SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૮૦ અને મૂક્યાં છે. [૮] આરાધના રૂપ પતાકા લેવાને નમસ્કાર હાથરૂપ થાય છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં તે જીવને અપ્રતિહત રથ સમાન છે. " [૧]અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધીને મરણ પામ્યો તે ચંપાનગરીને વિષે શ્રેષ્ઠીપુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયો. [૮૫]જેમ સારી રીતે આરાધેલી વિદ્યા વડે પુરૂષ, પિચાશને વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન મનરૂપી પિચાશને વશ કરે ચે. [૩]જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે • આરાધેલા જ્ઞાન વડે મનરૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. [૮૪]જેમ માંકડો ક્ષણમાત્ર પણ નિશ્ચલ રહી શકતો નથી, તેમ વિષયોના આનંદ વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ નિશ્ચલ) રહી શકતું નથી. [૮૫]તે માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલો. કરીને શુભ ધ્યાનને વિષે રમાડવો. [૮]જેમ દોરા સહિત સોય કચરામાં પડી હોય તો પણ ખોવાતી નથી, તેમ (શુભ ધ્યાનરૂપી) દોરા સહિત જીવ પણ સંસારને વિષે પડયો હોય તો પણ નાશ પામતો નથી. [૭]જો લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામ્યો, તો જિનેશ્વર ભગવાને કહેલા સૂત્રવડે જીવ મરણના દુખથી છુટે એમાં શું કહેવું ? [૮૮]અથવા ઉપશમ, વિવેક, સંવર એ પદના સાંભળવા (સ્મરણ) માત્ર (તેટલા જ) શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્રજ્ઞાન તેમજ દેવપણું પામ્યો. [૯]જીવના ભેદને જાણીને જાવજીવ પ્રયત્નવડે સમ્યફ મન, વચન, કાયાના યોગવડે છે કાયના જીવના વધનો ત્યાગ કર. [0]જેમ તને દુઃખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદરવડે ઉપયુક્ત (સાવધાન) થઈ આત્મવત્ દરેક જીવને માનીને તું દયાને કર ૯િ૧]જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઉંચું નથી અને આકાશથી કોઈ મોટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. []આ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ (સઘળાએ) સંબંધો પામ્યો છે. તેથી જીવોને મારતો સર્વ સંબંધિઓને મારે છે. [૩] જીવનો વધ તે આપણો જ વધ જાણવો અને જીવની દયા તે આપણી જ દયા છે, તેથી આત્માના સુખને ઈચ્છતા જીવોએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. [૪] ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફળ છે એમ સુક્ષ્મ બુદ્ધિથી જાણ. [૯૫જે કંઈ મોટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે, નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફળ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy