SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નિસીહ– ૨/૬૭ [૭] જે સાધુ-સાધ્વી અચિત્ત વસ્તુ સાથે કે પાસે રખાયેલ પદાર્થ સ્વયં સુંધે. બીજાને સુંઘાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૬૮] જે સાધુ-સાધ્વી પગ-વટી એટલે કે ગમનાગમનનો માર્ગ, કાદવ વગેરે ઓળંગવા માટે લાકડા આદિથી સંક્રમ, ખાઈ વગેરે ઓળંગવા દોરડાનું કે અન્ય તેવું આલંબન કરે- કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૯-૭૧] જે સાધુ-સાધ્વી પાણી કાઢવા માટે ની નીક કે ગટર... આહાર પાત્રાદિ સ્થાપવા માટેનું સીકુ તથા સીક્કાનું ઢાકણ, સુતરનો કે દોરીનો પડદો પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [૭૨-૭પ જે સાધુ-સાધ્વી સોય, ..કાતર, નખછેદણી, કાનખોતરણી, આચારની સુધારણા, ધારકાઢવી વગેરે પોતે કરે, બીજા પાસે કરાવે કે અનુમોદના કરે. [૭૬-૭૭]જે સાધુ-સાધ્વી થોડું પણ કઠોર..કે . અસત્ય વચન બોલે, બોલાવે, બોલનારની અનુમોદના કરે (ભાષા સમિતિ નો ભંગ થતો હોવાથી) પ્રાયશ્ચિત. [૩૮]જે. સાધુ-સાધ્વી થોડું પણ અદત્ત અથતુિ જે તે વસ્તુના સ્વામીએ નહીં આપેલું ગ્રહણ કરે- કરાવે છે તે લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૭૯ઈ જે સાધુ-સાધ્વી થોડું-અલ્પમાત્ર બિંદુ જેટલું અચિત્ત એવું ઠંડુ કે ગરમ પાણી લઈ હાથ-પગ-કાન-આંખ-દાંત-નખ અથવા મુખ એકવાર કે વારંવાર ધોવે. ધોવરાવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત.. [૮૦] જે સાધુ-સાધ્વી અખંડ એવા ચામડાને ધારણ કરે અથતુ પાસે રાખે કે ઉપભોગ કરે (ચામડાના બનેલા ઉપાનહ, ઉપકરણ વગેરે રાખવા કહ્યું નહી), કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૮૧-૮૨] જે સાધુ-સાધ્વી, પ્રમાણથી વધારે અને અખંડ વસ્ત્ર ધારણ કરે-ઉપભોગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે કે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. (પ્રમાણથી વધારે વસ્ત્ર હોય અથવા આખો તાકો કે અખંડ લાંબુ વસ્ત્ર રાખવાથી પડિલેહણ આદિ થઈ ન શકે. જીવ વિરાધના સંભવ બને માટે શાસ્ત્રીય માપ મુજબના વસ્ત્ર રાખવા. પણ અખંડ વસ્ત્ર ન રાખે.) [૩] જે સાધુ-સાધ્વી તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર બનાવે, તેનો કોઈ ભાગ કે મુર્ખ બનાવે, તેના વિષમ ભાગને સરખો કરે, વિશેષ થી તેના કોઈ ભાગને સમારે અર્થાતુ આમાંનું કોઈપણ પરિકર્મ સ્વયં કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનાર સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. પૂર્વે તૈયાર થયેલા અને કહ્યું તેવા પાત્ર નિર્દોષ ભિક્ષા મળે તે જ લેવા. આ રીતનાં સમારવાના કાર્યથી છ જીવ નિકાય વિરાધના આદિ દોષનો સંભવ છે. ] [૮૪ જે સાધુ-સાધ્વી દેડ, દાંડી, પગમાં લાગેલા કાદવને ઉખેડવામાટેની સળી, વાંસની સળી એ સર્વે પોતે બનાવે, તેના કોઈ વિશેષ આકારની રચના કરે, વાંકાચૂંકાને સીધો કરે. અથવા સામાન્ય કે વિશેષથી તેનું કંઈ સમારકામ કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [૮૫-૮૯] જે સાધુ-સાધ્વી ભાઈ-બહેન આદિ સ્વજન થી. .સ્વજન સિવાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy