SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નાયાધમ્મ કહાઓ - ૧/-૮/૭૬ પધાર્યા. પરિષદ વંદના કરવા નીકળી. મહાબલ રાજા પણ નીકળ્યો સ્થવિરમહારાજે ધર્મ કહ્યો. મહાબલ રાજાને ધર્મ શ્રવણ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિશેષ એ કે રાજાએ કહ્યું - ‘હે દેવાનુપ્રિય ! હું મારા છ બાલ મિત્રોને પૂછી લઉં અને બલભદ્ર કુમારને રાજ્ય૫૨ સ્થાપિત કરી દઉં.' આ પ્રમાણે કહીને તેણે છએ બાલ મિત્રોને પૂછ્યું. ત્યારે તે છએ બાલમિત્રો મહાબલ રાજાને કહેવા લાગ્યા “દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રુજિત થાઓ છો તો અમારો માટે બીજું કોણ આધાર છે ? યાવત્ અમે પણ દીક્ષિત થઇએ છીએ. ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ મિત્રોને કહ્યું-‘હે દેવાનુપ્રિયો ! જો તમે મારી સાથે યાવત્ પ્રવ્રુજિત હો તો તમે જાઓ અને પોત પોતાના જ્યેષ્ઠ પુત્રને પોત પોતાના રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો અને પછી હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરુઢ થઇને અહીં પ્રગટ થાઓ.’મહાબલ રાજાએ છએ બાલમિત્રોને આવેલા જોયા. જોઇને તે હર્ષિત અને સંતુષ્ટ થયા. તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! જાઓ અને બલભદ્ર કુમારનો મહાન્ રાજ્યાભિષેક કરો. ત્યાર પછી મહાબલ રાજાએ બલભદ્રકુમારની આજ્ઞા લીધી. પછી મહાબલરાજા છએ મિત્રોની સાથે હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકા પર આરૂઢ થઇને વીતશોકા નગરી માં જ્યાં ઇન્દ્રકુંભ ઉદ્યાન હતું અને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યાં. આવીને તેઓએ સ્વયં પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને યાવત્ દિક્ષિત થયા. અગ્યાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં ઉપવાસ બેલા, તેલા આદિ તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર કોઇ સમયે એકઠા થયા તે સમયે તેઓમાં પરસ્પર આ પ્રમાણે વાતચીત થઈ ‘હે દેવાનુપ્રિયો ! આપણે બધાને એક સાથેજ તપક્રિયા ગ્રહણ કરીને વિચરવું ઊંચિત છે.’ આ પ્રમાણે કહીને બધાએ તે વાત અંગીકાર કરીને અનેક ચતુર્થભક્ત આદિ યાવત્ એક સરખી તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ અણગારે આ કારણથી સ્ત્રીનામગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તેઓ મહાબલને છોડીને શેષ છ અણગાર જો ચતુર્થભક્ત ગ્રહણ કરીને વિચરે, તો તે મહાબલ અણગાર ષષ્ઠભક્ત ગ્રહણ કરીને વિચરે. અગર મહાબલના સિવાય છ અણગારો ષષ્ઠભક્ત અંગીકાર કરીને વિચરે તો મહાબલ અણગાર અષ્ટમભક્ત ગ્રહણ કરીને વિચરે. એ પ્રમાણે આ કારણોનું એકવાર અથવા વારંવાર સેવન કરવાથી તીર્થંકરનામગોત્ર કર્મનું પણ ઉપાર્જન તેમણે કરેલું. [૭૭-૭૯] અરિહંત સિદ્ધ પ્રવચન શ્રુતજ્ઞાન, ગુરુ-ધર્મોપદેશક સ્થવિર સાધુ બહુ શ્રુત તપસ્વી, આ સાતે પ્રતિ વત્સલતા ધારણ કરવી ગુણોત્કીર્તન કરવું વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો. દર્શન-સમ્યકત્વ અને જ્ઞાનાદિકનો વિનય કરવો. આવશ્યક કરવા, ઉત્તરગુણો અને મૂળગુણોનું નિરતિચાર પાલન કરવું. ક્ષણલવ પ્રમાણ કાળમાં પણ સંવેગ, ભાવના તેમજ ધ્યાનનું સેવન કરવું તપ કરવો. ત્યાગ વૈયાવચ્ચ કરવી. સમાધિ ઉપજાવવી. નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતની ભક્તિ કરવી અને પ્રવચનની પ્રભાવના ક૨વી, આ ૨૦ કારણોથી જીવ તીર્થંકરત્વની પ્રાપ્તિ કરે છે. [૮૦] ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગાર એક માસની પહેલી ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરીને વિચરે છે. યાવત્ બારમી એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા અંગીકાર www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy