SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૦૭ ૬૫ [૧૦૭-૧૦૯] આ અવસરે; સંથારાપર આધરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના યોગે, સમાધિભાવમાં વિઘ્ન કરનારી વેદના ઉદયમાં આવે, તો તેને શમાવવાને માટે ગીતાર્થ એવા નિયમિક સાધુઓ બાવનાચંદન જેવી શીતલ ધમશિક્ષા આપે. હે પુણ્ય પુરૂષ ! આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળુંયે અર્પિત કર્યું છે, એવા પૂર્વકાલીન મુનિવરો; જ્યારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ, અનેક જંગલી જાનવરોથી ચોમેર ઘેરાએલા ભયંકર પર્વતની ટોચ પર કાયોત્સર્ગથ્થાને રહેતા હતા. “વળી અત્યન્ત ધીરવૃત્તિને ધરનારા આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરૂષો, જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાંયે સમાધિભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અર્થને સાધે છે.” [૧૧૦-૧૧૧] હે સુવિહિત ! ધીર અને સ્વસ્થ મનોવૃત્તિવાળા નિયમિક સાધુઓ, જ્યારે સદા સહાય કરનારા છે એવી સ્થિતિમાં સમાધિભાવને પામીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય ? અથતું તારે સહેલાઇથી આ સંથારાની પારને પામવો જોઇએ. કારણ કે જીવ એ શરીરથી અન્ય છે, તેમ શરીર એ પણ જીવથી ભિન્ન છે. આથી શરીરના મમત્વને મૂકી દેનારા સુવિહિત પુરૂષો શ્રીજિનકથિત ધર્મની આરાધનાની ખાતર અવસરે શરીરને પણ ત્યજી દે છે.” [૧૧૨] “સંથારાપર આરૂઢ થયેલ ક્ષપક, પૂર્વકાલીન અશુભના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાઓને સમભાવપૂર્વક સહન કરીને કર્મરૂપ અશુભ કલંકની. પરંપરાને વેલડીની જેમ મૂળથી હલાવી નાંખે છે. આથી તારે પણ આ વેદનાઓને સમભાવે સહવાપૂર્વક કમને ખપાવવા જોઈએ.” [૧૧૩-૧૧૪] બહુકોડ વર્ષો સુધી તપ, ક્રિયા વગેરે દ્વારા અજ્ઞાન આત્મા જે કર્મસમૂહને ખપાવે છે. મન, વચન, કાયાના યોગોથી આત્માનું રક્ષણ કરનાર જ્ઞાની આત્મા, તે કર્મસમૂહને શ્વાસ માત્રમાં ખપાવે છે. કારણ કે સમ્યગૃજ્ઞાન પૂર્વકનાં અનુષ્ઠાનોનો પ્રભાવ અચિત્ય છે. મન, વચન અને કાયાથી આત્માનું જતન કરનાર જ્ઞાની આત્મા, બહુ ભવોથી સંચિત કરેલા આઠ પ્રકારનાં કર્મસમૂહરૂપ પાપોને શ્વાસમાત્રમાં ખપાવે છે. આ કારણેઃ હે સુવિહિત ! સમ્યગુજ્ઞાનનાં આલંબન પૂર્વક તારે પણ આ આરાધનામાં ઉજમાળ રહેવું.’ [૧૧૫ આ મુજબ હિતોપદેશરૂપ આલંબનને મેળવનાર સુવિહિત આત્માઓ ગુરૂ વગેરે વડિલજનોથી પ્રશંસાને પામેલા સંથારાપર ધીરતાપૂર્વક આરૂઢ થઇ, સર્વપ્રકારના કર્મમલને ખપાવવાપૂર્વક તે ભવમાં યા ત્રીજા ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે અને મહાનંદ પદને પ્રાપ્ત કરે છે. [૧૧-૧૧૭ ગુપ્તિ સમિતિ આદિ ગુણોથી મનોહર, સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીથી મહામૂલ્યવાન, તથા સંયમ, તપ, નિયમ વગેરે ગુણરૂપ સુવર્ણથી જડેલો શ્રીસંઘરૂપ મહામુકુટ, દેવ, દેવેન્દ્ર, અસુર અને માનવોથી સહિત ત્રણ લોકમાં વિશુદ્ધ હોવાને કારણે પૂજનીય છે, અતિશય દુર્લભ છે. વળી નિર્મળગુણોનો આધાર છે, માટે પરમશુદ્ધ છે, અને સૌને શિરોધાર્ય છે. [૧૧૮-૧૨૦] ગ્રીષ્મઋતુમાં અગ્નિથી લાલચોળ તપેલા લોખંડના તાવડાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy