SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ નાયાઘમ્મ કહાઓ- ૧/-૭૭૫ રાખે છે અથવા વધારે છે. ત્યાર પછી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું. તે ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. પછી મિત્ર, જ્ઞાતિ આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃતવર્ગની સાથે તે વિપુલ અશન,આદિનું ભોજન કરીને યાવતુ તે દરેકનો સત્કાર કર્યો. સન્માન કર્યું. સત્કારસન્માન કરીને મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સામે પાંચ ચોખાના દાણા લીધા.લઈનેમોટીપુત્રવધૂ ઉજિઝકાને બોલાવી કહ્યું- હે પુત્રી ! તું મારા હાથથી આ પાંચ દાણા લે. તેને લઈને અનુક્રમથી તેનું સંરક્ષણ અને સંગોપન કરતી રહે. હે પુત્રી ! જ્યારે હું તારી પાસે તે પાંચ દાણા માંગુ ત્યારે તું મને પાછા આપજે ત્યાર પછી તે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહના આ અર્થ આદેશને “બહુસારું' આ પ્રમાણે કહીને અંગીકાર પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા. એકાંતમાં ગઈ. ત્યાં જઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો-“આ પ્રકારે નિશ્ચયથી પિતાના કોઠારમાં શાલિથી ભરેલા ઘણાં પલ્ય વિદ્યમાન છે. તેથી જ્યારે પિતા મારી પાસેથી પાંચ શાલિમાંગશે ત્યારે હું બીજા શાલિ લઈને આપી દઈશ. તેણે એવો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે પાંચ દાણા એકાંતમાં ફેંકી દીધા આ પ્રમાણે બીજી પુત્રવધૂ ભોગવતીને બોલાવીને પાંચ દાણા આપ્યા ઈત્યાદિ વિશેષ તે છે કે તેણીએ તે દાણા છોલ્યા. છોલીને ગળી ગઈ. ગળીને પોતાના કામમાં લાગી ગઈ. આજ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેણે તે દાણા લીધા પછી તેને તે વિચાર ઉત્પન્ન થયો કે મારા પિતાએ મિત્ર જ્ઞાતિ આદિની તથા ચારે વધૂઓના કુલગૃહવર્ગની સામે મને બોલાવીને આમ કહ્યું છે કે- હે પુત્રી ! તું મારા હાથમાંથી આ દાણા લે. યાવતું જ્યારે હું માંગું ત્યારે પાછા આપી દેવા. તો અહી કાંઈ કારણ હોવું જોઈએ તેણીએ તે પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને તે ચાવલના દાણા શુદ્ધ વસ્ત્રમાં બાંધી લીધા. બાંધીને રત્નની ડબીમાં રાખીને ઓસીકા નીચે મુકી દીધા.ત્રણે સંધ્યાઓના સમયે સાર સંભાલ કરતી થકી રહેવા લાગી. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે તે મિત્રો આદિની સમક્ષ ચોથી પુત્રવધૂ રોહિણીને બોલાવીને તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા. યાવતુ તેણે વિચાર્યું-આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હશે. તેથી મારા માટે ઉચિત છે કે આ પાંચ શાલીના દાણાનું સંરક્ષણ કરે, સંગોપન કરે, વિચાર કરીને પોતાના કુલગૃહના પુરુષોને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું દેવાનુપ્રિયો ! તમે આ પાંચ શાલિને ગ્રહણ કરો. ગ્રહણ કરીને પહેલી વર્ષાઋતુ, માં જ્યારે ખૂબ વષી હોય ત્યારે એક નાની એવી ક્યારીને સારી રીતો સાફ કરીને આ પાંચ શાલિ વાવી દેવા. વાવીને બીજીવાર, ત્રીજીવાર ઉલ્લેપ-નિક્ષેપ કરવા, પછી ક્યારી ની ચારે તરફ વાડ કરવી તેની રક્ષા અને સંગોપન કરતા તેને વધારવા. ત્યાર પછી કૌટુ મ્બિક પુરુષોએ પાંચ દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ સંગો પાંગ કરતા રહેવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ વર્ષા ઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થવા પર નાની એવી ક્યારી સાફ કરી. સાફ કરીને પાંચ ચાવલના દાણા વાવ્યા. વાવીને બીજાનાર ત્રીજીવાર તેનો ઉલ્લેપ-નિક્ષેપ કર્યો કરીને વાડનો પરિક્ષેપ કર્યો.અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી સંરક્ષિત, સંગોપિત, અને સંવર્ધિત કરેલા શ્યામ, શ્યામ કાન્તિવાળા યાવતું સમુહ રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy