SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સંથારગ-[૩૪] સંથારાને સ્વીકારે છે, તેનો સંથારો અવિશુદ્ધ ગણાય [૩૫]શંકા આદિ દૂષણોથી જેનું સમગ્દર્શનરૂપ રત્ન મલિન છે, અને જે શિથિલ રીતે ચારિત્રનું પાલન કરવાપૂર્વક શ્રમણપણાનો નિવહિ કરે છે, તે સાધુની સંથારાની આરાધના શુદ્ધ નથી–અવિશુદ્ધ છે. [૩૬-૩૯]જે મહાનુભાવ સાધુનો સમ્યક્ દર્શનગુણ અત્યન્ત નિર્મળ છે, તથા જે નિરતિચારપૂર્વક સંયમધર્મનું પાલન કરીને પોતાના સાધુપણાનો નિવાહ કરે છે, રાગ અને દ્વેષથી રહિત, વળી મન, વચન અને કાયાના અશુભ યોગોથી આત્માનું જતન કરનાર તથા ત્રણ પ્રકારના શલ્ય અને આઠ જાતિના મદથી મુક્ત એવો પૂણ્યવાન સાધુ, સંથારા પર આરૂઢ થાય છે, ત્રણ ગારવથી રહિત, ત્રણ પ્રકારના પાપદંડને ત્યજી દેનાર, આ કારણે જગતમાં જેની કીતિ વિસ્તારને પામી છે, એવા શ્રમણ મહાત્મા સંથારા પર આરૂઢ થાય છે. ક્રોધ, માન આદિ ચારેય પ્રકારના કષાયોનો નાશ કરનાર, ચારે વિકથાના પાપથી સદા મુકત રહેનાર એવા સાધુ મહાત્મા સંથારાને સ્વીકારે છે, તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ છે. ૪૦-૪૩પાંચ પ્રકારના મહાવ્રતોનું પાલન કરવામાં તત્પર, પાંચ સમિતિના નિવહિમાં સારી રીતે ઉપયોગશીલ એવો પુણ્યવાન સાધુપુરૂષ સંથારાને સ્વીકાર છે, છજીવનિકાયની હિંસાના પાપથી વિરત, સાતે ભયસ્થાનોથી રહિત બુદ્ધિવાળો, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, જેણે આઠ મદસ્થાનોને ત્યજી દીધાં છે એવો સાધુપૂરૂષ આઠ પ્રકારના કર્મોનો નાશ કરવાને સારૂ, જે રીતે સંથારા પર આરૂઢ થાય છે, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું વિધિ મુજબ પાલન કરનાર અને દશવિધ યતિધર્મનો નિવહિ કરવામાં કુશળ એવો સંથારાપર આરૂઢ થાય છે તે સર્વેનો સંથારો સુવિશુદ્ધ ગણાય છે. [૪૪-૪૫]કષાયોને જીતનાર, અને સર્વ પ્રકારના વિષયોના વિકારથી રહિત. વળી અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાને કારણે સંથારાપર આરૂઢ થયેલ એવા સાધુને કયા પ્રકારનો લાભ મળે ?” તેમ જ કષાયોને જીતનાર તથા સર્વ પ્રકારના વિષયવિકારોથી રહિત અને અન્તિમકાલીન આરાધનામાં ઉદ્યુત હોવાથી સંથારાપર વિધિ મુજબ આરૂઢ થયેલા સાધુને કેવું સુખ પ્રાપ્ત થાય? - ૪િ૬-૪૮] વિધિ મુજબ સંથારા પર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને, પ્રથમ દિવસે જ જે અમૂલ્ય લાભની પ્રાપ્તિ થાય છે, તેનું મૂલ્ય આંકવાને કોણ સમર્થ છે?. કેમકે તે અવસરે, તે મહામુનિ વિશિષ્ટ પ્રકારના શુભ અધ્યવસાયના યોગે સંખ્યય ભવોની સ્થિતિવાળા સર્વકર્મા પ્રત્યેક સમયે ખપાવે છે. આ કારણે તે ક્ષેપકસાધુ એ વેળાયે વિશિષ્ટ પ્રકારના શ્રમણગુણને પ્રાપ્ત કરે છે. વળી એ અવસરે તૃણ–સૂકા ઘાસના સંથારાપર આરૂઢ થવા છતાંયે રાગ, મદ અને મોહથી મુક્ત હોવાને કારણે તે ક્ષેપક મહર્ષિ, જે અનુપમ મુક્તિ-નિઃસંગદશાના સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ નિરંતર રાગદશામાં મૂંઝાતો ચક્રવર્તી પણ કયાંથી પ્રાપ્ત કરે ? [૪૯૫૦)વૈક્રિયલબ્ધિના યોગે પોતાનાં પુરૂષરૂપોને વિતુર્વી, દેવતાઓ જે બત્રીશ ભેદના હજારો પ્રકારથી, સંગીતની લયપૂર્વક નાટકો કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શકતા નથી, કે જે આનંદ પોતાના હસ્તપ્રમાણ સંથારાપર આરૂઢ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy