________________ 100 નાયાધમ કહાઓ - 1-810 [10] ત્યાર પછી જ્યારે મલી અરિહંત મનોરમા શિબિકા ઉપર આરૂઢ થયા તે સમયે તેમની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. જમાલિના નિર્ગમનની જેમ વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી મલ્લી અરિહંત જ્યારે દીક્ષા ધારણ કરવાને માટે નીકળ્યા ત્યારે કોઈ કોઈ દેવોએ મિથિલા નગરીને પાણીથી સિંચી દીધી. સાફ કરી દીધી અને અંદર તથા બહાર ની વિધિ કરીને યાવતુ ચારે તરફ દોડધામ કરવા લાગ્યા. મલ્લી અરિહંત જ્યાં સહસામ્રવન નામક ઉદ્યાન હતું અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું. આવીને શિબિકાથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને સમસ્ત આભરણોનો ત્યાગ . પ્રભાવતી દેવીએ તે આભરણો ગ્રહણ કર્યો. ત્યાર પછી મલી અરિહંતે સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે શક્ર, દેવેન્દ્ર, દેવરાજે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પ્રક્ષેપ કરી દીધા. મલ્લી અરિહંતે સિદ્ધોને નમસ્કાર હો, આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું જે સમયે અરિહંત મલ્લીએ ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્દોષ વાધો ની ધ્વનિ અને ગાવા-વગાડવાના શબ્દો કેન્દ્રના આદેશથી એકદમ બંધ થઈ ગયા. તેથી ચારિત્રગ્રહણ સમયે પૂર્ણ નીરવતા વ્યાપ્ત થઈ ગઈ. જે સમયે મલ્લી અરિહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે મલ્લી અરિહંતને મનુષ્ય ધર્મથી ઉપરનું મનુષ્ય ક્ષેત્ર સંબંધી ઉત્તમ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લી અરિહંતે હેમવત્ત ઋતુના બીજા માસમાં, ચોથા પખવાડીયામાં, અર્થાત્ પોષ માસના શુકલ પક્ષ માં અને પોષ માસની પક્ષની એકાદશીના પક્ષમાં પૂવણ કાળના સમયમાં, નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને આશ્વિની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થવા પર ત્રણસો અત્યંતર પરિષદ્રની સ્ત્રીઓની સાથે અને ત્રણસો બાહ્ય પરિષદૂના પુરૂષોની સાથે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી. મલ્લી અરિહંતનું અનુસરણ કરીને આ આઠ જ્ઞાત કુમારો દીક્ષિત થયા, તે આ પ્રમાણે છે : 107] નન્દ, નિિિમત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને આઠમાં મહાસેન આ આઠ જ્ઞાત કુમારો એ દીક્ષા અંગીકાર કરી. [108] ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષ્ક, અને વૈમાનિક આ નિકાય નાદેવોએ મલ્લી અરિહંતોને દીક્ષામહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતો. ત્યાં આવ્યા.આવીને અષ્ટાલિકામહોત્સવ કર્યો,યાવતુ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા. મલ્લી અરિહંતને જે દિવસે દીક્ષા અંગીકાર કરી તેજ દિવસે દિવસના અંતિમ ભાગમાં શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટકની ઉપર બેઠા હતા. તે સમયે શુભ પરિણામોના કારણે પ્રશસ્ત અધ્યવસાયોના કારણે વિશુદ્ધ અને પ્રશસ્ત વેશ્યાઓના કારણે તદાવરણ કર્મની રજને દૂર કરનાર અપૂર્વ કરણને પ્રાપ્ત થયેલા અરિહંત મલ્લીને અનન્ત યાવતુ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પતિ થઇ. [19] તે કાળ અને તે સમયમાં બધા દેવોના આસન ચલાયમાન થયા. ત્યારે તે બધા ત્યાં આવ્યા. બધાએ ધમોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાનિકા મહોત્સવ કર્યો. પછી જે દિશાથી પ્રગટ થયા હતા દિશામાં પાછા ગયા. કુંભ રાજા પણ વિંદના કરવાને માટે નીકળ્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરીને હજાર પુરુષોદ્વાર વહન કરાય તેવી શિબિકાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org