SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્સો -૧, સૂત્ર-૪૯ ૧૧૧ [૪૯] જે સાધુ-સાધ્વી અવિધિએ વસ્ત્ર સીવે, સીવડાવે કે સીવનારની અનુમોદના કરે. (તેમ કરવાથી પ્રતિલેખના બરાબર થતી નથી. માટે પ્રાયશ્ચિતુ) [પ૦-પપ] જે સાધુ-સાધ્વી (ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોય તો પણ) વિના કારણે એક ગાંઠ લગાવે, ફાટેલા વસ્ત્ર હોવાથી કે પરિસ્થિતિ વશ ગાંઠ લગાવવી પડે તો પણ ત્રણથી વધુ ગાંઠ લગાવે,...ફાટેલા બે વસ્ત્રોને એક સાથે જોડે... ફાટેલા વસ્ત્રને કારણ હોય ત્યારે પરસ્પર ત્રણથી વધુ સાંધા લગાવે... અવિધિએ વસ્ત્રોના ટુકડાંને જોડે જૂદા જૂદા પ્રકારના વસ્ત્રો ને પરસ્પર જોડે. આ બધું સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. " fપી જે સાધુ-સાધ્વી અધિક વસ્ત્રને ગ્રહણ કરે, અને તે ગ્રહણ કરેલ * વસ્ત્રોને દોઢમાસ કરતા વધુ સમય રાખે, રખાવે કે જે રાખે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત પિછી જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહયા હોય ત્યાં અન્ય-તીર્થિક કે ગૃહસ્થ પાસે ધુમાડો કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૫૮] જે સાધુ-સાધ્વી (આધાકમાદિ મિશ્રિત એવો) પૂતિકર્મ યુક્ત આહાર (વસ્ત્ર, પાત્ર, શવ્યા વગેરે) સ્વયં ઉપભોગ કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત - હસ્તકર્મ દોષથી લઈને આ પૂતિકર્મ સુધીના જે દોષ કહયા તેમાંથી કોઈપણ દોષનું સેવન કરે- કરાવે કે અનુમોદે તો તે સાધુ કે સાધ્વીને માસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક નામનું પ્રાયશ્ચિતું આવે. જેને માટે બીજા ઉદ્દેશાના આરંભમાં કહેવાયેલ ભાષ્યમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત શબ્દ પ્રયોજેલ છે. પ્રથમ ઉદ્દેશા ની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૨) નિસીહ” સૂત્રના આ બીજા ઉદ્દેશામાં પ૯થી ૧૧૭ એ રીતે કુલ-૫૯ સૂત્રો છે. આ દરેક સૂત્રમાં જણાવેલ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩પતિ નામનું પ્રાયશ્ચિતુ આવે તેમ ઉદ્દેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાની શરૂઆતમાં આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને હુમાયં પ્રાયશ્ચિતથી ઓળખાવાય છે. [૫૯]જે સાધુ-સાધ્વી લાકડાના દંડ વાળું પાદપ્રીંછનક કરે. અથતુ નિષદ્યાદિ બે વસ્ત્ર રહિત એવું માત્ર લાકડાની દાંડી વાળું રજોહરણ કરે. આવું રજોહરણ પોતે કરે નહીં, કરાવે નહીં, કરનારની અનુમોદના ન કરે. [૬૦-૬૬]જે સાધુ-સાધ્વી આ રીતે નિષદ્યાદિ બે વસ્ત્ર રહિતનું માત્ર લાકડાની દાંડી વાળું પાદપ્રીંછનક અર્થાતુ રહરણ ગ્રહણ કરે... ધારણ કરે અર્થાતુ રાખે. વિતરણ કરે એટલે કે બીજાને આપી દે; . પરિભોગ કરે એટલે કે તેનાથી પ્રમાર્જનાઆદિ કાર્ય કરે, .. કોઈ વિશેષ કારણ કે સંજોગોને કારણે આવું રજોહરણ રાખવું પડેલ હોય તો પણ દોઢ માસથી વધારે રાખે,.... તડકો દેવા માટે ખોલીને અલગ રાખે.- આ સર્વે દોષ સ્વયં સેવે, અન્ય પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy