SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૨૮ ૭૫ સ્વાધ્યાય તથા ધ્યાનમાં યુક્ત, અને શિષ્યાદિકનો સંગ્રહ કરવામાં કુશળ, એવી સાધ્વી પ્રવતિની પદને યોગ્ય છે. [૧૨]જે ગચ્છમાં વૃદ્ધા સાથ્વી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તરપ્રત્યુત્તર વડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી હે ગૌતમ ! શું પ્રયોજન છે? [૧૩૦-૧૩૧હે ગૌતમ ! જે ગચ્છની અંદર સાધ્વીઓ કારણ ઉત્પન્ન થાય તો મહત્તરા સાથ્વીની પાછળ ઉભા રહીને મૃદુ-કોમળ શબ્દોથી બોલે છે તે જ વાસ્તવિક ગચ્છ છે. વળી માતા-પુત્રી-નુષા-અથવા ભગીની આદિ વચન ગુપ્તિનો ભંગ જે ગચ્છમાં સાધ્વી ન કરે તેને જ સાચો જાણવો. [૧૩૨-૧૩૩]જે સાધ્વી દર્શનાતિચાર લગાડે, ચારિત્રનો નાશ અને મિથ્યાત્વ ઉત્પન્ન કરે. બન્ને વર્ગના વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે સાધ્વી નથી. ધર્મોપદેશ સિવાયનું વચન સંસારમૂલક હોવાથી તેની સાથ્વી સંસાર વધારે છે, માટે હે ગૌતમ ! ધમપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું. [૧૩૪]એકેક મહીને એકજ કણથી જે સાધ્વી તપનું પારણું કરતી હોય, તેવી સાધ્વી પણ જો ગૃહસ્થની સાવધ ભાષાથી કલહ કરે, તો તેનું તે સર્વ અનુષ્ઠાન નિરર્થક છે. | [૧૩૫-૧૩૭]મહાનિશીથકલ્પ અને વ્યવહારભાષ્યમાંથી સાધુ-સાધ્વીઓના માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉદ્ધત કરેલ છે. પ્રધાનશ્રતના રહસ્યભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વર્જિને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરૂમુખે વિધિપૂર્વક સૌભળીને અથવા ભણીને આત્મહિત ઈચ્છનારાએ જેમ અહીં કહ્યું છે તેમ કરવું. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ ગચ્છાચાર પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયનો-(૧) ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy