SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભરપરિણા – [૬] [૯] સુસુમાર કહને વિષે ફેંકાએલો છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડ દેવતાનું સાનિધ્ય પામ્યો. [૯૭સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષો પણ ભાષાના દોષવડે (અસત્ય ભાષણવડે કર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે :- અછતાનું પ્રગટ કરવું, જેમ આત્મા સર્વગત છે, બીજો અર્થ કહેવો, જેમ ગો શબ્દ શ્વાન. છતાને ઓળવવું જેમ આત્મા નથી. નિંદાનું કરવું, જેમ ચોર ન હોય તેને ચોર કહેવો. [૯૮] વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. [૯] સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા યોગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલો લાગે છે. [૧૦] જટાવંત હોય અથવા શિખાવંત હોય, મુંડ હોય, વલ્કલ (ઝાડની છાલનાં વસ્ત્ર) પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લોકને વિશે પાખંડી અને ચંડાલ કહેવાય છે. [૧૦૧] એક વાર પણ બોલેલું જૂઠું ઘણાં સત્ય વચનોનો નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન લડે વસુ રાજા નરકને વિષે પડ્યો. [૧૦૨] હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખોતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. [૧૦૩] વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવનો ત્યાગ કરે છે, પણ પૈસાને છોડતો નથી. [૧૦૪] તેથી જીવદયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધરે તે નિષેધ્યું છે, તેમજ લોક વિરૂદ્ધ અને અધર્મ છે. [૧૦૫] ચોર પરલોકમાં પણ નરક તિર્યંચને વિષે ઘણાં દુઃખો પામે છે; મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડાએલો થાય છે. [૧૦૬] ચોરીથી નિવર્સેલો શ્રાવકનો પુત્ર જેમ સુખ પામ્યો, કઢી નામની ડોશીને ઘેર ચોર પેઠા. તે ચોરોના પગોને વિશે ડોશીએ અંગુઠો મોર પિંછવડે ચિતયાં તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માય. [૧૦૭] નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણા દોસાથી ભરેલો જાણીને હંમેશા જીત. [૧૧૮] ખરેખર જેટલા દોષો આલોક અને પરલોકને વિષે દુખના કરનારા છે, તે બધા દોષોને મનુષ્યની મૈથુન સંજ્ઞા લાવે છે. [૧૦૯-૧૧૦] રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપે બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરરૂપ રોષવાલા. લજ્જારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુલ્સહ દુઃખકારક વિષવાલા કામરૂપી સર્પ વડે ડસાયેલા માણસો પરવશ થએલા દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy