SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નિસીહ– ૨/૧૦૩ અનેકવિધ આહાર આદિ લાવીને વાપરે. (ખાય-પીવે) પછી વધારાનો આહાર, નજીકમાં રહેલા જેની સાથે માંડલિ વ્યવહાર હોય તેવા, નિરતિચાર ચારિત્રવાળા સમનોજ્ઞ સાધર્મિક (સાધુ-સાધ્વી ) ને પુછયા વિના, નિમંત્રણ આપ્યા સિવાય પરઠવે. પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [૧૦૪-૧૦પ જે સાધુ-સાધ્વી સાગારિક અથતુ સજ્જાત્તર એટલે કે વસતિનો અધિપતિ કે સ્થાન દાતા ગૃહસ્થ, તેનો આવેલો આહાર વગેરે ગ્રહણ કરે,.. તેમજ વાપરે, આ કાર્ય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૦]જે સાધુ-સાધ્વી સાગારિક એટલે કે સજ્જર ના કુળ ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પુછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા- શોધ ક્યા સિવાય એ રીતે જાણ્યા, પુછયા કે ગવેષણા કર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ- ઘરોમાં પ્રવેશ કરે- કરાવે-અનુમોદે કે તો પ્રાયશ્ચિતું. [૧૦] જે સાધુ-સાધ્વી શ્રાવક ના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અસન, પાન ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે, કરાવે, કે અનુમોદે. તો પ્રાયશ્ચિતુ. અહીં નિશ્રા એટલે પરિચય અર્થ કર્યો. જેમાં પૂર્વનોકે પછીના કોઈ સંબંધને નિમિત્ત બનાવી. સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈ પણ યાચના કરવી. [૧૦૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધકાળ સંબંધિ શય્યા, સંથારો, વગેરે) નું પર્યુષણ પછી (એટલે કે ચાતુર્માસ પછીના શીયાળો- ઉનાળો વગેરે) શેષકાળમાં ઉલ્લંઘન કરે અર્થાત્ શેષકાળ માટે યાચના કરેલ શયા-સંથારો- પાર-પાટલા વગેરે તેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ (પર્યુષણા પછી પણ) વાપરે વપરાવે કે વાપરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં સંવત્સરી થી ૭૦ દિવસના કલ્પને આશ્રીને જણાવેલ છે. એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણા થી ૭૦ દિવસની સ્થિરતા કરવાની હોવાથી તેની પહેલાં ગ્રહણ કરેલ શય્યા સંથારો પરત કરવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષકાળ અથતુ શિયાળાઉનાળામાં ગ્રહણ કરેલ શય્યા વગેરે ચોમાસા પહેલાં તેના પ્રતા ને પરત કરવા અથવા પુનઃ ઉપયોગ માટે આજ્ઞા માંગવી. [૧૦૯જે સાધુ-સાધ્વી વષકાળ માં ઉપભોગ કરવા માટે લાવેલ શય્યાસંથારો, વર્ષાકાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ સુધી ઉપભોગ કરી શકે, પણ તે સમય મર્યાદા નું ઉલ્લંઘન કરેકરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૧૭] જે સાધુ-સાધ્વી વષકાળ કે શેષકાળ માટે યાચના કરીને લાવેલ શય્યા સંથારો વર્ષો થી ભિંથયેલો જોયા- જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે, પ્રસારીને સુકાઈ જાય તે રીતે ન રાખે, ન રખાવે કે એ રીતે શય્યાદિ ખુલ્લા ન કરનારની અનુમોદના કરે. [૧૧૧-૧૧૩ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે કે શ્રાવક પાસેથી પાછું આપવાનું કહીને લાવેલ, સાગારિક એટલે કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ શચ્યા-સંથારો કે બંને પ્રકારે શય્યાદિ બીજી વખત આજ્ઞા લીધા સિવાય બીજે સ્થાને, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy