પરિષદને. કુંભ રાજાને અને જિતશત્ર પ્રભૂતિ રાજાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. કુંભરાજા શ્રમણો પાસક થયા તે પણ પાછા ગયા. પ્રભાવતી દેવી શ્રમણોપાસિકા બની તે પણ પાછી ગઈ. ત્યાર પછી જિતશત્રે આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને કહ્યું- ભંતે ! આ સંસાર આદીપ્ત છે પ્રદીપ્ત છે.' ઇત્યાદિ યાવતુ તે દીક્ષિત થઈ ગયા ચૌદ પૂર્વના જ્ઞાની થયા પછી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને યાવતુ સિદ્ધ થયા. ત્યાર પછી મલ્લી અરિહંત સહસ્ત્રાપ્રવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યા. મલ્લી અરિહંતના ભિષક આદિ અઠ્ઠાવીસ ગણ અને અઠ્ઠાવીસ ગણધર થયા. મલ્લી અરિહંતની ચાલીસ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર આર્થિકાઓની સંપદા હતી. મલ્લી અરિહંતોની 184000 શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની 365000 શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની છસો ચૌદપૂર્વ સાધુઓની, 2000 અવધિજ્ઞાનીઓની 3200 કેવળજ્ઞાની 3500 વૈક્રિયલબ્ધિધારી, આઠસો મન:પર્યવજ્ઞાની ચૌદસો વાદી અને 2000 અનુત્તરોપાતિક સાધુઓની સંપદા હતી. મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ થઈ. તેમાંથી શિષ્યપ્રશિષ્ય આદિ વીસ પુરુષો રૂપ યુગો સુધી અથતુ વીસમા પાટ સુધી યુગાંતકર ભૂમિ થઈ. અને બે વર્ષની પર્યાય થવા પર પર્યાયાત્તકર ભૂમિ થઈ ભવ પર્યાયનો અંત કરનાર મોક્ષે જનાર સાધુ થયા. મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઉંચા હતા તેમના શરીરનો વર્ણપ્રિયંગુની સમાન હતો. સમચતુરઢ સંસ્થાન અને વજી ઋષભન રાચ સંહનન હતું. તે મધ્ય દેશમાં સુખ-સુખે વિચારીને જ્યાં સમતશેખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેઓએ સમ્મદશૈલના શિખરપર પાદોપગમન અનશન અંગીકાર કર્યો. મલ્લી અરિહંત એકસો વર્ષ ગૃહવાસમાં રહ્યા સો વર્ષ કમ પંચાવન હજાર વર્ષ કેવળી પયય પાળીને આ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પાળીને પૂર્ણ કરીને ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષ અને ચૈત્રમાસની શુકલ પક્ષની ચોથની તીથિમાં ભરણી નક્ષત્રનો યોગ ચંદ્રની સાથે થવાપર અર્ધરાત્રિના સમયે અત્યંતર પરિષદુની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે નિર્જલા એક માસના અનેશન પૂર્વક બંને હાથ લાંબા રાખીને વેદનીય આવું નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થવા પર સિદ્ધ થયા. જબૂદીપ- પ્રજ્ઞાતિમાં વર્ણિત નિવણિ મહોત્સવ અહીં પણ કહેવો. જોઈએ. | અધ્યયન-૮-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૯-માનંદી [110 શ્રમણ યાવતું નિવણને પ્રાપ્ત ભગવાન્ મહાવીરે આઠમા જ્ઞાતાધ્યા થનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! નવમા જ્ઞાત અધ્યયનો શું અર્થ પ્રરૂપેલું છે? હે જબૂ! તે કાળ અને તે સમયમાં ચંપાનગરી હતી. કોણિક રાજા હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy