SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ચંદાઝયં– [૧૪૭] નિમમત્વ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે છે. [૧૪૮]મોક્ષમાર્ગમાં લીન તત્પર બનેલા જે મહામુનિઓ, અવિરહિતગુણોવાળા બનીને આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ કર્યા વિના વિચરે છે તેઓને ધન્ય છે. [૧૪]બુદ્ધિમાન પુરૂષે મરણ સમુદ્ધાતના સમયે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા, પ્રબળ પુરૂષાર્થ અવશ્ય કરવો જોઈએ. [૧૫]ખેદની વાત છે કે મહાન ધીર પુરૂષો પણ બળવાન મરણ ઉપસ્થિત થાય, ત્યારે મરણસમુદ્દઘાતની તીવ્ર વેદનાથી વ્યાકુલ બની મિથ્યાત્વ દશા પામે છે. [૧૫૧]તે કારણને લઈને બુદ્ધિશાલી મુનિએ ગુરૂની પાસે દીક્ષા દિવસથી થયેલા સર્વ પાપોને યાદ કરીને, તેની આલોચના, નિંદા-ગહ કરવા દ્વારા તે ઋણ-પાપની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. [૧પર તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત આપે તેની ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે અને ગુરુનો અનુગ્રહ માનતો કહે છે કે “ભગવન્! આપનું આપેલું પ્રાયશિચત-તપ હું કરવાને ઈચ્છું છું, આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવ સાગરથી પાર ઉતાર્યો છે. [૧૫૩]પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ અપરાધ થઈ જાય-અતિચાર સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત અવશ્ય કરી લેવું જોઈએ. ૧૫૪પ્રમાદની બહુલતાવાળા જીવને વિશુદ્ધિ પ્રાયશિચતથી જ થઈ શકે છે, ચારિત્રની રક્ષા માટે તેના અંકુશભૂત પ્રાયશ્ચિતનું અવશ્ય આચરણ કરવું જોઈએ. [૧પપશલ્યવાળા જીવોની કદાપિ શુદ્ધિ થતી નથી, એમ સવભાવદર્શી શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની છે. [૧૫]એક વાર પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનેક જન્મ અને મરણ કરતાં ભમે છે. " [૧૧૭] જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ચિરકાલ સુધી વિચરીને પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરે તો તેને જ્ઞાની પુરૂષોએ અનારાધક-આરાધના રહિત કહ્યો છે. [૧૫૮-૧પ૯]ઘણા સમય પયંત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જે સંવૃત્ત બની મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેશ્વરોએ આરાધક કહ્યો છે. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાન્તિ રહિત બની સંથારો-સ્વીકારી રહેલો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. [ ૧૦- ૧૩મારો આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. શેષ સર્વ-દહાદિ બાહ્ય પદાર્થો સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એક છું, મારું કોઈ નથી, અથવા હું કોઈનો નથી. જેનો હું છું તેને હું જોઈ શકતો નથી, તેમજ એવો કોઈ પદાર્થ નથી કે જે મારો હોય. પૂર્વે ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર દેવ-પણું, મનુષ્યપણું, તિર્યંચયોનિ અને નરકગતિ પ્રાપ્ત કરી ચુકયો છું. પરન્તુ દુઃખના હેતુ ભૂત એવા પોતાના જ કમ વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy