SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૫ [૫-૯૬)મેઘની ગર્જના-અશ્વ હૃદયગત વાયુ-અને વિદ્યુતની જેમ દુગ્રહ્યિ ગૂઢહૃદયવાળી આયઓ જે ગચ્છમાં અટકાવ રહિત અકાર્ય કરે છે, જે ગચ્છની અંદર ભોજન સમયે સાધુની મંડળીમાં સાધ્વીઓ આવે છે, તે ગચ્છ નથી પણ સ્ત્રિયા રાજ્ય છે. [૭]સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયોવડે પણ ઉદ્દીપન ન થાય, તેને હે ગૌતમ ગચ્છ જાણવો. [૯૮]ધર્મના અન્તરાયથી ભય પામેલા અને સંસારની અંદર રહેવાથી ભય પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાયોને ઉદીરે નહિ તે ગચ્છ જાણવો. [૯]કદાચ કોઈ કારણથી અગર કારણ વિના મુનિયોને કષાયનો ઉદય આવે, અને ઉદયને રોકે, અને તદનન્તર ખમાવે, તેને હે ગૌતમ! ગચ્છ જાણવો. [૧૦૦]દાન-શીલ-તપ-અને ભાવના, એ ચાર પ્રકારના ધર્મના અન્તરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુઓ જે ગચ્છમાં ઘણા હોય, તેને હે ગૌતમ! ગચ્છ કહેલ છે. [૧૦૧-૧૦૨]વળી હે ગૌતમ ! જે ગચ્છમાં ઘંટી-ખાંડણીયો-ચૂલો-પાણીયારુંઅને સાવરણી, આ પાંચ વધસ્થાનોમાનું એક પણ હોય, તો તે ગચ્છ મન-વચનકાયાથી તજીને અન્ય સારા ગચ્છમાં જવું. ખાંડવા વિગેરેના આરંભમાં પ્રવર્તેલા અને ઉજવળવેશ ધારણ કરનારા ગચ્છની સેવા ન કરવી, પણ જે ગચ્છ ચારિત્રગુણોથી ઉજવળ હોય તેની સેવા કરવી. [૧૦૩]વળી જે ગચ્છની અંદર મનિયો ક્રય-વિક્રય આદિ કરે-કરાવે ને અનુમોદે, તે મુનિયો સંયમભ્રષ્ટ જાણવા. હે ગુણસાગર ગૌતમ ! તેવાઓને વિષની પેઠે દૂરથી જ તજી દેવા જોઈએ. [૧૦૪-૧૦૫]આરંભમાં આસક્ત, સિદ્ધાન્તમાં કહેલ અનુષ્ઠાન કરવામાં પરાગ઼મુખ અને વિષયોમાં લંપટ એવા મુનિઓનો સંગ મૂકીને હે ગૌતમ ! સુવિહિત મુનીઓના સમુદાયમાં વસવું. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સમ્યકપ્રકારે જોઈને તેવા સન્માર્ગગામી ગચ્છમાં પક્ષ-માસ-અથવા જીવનપર્યન્ત વસવું, કેમકે હે ગૌતમ ! તેવો ગચ્છ સંસારનો ઉચ્છેદ કરનાર છે. [૧૦૬-૧૦૭] જે ગચ્છની અંદર ક્ષુલ્લક-અથવા નવદીક્ષિત શિષ્ય-અગર એકલો યુવાન યતિ ઉપાશ્રયનું રક્ષણ કરતો હોય, તે ગચ્છમાંઅમે કહીએ છીએ કે મર્યાદા કયાંથી હોય ? જે ગચ્છમાં એકલી ક્ષુલ્લક સાધ્વી, નવદીક્ષિત સાધ્વી, અગર એકલી યુવાન સાધ્વી ઉપાશ્રયનું રક્ષણ કરતી હોય, તે વિહારમાં-ઉપાશ્રયમાં હે ગૌતમ ! બ્રહ્મચર્યની શુદ્ધિ કેવી હોય? અથતુ ન હોય. [૧૦૮)જે ગચ્છની અંદર રાત્રિએ એકલી સાધ્વી બે હાથ માત્ર પ્રમાણ પણ ઉપાશ્રયની બહાર નીકળે ત્યાં ગચ્છની મર્યાદા કેવી હોય ? ન જ હોય. [૧૯]જે ગચ્છની અંદર એકલી સાધ્વી પોતાના બંધ મુનિ સાથે બોલે, અગર એકલો મુનિ પોતાની ભગિની સાધ્વી સાથે વાતચીત પણ કરે, તો હે સૌમ્ય ! તે ગચ્છને ગુણહીન જાણવો. [૧૧૭] ગચ્છની અંદર સાધ્વી જ કાર મકારાદિ અવાચ્ય શબ્દો ગૃહસ્થની સમક્ષ બોલે છે, તે સાથ્વી પોતાના આત્માને પ્રત્યક્ષ રીતે સંસારમાં નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy