SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ચંદાવે×યં– [૧૨] મુનિ મરણ સમય પ્રાપ્ત થતાં શરીર ઉપર આવતા પરીષહો-ઉપસર્ગો તથા વેદનાઓને સમતા પૂર્વક સહી શકતો નથી. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક- સુખોની ઈચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતા-પૂર્વક સહન કરી શકે છે. [૧૨૧] પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈ ત્યાગ, ઉણોદરી ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણ કાલે નિશ્ચયનયરુપ પરશુના પ્રહાર વડે પરીષહની સેનાને છેદી નાખે છે. [૧૨૨]પૂર્વે ચારિત્ર પાલનમાં પ્રબળ પ્રયત્ન નહિ કરનાર મુનિને મરણ સમયે ઈન્દ્રિયો પીડે છે. સમાધિમાં બાધા- ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર-ભયભીત બની મુંઝાય છે. [૧૨૩] આગમનો અભ્યાસ મુનિ પણ ઈન્દ્રિયોની લોલુપતાવાળો બને, તો તેને મરણ વખતે સમાધિ કદાચ રહે યા ન પણ રહે, શાસ્ત્રના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી પરન્ત ઈન્દ્રિયરસની પરવશતાને લઈને શાસ્ત્રવચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ કરીને સમાધિ રહેતી નથી. [૧૨૪અલ્પકૃતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો. સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને વ્યથા- વિના સુંદર રીતે નભાવી શકે છે. [૧૨૫) ઈન્દ્રિય સુખ-શાતામાં વ્યાકુલ ઘોર પરીસહોની પરાધીનતાથી ઘેરાયેલો,તપ વગેરેનો અનભ્યાસી કાયરપુરૂષ અંતિમ આરાધનાના કાળે મુંઝાય છે. [૧૨]પ્રથમથી જ સારી રીતે કઠોર તપ-સંયમની સાધના કરવા દ્વારા સત્ત્વશીલ બનેલા મુનિને મરણ સમયે ધૃતિબળથી નિવારણ કરાયેલી પરીષહની સેના કંઈ પણ કરવા સમર્થ બની શકતી નથી. [૧૨૭]પ્રારંભથી જ કઠોર તપ-સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ પોતાના ભાવિ હિતનો સારી રીતે વિચાર કરીને નિદાન-પૌગલિક સુખની. આશંસાથી રહિત બની, કોઈપણ દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયક પ્રતિબંધ- નહિ રાખનાર એવો તે સ્વકાર્યસમાધિ યોગને સારી રીતે સાધે છે. [૧૨૮]ધનુષ્યને ગ્રહણ કરીને, એના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને લક્ષ્ય પ્રત્યેન-સ્થિર મતિવાળો પુરૂષ પોતાની શિક્ષાને વિચારતો રાધા વેધને વિંધે છે. [૧૨]પરંતુ તે ધનુર્ધર પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ * કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં રાધાના ચંદ્રક રુપ વેધ્યને વીંધી શકતો નથી. [૧૩૦ચંદ્રકવેધ્યની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષ માર્ગમાં અવિરાધિગુણવાળો અથતું આરાધક બનાવવો જોઈએ. [૧૩૧] સમ્યગ્દર્શનની દઢતાથી નિર્મલ બુદ્ધિવાલા, તેમજ સ્વકૃત પાપોની આલોચના નિંદા-ગહ કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. [૧૩]જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયમાં મારાથી થયેલા જે અપરાધોને, શ્રી જિનેશ્વર ભગવંતો સાક્ષાતું જાણે છે, તે સર્વ અપરાધોની સર્વ ભાવથીઆલોચના કરવા હું ઉપસ્થિત થયો છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy