________________
૪૨
નાયાધમ્મ કહાઓ- ૧/-/૧/૩૭ પોતાના યૂથની સાથે એક મોટું મંડલ બનાવું. આ પ્રમાણે વિચાર કરીને તમે સુખપૂર્વક વિચરવા લાગ્યા.
ત્યાર પછી હે મેઘ ! તમોએ કોઈ વખત એકવાર પ્રથમ વર્ષાકાળમાં ખૂબ વષ થવા પર ગંગા મહાનદીની પાસે ઘણાં હાથીઓ યાવતુ નાની હાથણીઓથી ઘેરાયેલ થઈને એક યોજન પરિમિત મોટા ઘેરાવાળા અત્યંત વિશાળ મંડળ બનાવ્યું. તે મંડળમાં જે કાઈ પણ ઘાસ. પાંદડા કાષ્ઠ, કાંટા, લતા, વેલ, ઠુંઠા, વૃક્ષ અથવા છોડવા આદિ હતા. તે બધાને ત્રણવાર હલાવી હલાવીને પગથી ઉખેડ્યા, સૂંઢથી પકડ્યા અને એક તરફ લઈ જઈને ફેંકી દીધા. ત્યાર પછી હે મેઘ ! તમે મંડલની સમીપ ગંગા મહાનદીના દક્ષિણ કિનારે, પૂર્વોક્ત સ્થાનોમાં વિચરણ કરવા લાગ્યો. ત્યાર પછી હે મેઘ ! કોઈ અન્ય સમયે મધ્ય વર્ષાઋતુમાં તમે તે સ્થાન પર આવ્યા જ્યાં મંડલ હતું. ત્યાં આવીને બીજીવાર તે મંડળને સાફ કરીને ઠીક કર્યું. એ પ્રમાણે અંતિમ વર્ષા રાત્રિમાં ઘોર વૃષ્ટિ થવા પર જ્યાં મંડલ હતું ત્યા આવ્યા. આવીને ત્રીજી વાર તે મંડલને સાફ કર્યું.
હે મેઘ ! કોઈ અન્ય સમયે પાંચ ઋતુ વ્યતીત થઈ જવા પર ગ્રીષ્મ કાળના અવસર પર જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ દાવાનલના કારણે પાવતુ અગ્નિ ફેલાઈ ગઈ અને મૃગ, પશુ, પક્ષી, તથા સરીસૃપ આદિ ભાગ દૌડ કરવા. લાગ્યા. ત્યારે તું ઘણા હાથીઓની સાથે જ્યાં તે મંડલ હતું ત્યાં જવાને માટે દોડ્યો તે મંડલમાં ઘણાં સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરચ્છ, પારાસર, શરભ, શિયાળ, બિલાડા, કુતરા, સસલા, લીમડી, ચિતા અને ચિલ્લલ આદિ પશુઓ અગ્નિના ભયથી પરા ભૂત થઈને પહેલાથી જ આવીને ઘુસી ગયા હતા. અને એકી સાથે બીલધર્મથી રહેતા હતા. ત્યાર પછી હે મેઘ ! તું જ્યાં મંડલ હતું ત્યાં આવ્યો. હે મેઘ ! તે પગથી શરીર ખંજવાળું, એમ વિચારીને એક પગ ઉંચો કર્યો તે સમયે તે ખાલી થયેલ જગ્યામાં અન્ય બલવાન પ્રાણી ઓ દ્વારા પ્રેરિત એક સસલું પ્રવિષ્ટ થઈ ગયું. તે ખંજવાળીને વિચાર્યું કે હું પગ નીચે મુકું. પરંતુ સસલાને પગની જગ્યામાં ઘુસેલું જોયું. જેઈને પ્રાણીઓની, ભૂતો ની, જીવોના, તથા સત્વોની અનુકંપાથી તે પગ અદ્ધર જ રાખ્યો નીચે ન મુક્યો. હે મેઘ ! તે પ્રાણી-અનુકંપા યાવતુ સત્વાનુકંપાથી તમે એ સંસાર પરીત કર્યો. અને મનુષ્યના આયુનો બંધ કર્યો.
ત્યાર પછી તે દાવાનલ અઢી અહો-રાત્રિ પર્યન્ત તે વનને બાળીને પૂર્ણ થઈ ગયો, ઉપરત થઈ ગયો, ઉપશાન્ત થઈ ગયો અને બુઝાઈ ગયો. ત્યારે તે ઘણા સિંહ યાવત્ ચિલ્લલક આદિ પ્રાણીઓએ વનના દાવાનળને પૂરો થયેલો યાવતું બુઝાયેલો જોયે. અને જોઈને તે અગ્નિના ભયથી મુક્ત થયા. તે ભૂખ અને તરસથી પીડિત થતાં તે મંડલથી બહાર નીકળ્યા. અને નીકળીને ચારે તરફ ફેલાઈ ગયા. હે મેઘ ! તે સમયે તું વૃદ્ધ જરાથી જર્જરિત શરીરવાળો તેમજ શિથિલ અને કરચલી વાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભુખ્યો, શારીરીક શક્તિથી હીન, સહારો ન હોવાથી, નિર્બળ, સામર્થ્યથી અને ચાલવા-ફરવાની શક્તિથી રહિત અને ઠુંઠાની જેમ સ્તબ્ધ થઈ ગયો. વેગથી ચાલું' એવો વિચાર કરીને જ્યાં પગ પસાર્યો કે વિદ્યુતથી આઘાત પામેલ રજતગિરિના શિખરની સમાન બધા અંગોથી તૂધડામ કરતો ધરતી પર પડી ગયો. ત્યાર પછીહે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ તથા દાહજ્વર ઉત્પન્ન થયો તું તેવી સ્થિતિમાં રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org