________________
૮s
નાયાઘમ્મ હાઓ-૧૮૮૭ પ્રાણીઓને ત્રાસ ઉત્પન્ન કરતો હતો. તેની છાતી પહોળી હતી. તેણે શ્રેષ્ઠ વ્યાઘનું એવું ચિત્ર વિચિત્ર ચામડું પહેરી રાખેલ હતું, જેમાં નખ, રોમ, મુખ, નેત્ર ને કાન આદિ અવયવ પરિપૂર્ણ અને સાફ દેખાતા હતા. તેણે ઉંચા કરેલા બંને હાથો ઉપર રસ અને રુધિરથી લિપ્ત હાથીનું ચામડું ફેલાવેલું હતું. તે પિશાચ નૌકાપર બેઠેલા લોકોની અત્યંત કઠોર, સ્નેહહીન, અનિષ્ટ, ત્રાસ ઉત્પન્ન કરનાર, સ્વરૂપથી જ અશુભ, અપ્રિય તથા અકાન્ત સ્વરવાળી વાણીથી તર્જના કરી રહ્યો હતો. એવો ભયાનક પિશાચ તે લોકોને દેખાયો.
તે લોકોએ તાલ પિશાચના રૂપને નૌકાની તરફ આવતો જોયો. જોઈને તેઓ ડરી ગયા, અત્યંત ભયભીત થયા, એક બીજાના શરીરને ચોટી ગયા અને ઘણા ઈન્દ્રોની, સ્કંદોની તથા રૂદ્ર, શિવ, વૈશ્રમણ અને નાગદેવની ભૂતોની, યક્ષોની દુગની, તથા કોટ્ટ ક્રિયા દેવીની ઘણી ઘણી સેંકડો માનતા માનવા લાગ્યા. તે સમયે અહંન્નક શ્રમણો પાસકે તે દિવ્ય પિશાચ રૂપને આવતો જોયો. તેને જોઇને તે જરા પણ ભયભીત ન થયો, ત્રાસને પ્રાપ્ત ન થયો, ચલાયમાન ન થયો, સંભ્રાન્ત ન થયો, વ્યા કુલ ન થયો, ઉદ્વિગ્ન ન થયો. તેના મુખનો રાગ અને નેત્રનો વર્ણ બદલાયો નહીં. તેના મનમાં દીનતા કે ખિન્નતા ઉત્પન્ન ન થઈ. તેણે એક ભાગમાં જઈને વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું. તે સ્થાન પર બેસી ગયો. અને બંને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા -
“અરિહંત ભગવંત યાવતુ સિદ્ધિને પ્રાપ્ત થયેલ પ્રભુને નમસ્કાર હો ! પછી કહ્યું - જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈ જાઉં તો મને આ કાયોત્સર્ગ પાળવો કલશે અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો મને, આ પ્રત્યાખ્યાન કહ્યું છે આ પ્રમાણે કહીને તેણે સાગારી અનશન ગ્રહણ કર્યો.
ત્યાર પછી તે પિશાચરૂપ ત્યાં આવ્યું, જ્યાં અહંન્નક શ્રમણોપાસક હતો. આવીને અહંન્નકને આ પ્રમાણે કહ્યું : - અરે અપ્રાર્થિત યાવતુ લજ્જા, કીતિ બુદ્ધિ લક્ષ્મીથી પરિવજિત ! શીલવ્રત અણુવ્રત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી ચલાયમાન થવું ક્ષોભયુક્ત થવું ખંડિત કરવું, સંપૂર્ણ ભંગ કરવો, કલ્પતો નથી. પરંતુ જો તું શીલવ્રત આદિનો પરિત્યાગ નથી કરતો તો હું તારા આ પોતવહનને બે આંગળીઓ પર ઉઠાવી લઉં છું અને સાત આઠ તલની ઉંચાઈ સુધી આઠાશમાં ઉછાળી દઉં છું અને ઉછાળીને તેને જળની અંદર ડુબાડી દઉં છું. જેથી આર્તધ્યાનના વશીભૂત થઇને, અસ માધિને પ્રાપ્ત થઇને, જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિય! હું અહંન્નક નામનો શ્રાવક છું અને જડ ચેતનના સ્વરૂપનો જ્ઞાતા છું. નિશ્ચયથી મને કોઈ દેવ યા દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરી શકે નહિ, ક્ષુબ્ધ કરી શકે નહિ. તમારી જે શ્રદ્ધા હોય તો કરો.' આ પ્રમાણે કહીને અહંન્નક નિર્ભય, અપરિવર્તિત મુખના રંગ અને નેત્રના વણવાળો. દૈન્ય અને માનસિક ખેદથી રહિત, નિશ્ચલ, નિષ્પદ, મૌન અને ધર્મધ્યાનમાં લીન બની ગયો. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપ અહંન્નક શ્રમણોપાસકને બીજી વાર ત્રીજીવાર કહેવા લાગ્યા. તે દિવ્ય પિશાચરૂપે અહંન્નકને ધર્મધ્યાનમાં લીન જોયો. જોઇને તેણે અધિક કુપિત થઈને તે પોત વાહનને બે આંગળીઓથી ગ્રહણ કરીને સાત-આઠ મંજીલની યા તાડવૃક્ષની ઊંચાઈ સુધી ઉપર ઉઠાવીને લીધું અનક કિંચિતુ માત્ર ચલાયમાન ન થયો અને ધર્મધ્યાન માંજ લીન રહ્યો. ત્યાર પછી તે પિશાચરૂપ જ્યારે અહંન્નકને નિગ્રંથ પ્રવચનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org