SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ચઉસરણ– ૩િ૯] પુન્યશાળી સાધુ મને શરણ હો. [૩૯]કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરીનો ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ, મૈથુન રહિત અને સાધુના ગુણરૂપ રત્નની બ્રિતિવાળા મુનિઓ મને શરણ હો. [૪૦] જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કયતે માટે તે સાધુઓ મને શરણ હો. [૪૧] સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તાર વડે કરી શોભાયમાન શરીરવાળો. (તે જીવ) આ જિનકથિત ધર્મના શરણને અંગીકાર કરવા માટે આ રીતે બોલે છે. [૪૨]અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો કેવળી ભગવાને પ્રરૂપેલો તે ધર્મ હું શરણ-રૂપે અંગીકાર કરું છું [૪૩]જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખોને મેળવ્યાં, પરંતુ મોક્ષસુખ તો ધર્મ પામેલાએ જ મેળવ્યું તે ધર્મ મારે શરણ હો. [૪]મલીન કર્મોનો નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હો. ૪૫]ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું, જન્મ, જરા,મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ જિન મતનું હું શરણ અંગીકાર કરું છું. . [૪૬]કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોનો જેમાં વિરોધ કર્યો નથી તેવા, અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગીકાર કરું છું.. [૪૭]નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામ સુભટને હણનાર ધર્મને શરણરુપે હું અંગીકાર કરું છું. [૪૮]દેદીપ્યમાન, ઉત્તમ વર્ણોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મોટાઈના કારણ ભૂત મહામૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છું. [૪૯]ચાર શરણ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકતથી વિકસ્વર થએલી રોમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો તે જીવ (આ પ્રમાણે) કહે છે. [૫૦] જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું ગહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. [૫૧]મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મેં અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું રહું છું નિંદુ છું [પર]કૃતધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. પિ૩]બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિક દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy