SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા- ૫૦ ૬૧ થયેલ ક્ષેપક મહર્ષિ મેળવે છે. રાગ, દ્વેષમય તથા પરિણામે કટુ એવા વિષપૂર્ણ જે વૈષયિક સુખોને છ ખંડનો નાથ અનુભવે છે તે સંગદશાથી મુક્ત, વીતરાગ સાધુ પુરૂષો અનુભવતા નથી. તેઓ કેવળ અખંડ આત્મરમણતાના સુખને અનુભવે છે. પિન-પ૨]મોક્ષના સુખની પ્રાપ્તિને માટે, શ્રી જૈનશાસનમાં એકાન્ત વર્ણકાલની ગણના નથી. કેવળ આરાધક આત્માઓની અપ્રમત્તદશા પર સઘળો આધાર છે. કેમકે ઘણાયે વર્ષો ગચ્છમાં રહેનારા પણ પ્રમત્ત આત્માઓ જન્મમરણરૂપ સંસારસાગરમાં ડુબી ગયા છે. જે આત્માઓ અન્તિમ કાલે સમાધિ પૂર્વક સંથારારૂપ આરાધનાને સ્વીકારીને મરણને પામે છે, તે મહાનુભાવ આત્માઓ જીવનની પાછલી અવસ્થામાં પણ પોતાનું હિત શીધ્ર સાધી શકે છે. પસૂકા ઘાસનો સંથારો કે જીવરહિત–પ્રાસક ભૂમિ એજ કેવળ અન્તિમકાલની આરાધનાનું આલંબન નથી. પણ વિશુદ્ધ નિરતિચાર ચારિત્રના પાલનમાં ઉપયોગશીલ આત્મા એ સંથારારૂપ છે. આ કારણે આવો આત્મા આરાધનામાં આલંબન છે. [૫૪]દ્રવ્યથી સંલેખનાને સ્વીકારવાને તત્પર, ભાવથી કષાયના ત્યાગ-દ્વારા રૂક્ષ-લુખ્ખો એવો આત્મા સદાકાલ જૈનશાસનમાં અપ્રમત્ત હોવાને કારણે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ કાલે શ્રીજિનકથિત આરાધનામાં પરિણત બને છે.. [પપ]વષકાળમાં અનેક પ્રકારના તપોને સારી રીતે કરીને, આરાધક આત્મા. હેમન્તઋતુમાં સર્વ અવસ્થાઓને વિષે સંથારા પર આરૂઢ થાય છે, [૫૬-૫૭]પોતનપુરમાં પુષ્પચૂલા આયના ધર્મગુરૂ શ્રી અર્ણિકાપુત્ર પ્રખ્યાત હતા. તેઓ એક અવસરે નાવદ્રારાયે ગંગાનદીને ઊતરતા હતા. નાવમાં બેઠેલા લોકોએ તે વેળાએ તેમને ગંગામાં ધકેલી દીધા. ત્યારબાદ શ્રીઅર્ણિકાપુત્ર આચાર્યું તે સમયે સંથારાને સ્વીકારી સમાવિપૂર્વક મરણને મેળવ્યું. [૫૮-૬૦]કુંભકર નગરમાં દેડકરાજાના પાપબુદ્ધિ પાલક નામના મંત્રીએ, અંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાના કારણે, ક્રોધવશ બની માયાપૂર્વક પંચ મહાવ્રતયુક્ત એવા શ્રીસ્કન્દ,સૂરિ આદિ પાંચસો નિર્દોષ સાધુઓને યંત્રમાં પીલી નાંખ્યા. મમતા રહિત, અહંકારથી પર તેમજ પોતાના શરીરને વિષે પણ અપ્રતિબદ્ધ એવા તે ચારસો નવાણુ મહર્ષિપુરૂષો તે રીતે પીલાવા છતાંયે સંથારાને સ્વીકારીને આરાધભાવમાં રહી મોક્ષને પામ્યા. [૧-૬૨] દંડ નામના પ્રખ્યાત રાજર્ષિ, કે જેઓ પ્રતિમાને ધારણ કરનારા હતા. એક અવસરે યમુનાવક્ર નગરનાં ઉદ્યાનમાં તેઓ પ્રતિમાને ધારણ કરીને કાયોત્સર્ગધ્યાને ઉભા હતા, ત્યાં યવન રાજાએ તે મહર્ષિને બાણથી વીંધી નાંખ્યા, તેઓ તે વેળાયે સંથારાને સ્વીકારી, આરાધક ભાવમાં રહ્યા. ત્યાર બાદ યવનરાજાએ સંવેગ પામીને શ્રમણપણાને સ્વીકાર્યું શરીરને વિષે સ્પૃહાવિનાના બનીને કાયોત્સર્ગધ્યાને ઉભા રહ્યા. તે અવસરે કોઈએ તેઓને બાણથી વીંધ્યા. છતાંયે સંથારાને સ્વીકારી તે મહર્ષિ સમાધિકરણને પામ્યા. ૬ [૬૩-૬૪] સાકેતુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રીસુકેશલ ઋષિ, ચાતુમાસમાં માસક્ષમણના પારણાના દિવસે, પિતામુનિને સાથે પર્વતપરથી ઉતરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy