SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ ૩૧૭ (અધ્યયન ૭-ઉદુમ્બરદસ્ત [૩૧] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પાટલિખંડ' નામનું એક નગર હતું, તે નગરમાં મહારાજા સિદ્ધાર્થ રાજ્ય કરતા હતા. પાટલિખંડ નગરમાં સાગરદત્ત નામનો એક ધનાઢય સાર્થવાહ રહેતો હતો, તેને નગરનો ઘણો પ્રતિષ્ઠિત વ્યક્તિ માનવામાં આવતો હતો. તેની ગંગારદત્ત નામની પત્ની હતી. તેને સંપૂર્ણ અને નિર્દોષ પાંચ ઈન્દ્રિ થોથી યુક્ત શરીરવાળો “ઉદુમ્બરદત્ત નામનો એક પુત્ર હતો. તે કાળ અને તે સયમમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વનખંડ ઉદ્યાનમાં પધાર્યા. તે કાળ અને સમયમાં ભગવાન ગૌતમ સ્વામી છઠ્ઠના પારણાના નિમિત્તે ભિક્ષા માટે પાટલિખંડ નગરમાં ગયા. તેઓએ પાટલિખંડ નગરમાં પૂર્વ દિશા તરફના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં એક પુરુષને જોયો, તે પુરષ ખુજલી ના રોગવાળો હતો. તે કોઢના રોગવાળો, પેટ એક દમ મોટું હતું. જલોદર, ભગંદર અને હરસના રોગવાળો હતો. તેને કાસ, શ્વાસ અને સોજા ના રોગ પણ હતાં, તેનું મોટું સોજેલું હતું, હાથ અને પગો ફુલેલા હતાં, હાથ અને પગની આંગળીઓ સડી ગઈ હતી, નાક અને કાન પણ સડી ગયા હતાં. રસી અને પરથી તેનું શરીર કચકચતું હતું અને તે કૃમિઓથી અત્યંત વેદના પામી રહ્યો હતો, અને જેમાંથી લોહી અને પરુ વહી રહ્યા છે તેવા ગુમડાથઈ તે યુક્ત હતો. તેના કાન અને નાક પર થયેલા ફોડાઓમાંથી લોહી વગેરે વહેવાથી કાન, નાક સડી ગયા હતા. વારંવાર પરુના, લોહી ના અને કૃમિના કોગિળાઓનું વમન કરતો હતો. તે કષ્ટપૂર્ણ, દયાજનક તેમજ દીનતા મય શબ્દો બોલી રહ્યો હતો. તેની આગળ અને પાછળ માખીઓનાં ટોળેટોળા બણબણ કરી રહ્યાં હતાં, ભયંકર વેદનાથી તેનું માથું ફાટી જતું હતું. ફાટેલા શણના ટૂકડા ઓઢેલા હતા. ભિક્ષાનું પાત્ર તથા પાણી માટેનું પાત્ર હાથમાં લઈને ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી, ભીખ માંગી તે પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો.. ત્યારે ભગવાન ગૌતમ સ્વામી ઊંચ, નીચ અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતાં આવશ્કયતા પ્રમાણે ભિક્ષા લઈને પાટલિપુંડ નગર માંથી નીકળી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને ભોજન પાણી સમ્બન્ધી આલોચના કરી લાવેલા આ હાર - પાણી ભગવાનને બતાવ્યા, બતાવીને તેમની આજ્ઞા મળી જવા પર બિલમાં પ્રવેશ કરતા સર્ષની જેમ ચાવ્યા વિના આહાર કર્યો અને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. તત્પશ્ચાતુ ભગવાન ગૌતમ સ્વામીએ બીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે પહેલા પહોરમાં સ્વાધ્યાય અને બીજા પહોરમાં ધ્યાન કરી ત્રીજા પહોરમાં યાવતુ ભિક્ષા માટે ગમન કરતા પાટલિપંડ નગરમાં દક્ષિણ દિશાના દરવાજાથી પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમણે ખુજલી આદિ રોગોથી યુક્ત તે જ પુરુષને જોયો અને તેઓ ભિક્ષા લઈને પાછા આવ્યા. બાકીનું સર્વ વર્ણન પૂર્વની જેમ જાણવું. ત્યારબાદ ભગવાન ગૌતમ સ્વામીએ ત્રીજીવાર છઠ્ઠના પારણાના નિમિત્તે તે જ નગરના પશ્ચિમ દિશાના દરવાજાથી નગરમાં પ્રવેશ કર્યો તો ત્યાં પણ તેઓએ તે જ પુરુષને જોયો. એ જ રીતે ચોથીવાર છઠ્ઠના પારણા માટે પાટલિપંડના ઉત્તર દિશાના દરવાજાથી તેમણે નજરમાં પ્રવેશ કર્યો ત્યારે પણ તેઓએ તે જ પુરુષને જોયો, જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે, અહો ! આ પુરુષ પૂર્વકૃત અશુભ કર્મોના કડવા ફળને ભોગવતો કેવું દુઃખપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy