SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સંથારગ- [૨] સર્વ પ્રકારના અપરાધોને ખમાવું છું. માતાપિતા સમાન સર્વજીવો મને ક્ષમા કરો. [૯૨] ધીરપુરૂષોએ પ્રરૂપેલ, વળી સત્પુરૂષોથી સદા સેવાતા, અને કાયર આત્માઓ માટે અત્યન્ત દુષ્કર એવા પંડિતમરણ-સંથારાને, શિલાતલપર આરૂઢ થયેલા નિઃસંગ અને ધન્ય આત્માઓ સાધે છે. [૩] સાવધાન બનીને તું વિચાર કર. મેં નરક અને તિર્યંચગતિમાં તથા દેવગતિ અને મનુષ્યગતિમાં કેવા કેવાં સુખદુઃખો ભોગવ્યા છે? [૯૪-૯] હે મુમુક્ષુ ! નરકને વિષે તેં અસાતા બહુલ-દુખપૂર્ણ, અસાધારણ અને તીવ્ર વેદનાઓને શરીરની ખાતર પ્રાયઃ અનન્તીવેળાયે ભોગવી છે.” “વળી દેવપણામાં તથા મનુષ્યપણામાં પારકાના દાસભાવને પામેલા તેં દુઃખ, સંતાપ અને ત્રાસને ઉપજાવનારી વેદનાઓને પ્રાયશ અનન્તીવેળાયે અનુભવી છે' “અને હે પુણ્યવાનું ! તિર્યંચગતિને પામીને ન પાર પામી શકાય એવી મહાવેદનાઓને ઘણીયે વાર તે ભોગવી છે. આ રીતે જન્મ તથા મરણરુપ રેંટના આવત જ્યાં સતતું ચાલુ છે, એવા સંસારમાં તું અનન્તકાળ ભટક્યો છે. [૯૭-૯૮] સંસારને વિષે તે અનન્તકાલ સધી અનન્તીવેળા અનન્તા જન્મમરણોને અનુભવ્યાં છે. આ બધાંયે દુઃખો સંસારવર્તી સર્વ જીવોને માટે સહજ છે. માટે વર્તમાનકાલના દુઃખોથી તું મૂઝાઈશ નહિ અને આરાધનાને ભૂલીશ નહિ. મરણના જેવો મહાભય નથી, જન્મ સમાન અન્ય કોઈ દુઃખ નથી. તેથી જન્મ-મરણરૂપ મહાભયોના કારણભૂત શરીરના મમત્વભાવને તું શીધ્ર છેદી નાંખ.” [૯૯-૧૦૦] આ શરીર જીવથી અન્ય છે. તથા જીવ શરીરથી ભિન્ન છે' આ નિશ્ચયપૂર્વક દુઃખ અને કલેશના મૂળ ઉપાદાન સમા શરીરના મમત્વને તારે છેદી નાંખવું જોઈએ. કારણ કે ભીમ અને અપાર આ સંસારમાં, આત્માએ જે કાંઈ શરીર સંબંધી કે મનસંબંધી દુઃખોને અનન્તી વેળાયે ભોગવ્યાં છે, આથી “જો સમાધિમરણને મેળવવું હોય તો તે ઉત્તમઅર્થની પ્રાપ્તિને માટે તારે શરીર આદિ અભ્યત્તર અને અન્ય બાહ્ય પરિગ્રહને વિષે મારાપણું સર્વથા વોસિરાવી દેવું.' * [૧૦૧]જગતના શરણરૂપ, હિતવત્સલ સમસ્તસંઘ, મારાં સઘળાં અપરાધોને ખમો, તથા શલ્યથી રહિત બનીને હું પણ, ગુણોના આધારભૂત શ્રીસંઘને ખમાવું છું. [૧૦૨-૧૦૪] તથા “શ્રી આચાર્યદિવ, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુળ તથા ગણ વગેરે જે કોઇને મેં કષાય ઉત્પન્ન કરાવ્યો હોય-કષાયનું હું કારણ બન્યો હોઉં તે સર્વને હું ત્રિવિધ યોગે ખમાવું છું.' “સર્વ શ્રમણ સંઘના સઘળાંયે અપરાધોને હું મસ્તક પર બે હાથ જોડવારૂપ અંજલિ કરી ખમાવું છું. તથા હું પણ સર્વને ખમું છું.' વળી હું જિનકથિત ધર્મમાં અર્પિત ચિત્તવાળો થઈને સર્વ જગતના જીવ સમૂહની સાથે બંધુભાવથીનિઃશલ્ય રીતે ખમાવું છું. અને હું પણ સર્વને ખમું છું.' [૧૦૫-૧૦૬] આમ અતિચારોને ખમનાર, અને અનુત્તર તપ તથા અપૂર્વ સમાધિને પ્રાપ્ત કરનાર ક્ષપક આત્મા; બહુવિધ બાધા સંતાપ વગેરેના મૂળ કારણ કર્મસમૂહને ખપાવતો સમભાવમાં વિહરે છે. અસંખ્યય લાખ કોટિ અશુભ ભવોની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધ્યું હોય, તે સર્વ કર્મસમૂહને સંથારા પર આરૂઢ થયેલો ક્ષપક આત્મા, શુભ અધ્યવસાયોના યોગે એક સમયમાં ખપાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy