SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગચ્છાચાર – [૧૧૦] [૧૧૧]જે ગચ્છમાં રુષ્ટ થએલી એવી પણ સાધ્વી ગૃહસ્થના જેવી સાવઘ ભાષાથી બોલે છે, તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ ! શ્રમણગુણથી રહિત જાણવો. [૧૧૨]વળી જે સાધ્વી પોતાને ઉચિત એવાં શ્વેત વસ્ત્રો તજીને વિવિધરંગી, વિચિત્ર વસ્ર-પાત્ર સેવે છે, તેને સાધ્વી નથી કહેલી. ૭૪ [૧૧૩]જે સાધ્વી ગૃહસ્થ વિગેરેનું શીવવું-તુણવું-ભરવું વિગેરે કરે છે અથવા પોતાને પ૨ને તેલ આદિનું ઉદ્ઘતન કરે છે, તેને પણ સાધ્વી નથી કહી. [૧૧૪-૧૧૫]વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂ આદિથી ભરેલ તળાઈમાં ઓશીકાપૂર્વક પલંગ આદિમાં શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્ઘર્તન કરે, અને જે સ્નાનાદિકથી વિભૂષા કરે, તેમજ ગૃહસ્થોના ઘેર જઈને કથા-વાર્તા કહે, યુવાન પુરૂષોના આગમનને અભિનંદે તે સાધ્વીને જરૂર શત્રુ સમાન જાણવી. [૧૧૬]વૃદ્ધ અગર યુવાન પુરૂષોની આગળ રાત્રિએ જે સાધ્વી ધર્મ કહે તે સાધ્વીને પણ ગુણસાગર ગોતમ ! ગચ્છની શત્રુ તુલ્ય જાણવી. [૧૧૭]જે ગચ્છમાં સાધ્વીઓ પરસ્પર કલહ ન કરે અને ગૃહસથના જેવી સાવધ ભાષા ન બોલે, તે ગચ્છને સર્વ ગોમાં શ્રેષ્ટ જાણવો. ન [૧૧૮-૧૨૨]દેવસી -રાઈ -પાક્ષિક -ચાતુમિિસક અથવા સાંવત્સરિક જે અતિચાર જેટલો થએલો હોય તેટલો તે ન આલોચે અને મુખ્ય સાધ્વીની આજ્ઞામાં ન રહે, નિમિત્ત આદિનો પ્રયોગ કરે, ગ્લાન તથા નવદીક્ષિતને ઔષધ-વસ્ત્ર આદિવડે પ્રસન્ન ન કરે, અવશ્ય કરવાલાયક ન કરે, ન ક૨વા યોગ્ય અવશ્ય કરે, યતનારહિત ગમન કરે, ગ્રામાન્તરથી આવેલ પ્રાહુણા સાધ્વીઓનું નિર્દોષ અન્ન-પાનાદિવડે વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો સેવે તેમજ વિચિત્ર રચનાવાળા રજોહરણ વાપરે. ગતિ-વિભ્રમ આદિવડે સ્વભાવિક આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનોને તો શું, પરન્તુ વૃદ્ધોનો પણ મોહોદય થાય. મુખ, નયન, હાથ, પગ, કક્ષા વિગેરે વારંવાર ધૂએ અને વસંતદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઈન્દ્રિયોને હરણ કરે. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી જાણવી. [૧૨૩]જે ગચ્છમાં સ્થવિરા પછી તરૂણી અને તરૂણી પછી સ્થવિરા એમ એકએકના અંતરે સૂએ, તે ગચ્છને હે ગૌતમ ! ઉત્તમન્નાન તથા ચારિત્રનો આધારરૂપ જાણવો. [૧૨૪-૧૨૬]જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી ધૂએ, ગૃહસ્થોના મોતી વિગેરે પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, અથલા ઔષધ જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્યચિન્તા કરે, જે સાધ્વી હાથી, ઘોડા, ગધેડા આદિના સ્થાને જાય, અથવા તેઓ તેના ઉપાશ્રયે આવે, વેશ્યા સ્રીનો સંગ કરે અને જેનો ઉપાશ્રય વેશ્યાના ગૃહસમીપે હોય તેને સાધ્વી ન કહેવી. તથા સ્વાધ્યાયયોગથી મુક્ત, ધર્મકથા કહેવામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસનપર બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે તેને હે ગૌતમ સાધ્વી ન કહેવી. [૧૨૭-૧૨૮]પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા ક૨વામાં આળસરહિત, અને પ્રશસ્ત પુરુષોને અનુસરનારી મહત્તરા સાધ્વી ગુણસંપન્ન જાણવી.સંવેગવાળી, ભીત પર્ષદાવાળી, કારણ પચ્ચે ઉગ્ર દંડ આપનારી, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy