SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ ગાથા – ૧૩૩ [૧૩૩] સંસારનો બંધ કરાવવાળા, જીવ સંબંધી રાગ અને દ્વેષ રુપ બે પાપોને જે પુરૂષ રોકે - દૂર કરે તે મરણ સમયે અવશ્ય અપ્રમત્ત-સમાધિયુક્ત બને છે. [૧૩૪]જે પુરૂષ જીવ સાથેના ત્રણે દડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે, તે મરણ સમયે કૃત યોગી-એટલે અપ્રમત્ત રહી સમાધિ રાખી શકે છે. [૧૩પજિનેશ્વર ભગવંતોથી ગહિત, સ્વ શરીર માં ઉત્પન્ન થતાં, ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરૂષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સિદ્ધ કરે છે. [૧૩૬]જે જ્ઞાની પુરૂષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઈન્દ્રિયોનો જ્ઞાન રુપ • અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. [૧૩૭]છ જીવ નિકાયનો હિતસ્વી, ઈહલોકાદિ સાતે ભયોથી રહિત, અત્યન્ત મૃદુ-નમ્ર સ્વભાવવાળો મુનિ નિત્ય સહજ સમતાને અનુભવતો મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારો બને છે. [૧૩૮]જેને આઠે મદોને જીત્યા છે, જે બ્રહ્મચર્યની નવ-ગુપ્તિથી ગુપ્તસુરક્ષિત છે, ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલનમાં ઉદ્યત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમતા-સમાધિભાવ પામે છે. [૧૩૯]જે અત્યન્ત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધનાને ઈચ્છતો હોય, દેવ, ગુરુ વગેરેની આશાતનાને વર્જતો હોય તથા ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુકલ-ધ્યાનને સન્મુખ થયો હોય, તે મરણમાં અવશ્ય સમાધિ પ્રાપ્ત કરે છે. [૧૪]જે મુનિ બાવીસ પરીષહો અને દુઃસહ એવા ઉપસર્ગોને શૂન્ય- સ્થાનો કે ગામ નગર આદિમાં સહન કરે છે, તે મરણકાલે સમાધિમાં ઝીલી શકે છે. [૧૪૧] ધન્ય પુરૂષોના કષાયો બીજાના ક્રોધાદિક કષાયોથી અથડાવા છતાં-સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી [૧૪૨]શ્રમણ ધર્મને આચરનારા સાધુને જો કષાયો ઉત્કટ કોટિના હોય તો તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિષ્ફળ છે, એમ મારું માનવું છે. [૧૪૩]કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ ચારિત્ર પણ કષાયથી કલુષિત ચિત્તવાળો પુરૂષ એક મુહૂર્ત માત્રમાં હારી જાય છે. [ ૧૪]અનંતકાલથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલા કમોને, રાગ-દ્વેષને પરાસ્ત કરનાર-હણી નાખનાર મુનિ માત્ર કોટિ પૂર્વ વર્ષોમાં જ ખપાવી દે છે. [૧૪૫]ો ઉપશાંત કષાયવાળો- ઉપશમ શ્રેણીમાં આરુઢ થયેલો યોગી પણ અનંત વાર પતન પામે છે. તો બાકી રહેલા થોડાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય? ૧૪]જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમ-કુશળ છે, એમ જાણે, જો કષાયો જીતાયા હોય તો સાચો જય જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે અને જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો, અવિનાશી સુખ અવશ્ય મળવાનું છે, એમ જાણે. [૧૪૭]ધન્ય છે, તે સાધુ ભગવંતોને-જે હંમેશા જિન-વચનમાં રક્ત રહેછે, કષાયો ઉપર કાબૂ-જય મેળવે છે, બાહ્ય પદાર્થો પ્રત્યે જેને રાગ નથી અને નિઃસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy