SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ રોહિણી પુત્રવધૂને, તે કુલગૃહવર્ગના અનેક કાર્યોમાં યાવત્ રહસ્યોમાં પૂછવા યોગ્ય યાવતું ઘરનું કાર્ય ચલાવનારી અને પ્રમાણભૂત નિયુક્ત કરી આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! જે સાધુ સાધ્વી પોતાના પાંચ મહાવ્રતોને વધારે છે તે આ જ ભવમાં ઘણા શ્રમણો આદિના પૂજ્ય થઈને યાવતું સંસારથી મુક્ત થઈ જાય છે. અધ્યયન-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૮-મલ્લી) [૭] ભગવન્! જો ભગવાન મહાવીરે સાતમાં જ્ઞાતાધ્યનનો આ અર્થ કહ્યો છે તો આઠમાંનો કયો અર્થ ફરમાવેલ છે?' જબૂ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ મહાવિદેહ વર્ષમાં મેરુપર્વતથી પશ્ચિમમાં નિષધ વર્ષધરપર્વતથી ઉત્તરમાં, શિતોદા મહાનદીથી દક્ષિણમાં, સુખાવહ વક્ષસ્કા પર્વતથી પશ્ચિમમાં અને પશ્ચિમ લવણ સમુદ્રથી પૂર્વમાં- આ સ્થાન પર સલિલા વતી નામે વિજય કહેલ છે. તે સલિલાવતી વિજયમાં વીતશોકાં નામની રાજધાની કહેલ છે. તે નવ યોજન પહોળી યાવતું સાક્ષાત દેવલોકની સમાન હતી. તે વીતશોકા રાજધાનીમાં ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં ઇન્દ્ર કુમ્ભ નામનું ઉદ્યાન હતું. તે વીતશોક રાજધાનીમાં બલ રાજા હતો. તે બલરાજાના અંતઃપુરમાં ધારિણી પ્રકૃતિ એક હજાર દેવીઓ હતી. તે ધારિણીદેવી કોઈ સમયે સિંહને સ્વપ્નમાં જોઈને જાગૃત થઈ. યાવતુ યથા સમય મહાબલ નામના પુત્રનો જન્મ થયો તે બાળક ક્રમશઃ બાલ્યાવસ્થાને ત્યાગીને ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો. ત્યારે માતા પિતાએ સમાન રૂપ વયવાળી કમલશ્રી આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકુમારીઓની સાથે એક જ દિવસમાં મહાબલનું પાણિગ્રહણ કરાવ્યું. પાંચસો પ્રાસાદ આદિ પાંચ પાંચસોનો દહેજ આપ્યો. યાવતું મહાબલ કુમાર મનુષ્ય સંબંધી. કામ ભોગ ભોગવતો વિચરવા લાગ્યો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર પાંચસો શિષ્યોથી પરિવતા થઇને અનુક્રમથી વિચરતા જ્યાં ઈન્દ્રકુંભ નામનું ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા. સ્થવિર મુનિરાજને વંદન કરવાને માટે જન સમૂહ નીકળ્યો. બલ રાજા પણ નીકળ્યો. ધર્મ સાંભળીને રાજાને વૈરાગ્ય થયો. વિશેષ એ કે તેણે મહાબલ કુમારને રાજ્ય પર પ્રતિષ્ઠિત કર્યો. પ્રતિષ્ઠિત કરીને સ્વયે જ બલરાજાએ આવીને સ્થવિરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. તે અગ્યાર અંગોના જ્ઞાતા થયા. ઘણા વર્ષો સુધી સંયમ પાળીને જ્યાં ચારપર્વરત હતો, ત્યાં ગયા. એક માસનો નિર્જલ અનશન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વાવત્ સિદ્ધ થયા. ત્યાર પછી અન્યદા કદાચિતુ કમલશ્રી યાવતું સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થઈ. યાવતું બલભદ્ર કુમારનો જન્મ થયો. તે યુવરાજ પણ થઈ ગયો. તે મહાબલ રાજાના આ છ રાજા મિત્ર હતા. તે આ પ્રમાણે અચલ ઘરણ પૂરણ વસુ વૈશ્રમણ અને અભિચન્દ્ર. તેઓ સાથેજ જન્મ્યા હતા અને સાથે જ વૃદ્ધિ પામ્યા હતા. તેઓએ સાથે સાથે વિદેશ જવું, સાથે સાથે સુખ દુઃખ ભોગવવું અને સાથેજ આત્માનો નિસ્તાર કરવો એવો નિર્ણય કરીને પરસ્પરમાં આ અર્થનો સ્વીકાર કર્યો હતો. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર જ્યાં ઈકુંભ ઉદ્યાન હતું, ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy