SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સંથારગ-[૩]. હતા. તે વેળાયે વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી નાંખ્યા, છતાંયે તેને સમયે ગાઢ રીતે ધીરતા પૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં બરોબર ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતાં તેઓએ અન્ને સમાધિપૂર્વક મરણને મેળવ્યું. [૬પ-૬૬] ઉજ્જયિની નગરીમાં શ્રી અવન્તિસુકમાલે સંવેગ ભાવને પામીને દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપોપગમ અનશન સ્વીકારી તેઓ મશાનના મધ્યે એકાન્ત ધ્યાને રહ્યા હતા. રોષાયમાન એવી શિયાલણે તેઓને ત્રાસ પૂર્વક ફાડી ખાધા. આ રીતે ત્રણપ્રહર સુધી ખવાતાં તેઓ સમાધિપૂર્વક મરણને પામ્યા. [૬૭-૬૯] શરીરનો મળ, રસ્તાની ધૂળ, અને પરસેવો વગેરેથી કાદવમય શરીરવાળા, પણ શરીરનાં સહજ અશુચિ સ્વભાવના જ્ઞાતા, સુરવણગ્રામના શ્રી કાર્તિકાર્યઋષિ શીલ તથા સંયમગુણોના આધારરૂપ હતા. ગીતાર્થ એવા તે મહર્ષિનો દેહ અજીર્ણ રોગથી પીડાતો હોવા છતાંયે તેઓ સદાકાલ સમાધિ ભાવમાં રમણ કરતા. એક વેળાયે રોહિડકનગરમાં પ્રાસુક આહારને ગવેષતા તે ઋષિને, પ્રવર્તરી કોઈ ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. દેહ ભેદાવા છતાંયે તે મહર્ષિ એકાન્ત-ઉજજડ અને તાપ વિનાની વિશાલ ભૂમિ પર પોતાના દેહને ત્યજીને સમાધિ મરણને પામ્યા. [૭૦-૭૨] પાટલીપુત્ર નગરમાં શ્રી ચન્દ્રગુપ્ત રાજાનો શ્રી ધર્મસિંહ નામનો મિત્ર હતો. સંવેગભાવ પામીને તેણે ચન્દ્રગુપ્તની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી. શ્રીજિનકથિતધર્મમાં સ્થિત એવા તેઓએ ફોલ્લપુર નગરમાં અનશનને સ્વીકાર્યું અને ગૃપૃષ્ઠ પચ્ચક્ખાણને શોકરહિતપણે કર્યું. તે વેળાયે જંગલમાં હજારો પશુઓએ તેઓના શરીરને ચૂંથવા માંડ્યું. આમ જેનું શરીર ખવાઈ રહ્યું છે, એવા એ મહર્ષિ, શરીરને વોસિરાવીને પંડિત મરણને પામ્યા. [૭૩] પાટલીપુત્ર-પટણા નગરમાં ચાણક્ય નામે મંત્રી પ્રસિદ્ધ હતો. અવસરે સર્વપ્રકારના પાપઆરંભોથી નિવૃત્ત થઈને તેઓએ ઈગિની મરણને સ્વીકાર્યું. [૭૪-૭૫] ત્યારબાદ ગાયોના વાડામાં પાદપોપગમ અનશનને સ્વીકારીને તેઓ કાયોત્સર્ગધ્યાને ઉભા રહ્યા. આ પ્રસંગે પૂર્વવૈરી સુબધુ મંત્રીએ અનુકૂલ પૂજાના ન્હાનાથી. છાણા સળગાવ્યા આમ શરીર સળગવા છતાંયે, તે શ્રીચાણક્ય ઋષિએ સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું. ૭િ૬-૭૮] કકન્દી નગરીમાં શ્રી અમૃતઘોષ નામનો રાજા હતો. યોગ્ય અવસરે તેણે પુત્રને રાજ્ય સોંપી પ્રવજ્યાને ગ્રહણ કરી. સૂત્ર અને અર્થમાં કુશલ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજર્ષિ શોકરહિતપણે પૃથ્વીપર વિહાર કરતાં ક્રમશઃ કાકન્દી નગરમાં પધાર્યા. ત્યાં ચંડવેગ નામના વૈરીએ તેઓના શરીરને શસ્ત્રના પ્રહારથી છેદી નાંખ્યું. શરીર છેદાઈ રહ્યું છે તેવી વેળાએ પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, અને પંડિત મરણને પ્રાપ્ત કર્યું. [૭૯-૮૦] કૌશામ્બી નગરીમાં લલિતઘટા બત્રીશ પુરૂષો પ્રખ્યાત હતા. તેઓએ સંસારની અસારતાને જાણીને શ્રમણપણાને ગ્રહણ કર્યું. શ્રુતસાગરના રહસ્યને પ્રાપ્ત કરનારા એવા તેઓએ શરીરના મમત્વથી રહિત બની, યોગ્ય અવસરે પાદપોપગમઅનશનને સ્વીકાર્યું. અકસ્માતુ નદીના પૂરથી તણાતા મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy