________________
સૂત્ર-૩૨
૪૦૧ વેદિકા અશાશ્વત છે, માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે. હે ભગવન્! ઉપર વર્ણવેલી વેદિકા, શું ત્યાં કાયમ રહેવાની છે? હે ગૌતમ! એ વેદિકા, ત્યાં કોઈ દિવસ ન હતી, નથી કે નહિ હશે એમ તો ન કહેવાય, પણ એ ત્યાં હમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય; માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ. ઉપકારિકાલયની ફરતો જે વનખંડ વર્ણવેલો છે તેનો ચક્રવાલવિખંભ બે યોજનથી કાંઈક ઓછો છે અને તેનો ઘેરાવો તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવો અને દેવીઓ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે અને રતિક્રીડા કરતાં વિહરે છે. એ લયનની કરતાં ચારે દિશામાં ચાર ચાર સોપાનો ગોઠવેલાં છે. એ સોપાનો ઉપર તોરણો ધ્વજો અને છત્રો વગેરે ઘણા મનહર પદાર્થો ઝૂલી રહ્યા છે. લયનનું ભોંયતળ, મણિરત્ન અને વજ વગેરે બહુમૂલ્ય ધાતુઓથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી કહ્યું છે.
[૩૫]લયનના તે સમતળ ભૂભાગની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઉંચો અને અઢીસો યોજન પહોળો એવો એક મોટો મુખ્ય પ્રાસાદ આવેલો છે. તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રાસાદોની આવી રહેલા છે. વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદોની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઉંચાઈએ અને પહોળાઈએ અડધા એવા બીજા ચાર મહાલયો સોહામણા આવેલા છે. વળી, સોહામણા એ ચાર મહાલયોને ઘેરીને ઊભેલા પણ માપમાં તેના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયો ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ રા યોજન અને પહોળાઈ એકત્રીશ યોજન ઉપર એક કોશ છે. એ બધાય પ્રાસાદોની અંદર ચંદરવા સિંહાસન વગેરે શોભાનિક ઉપકરણો ગોઠવા એલાં છે અને ઉપર ધજાઓ તોરણો અને આઠઆઠ મંગળો ઝૂલી રહ્યાં છે.
[૩૬] એમ અનેક પ્રાસાદોથી વીંટાએલા તે મૂળ પ્રાસાદથી ઉત્તરપૂર્વમાં એક મોટી સુધમાં સભા આવેલી છે. એની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ બેહોંતેર યોજન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણો પૂતળીઓ અને અપ્સરા
ઓનાં ઝંડો કોરેલાં છે એવા અનેક મનહર સ્તંભો ઉપર એ સભા રચાએલી છે. એ સભાને પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દ્વારા મૂકેલાં છે. તે એક એક દ્વાર સોળ યોજન ઉંચું અને આઠ યોજન પહોળું છે, તેમ તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો
છે. એ ત્રણે દ્વારો ધોળાં દૂધ જેવાં, સુવર્ણમય સૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળોથી વિરાજિત છે. તે પ્રત્યેક દ્વારની સામે એક એક મુખ્ય મંડપ છે. એ મંડપની લંબાઈ સો યોજન, પહોળાઈ પચાસ યોજન અને ઉંચાઈ સોળ યોજન કરતાં વધારે છે. એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ બારસાખ પાડેલાં છે. તે પ્રત્યેક બારસાખ ઊંચાઈમાં સોળ યોજન, પહોળાઈમાં આઠ યોજન છે અને તે દરેકનો પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. તે બધાં બારણાંઓ ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ અને આઠ આઠ મંગળો છે.
વળી, તે પ્રત્યેક મુખમંડપની સામે તેમની જેવા સુંદર પ્રેક્ષાગૃહમંડપો આવેલા છે અને તે એક એક પ્રેક્ષાગૃહમંડપના સમતળ ભૂભાગની વચ્ચે એક મોટો વજય અખાડો શોભી રહ્યો છે. તે એક એક અખાડાની વચ્ચોવચ્ચ આઠ યોજન લાંબી પહોળી, [26] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International