SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ઉદ્દેશો-૨, સૂત્ર-૮૯ પારકા- પરજન થી..વસતિ, શ્રાવકસંઘઆદિની મુખ્ય વ્યક્તિ થી- - શરીર આદિથી બળવાન થી, .. વાચાળ, દાનનું ફળ વગેરે દેખાડી કંઈ મેળવી શકે તેવા વ્યક્તિથી ગવેષિત અથ૮િ, પ્રાપ્ત કરાયેલ પાત્ર ગ્રહણ કરે-રાખે- ધારણ કરે અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ (સ્વયં ગવેષણા કરીને નિર્દોષ અને કલો તેવા પાત્ર ધારણ કરવા.) [૯૦-૯૪] જે સાધુ-સાધ્વી નિત્ય- હંમેશાં અગ્રપિંડ અથતિ ભોજન પહેલાં અલગ કઢાયેલ કે મુખ્ય એવું. એક જ ઘેરથી પૂર્ણ અથતું બધું જ, વાસણ, થાળી વગેરે માંથી અડધા કે ત્રીજા-ચોથા ભાગનું દાન માટે કઢાયેલા ભાગનું. છઠ્ઠા ભાગનું પિંડ અર્થાત્ આહાર કે ભોજન લે એટલે કે ઉપભોગ કરે, કરાવે કે ઉપભોગ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.. (આમ કરવામાં નિયંત્રણા, બીજાને આહારમાં અંતરાય, રાગ આજ્ઞાભંગ આદિ દોષ સંભવે છે.) [૫] જે સાધુ-સાધ્વી (અકારણ માસકલ્પ આદિ શાસ્ત્રીય મયદાનો ભંગ કરીને) એક સ્થાને નિત્ય વાસ કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯] જે સાધુ-સાધ્વી (વસ્ત્ર-પાત્ર-આહાર આદિ) દાન ગ્રહણ કરતાં પહેલા અને ગ્રહણ કર્યા પછી (વસ્તુ કે દાતાની) પ્રશંસા કરે- પરિચય કરે, કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૯૭] જે સાધુ-સાધ્વી પછી તે સમાન- ગૃદ્ધિ રહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલ હોય, વસમા -નવકલ્પ વિહારના પાલન કરતાં રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવી કે યુવાવસ્થા પછી પરિચિત્ત બનેલા એવા- રાગવાળા કુળો-ઘરો માં ભિક્ષા-ચર્યા પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય. બીજાને મોકલે કે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. ૯િ૮] જે સાધુ-સાધ્વી અન્યતીથિક, ગૃહસ્થ, “પરિહારિક' અર્થાત્ મૂળ-ઉત્તરગુણ વાળા તપસ્વી અથવા “અપારિવારિક' અથતુિ મૂલ-ઉત્તરગુણ માં દોષ વાળા પાસત્થા સાથે ગૃહસ્થના કુળોમાં ભીક્ષા લેવાની બુદ્ધિથી, ભિક્ષા લેવા માટે કે ભિક્ષા લઈને પ્રવેશ કરે કે બહાર નીકળે, બીજાને તેવી પ્રેરણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [૯૯-૧૦૦] જે સાધુ-સાધ્વી (ઉપરોકત) અન્યતીથિક, ગૃહસ્થ, પારિવારિક કે અપારિહારિક સાથે પોતાના ઉપાશ્રય-વસતિ ની મયદા) બહાર “વિચારભૂમિ’ મળ-મૂત્ર આદિ માટે જવાની જગ્યા કે “વિહારભૂમિ સ્વાધ્યાય માટેની જગ્યા માં પ્રવેશ કરે છે ત્યાંથી બહાર નીકળે. ઉક્ત અન્ય તીર્થિક આદિ ચાર સાથે એક ગામથી બીજે ગામ વિચરણ કરે. આ કાર્ય બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૧-૧૦૨] જે સાધુ-સાધ્વી અનેક પ્રકારનો આહાર.. વિવિધ પ્રકારના પાણી પડિગાહે અતિ ગ્રહણ કરે ત્યાર પછી મનોજ્ઞ- વર્ણ, ગંધ, રસ આદિ યુક્ત આહાર-પાણી ખાય-પીવે અને અમનોજ્ઞ-વર્ણ આદિ આહાર-પાણી પરઠવી દે. [૧૩] જે સાધુ-સાધ્વી મનોજ્ઞ- શુભ વર્ણ, ગંધ આદિ યુક્ત ઉત્તમ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy