SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ [૧૧૧-૧૧૩]રૌદ્ર નરકની વેદનાઓ અને ઘોર સંસાર સાગરનું વહન કરવું તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુચ્છપણું જોતો નથી. જેમ કામના સેંકડો બાણવડે વિંધાએલો અને વૃદ્ધ થએલો વાણીઓ રાજાની સ્રીએ પાયખાનાના ખાળની અંદર નાંખ્યો ને અનેક દુર્ગંધોને સહન કરતો ત્યાં રહ્યો. કામાસકત્ માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતો નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલો રહ્યો. ગાથા-૧૧૧ [૧૧૪]કંદર્પથી વ્યાપ્ત અને દોષરૂપ વિષની વેલડી સરખી સ્રીઓને વિષે જેણે કામ કલહ પ્રેર્યો છે એવા પ્રતિબંધને સ્વભાવથી જોતા એવા તમે છોડી દો. [૧૧૫]વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. ૧૧૬]સ્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે–સ્રીઓ નીચગામીની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષો) ને પણ ભેદી નાંખે છે. [૧૧૭]અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ ઓરૂપ સાપણોને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. [૧૧૮]હણએલી આશાવાળી (તે સ્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, અને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. [૧૧૯]સુંદર દેખાવવાળી,સુકુમાર અંગવાળી અને ગુણથી (દોરીથી) બંધા એલી નવી જાઈની માળા જેવી સ્ત્રીઓ પુરૂષના હૃદયને હરણ કરે છે. [૧૨૦]પરંતુ દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માળાની પેઠે પુરૂષોને વિનાશ આપે છે. [૧૨૧]ીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યુ. માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. [૧૨૨]સાકેત નગરનો દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયો, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંકયો અને તે નદીમાં બૂડયો. [૧૨૩] શોકની નદી, દુદરતની (પાપની) ગુફા, કપટનું ઘર, કલેશની કરનારી, વૈરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. [૨૪] કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્રીઓ) નાં દૃષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કયો પુરૂષ સમ્યક્ પ્રકારે નાશી જવાને સમર્થ થાય ? [૧૨૫]અતિ ઉંચા અને ઘણાં વાદળાંવાળી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પયોધર (સ્તન)વાળી સ્રીઓ પુરૂષના મોહ વિષને વધારે છે. [૧૨૬]તેથી દષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દૃષ્ટિનો તમે ત્યાગ કરો; કેમકે સ્ત્રીનાં નેત્રબાણ ચારિત્રરૂપી પ્રાણોનો નાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy