________________
૩૧૮
વિવાગસૂર્ય-
૧૩૧ થાવતુ પાછા આવીને તેમણે ભગવાનને સર્વ વૃત્તાંત કહ્યાં હે ભગવન્! તે પુરુષ પૂર્વ ભવમાં કોણ હતો? જે આવા પ્રકારના ભીષણ રોગોથી પીડિત થઈ જીવન વીતાવી રહ્યો છે. હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબૂદ્વીપના ભારતવર્ષ નામના ક્ષેત્રમાં વિજયપુર' નામનું એક ધન, જન-ભવન આદિથી સમૃદ્ધ નગર હતું. તેમાં કનકરથ’ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે કનકરથ રાજાને આયુર્વેદના આઠ અંગોનો જ્ઞાતા, ધન્વન્તરિ નામનો એક વૈદ્ય હતો. આયુર્વેદ સંબંધી આઠ અંગોના નામ નીચે પ્રમાણે છે કૌમારભૃત્ય, શાલાક્ય, શલ્યાહસ્ત, કાયચિકિત્સા, ગુલ, ભૂતવિદ્યા, રસાયણ અને વાજીકરણ, તે વૈદ્ય શુભહસ્ત અને લઘુહસ્ત હતો. તે વૈદ્ય વિજયપુર નગરમાં મહારાજ કનકરથના અન્તઃપુરમાં નિવાસ કરનારી રાણીઓ અને દાસીદાસજનો તથા બીજા ઘણાં દુર્બળ, ગ્લાન, વ્યાધિત, બાધિત, રોગીજનો તેમજ સનાથો, અનાથો તથા શ્રમણો. બ્રાહ્મણો, ભિક્ષુકો, કાપાલિકો તેમજ આતુરોની ચિકિત્સા કરતો હતો. તેમાંથી કેટ લાંકને તો મત્સ્ય-માંસદિનો ઉપદેશ કરતો અને કેટલાંકને ગ્રાહના માંસનો કેટલાંકને મગરના માંસનો અને કેટલાંકને સંસ્કુમાર ના માંસનો અને કેટલાંકને બકરાના માંસનો ઉપદેશ આપતો, આ રીતે ભેડ, ગવય, ડુક્કર, મૃગ, સસલા, ગાયો અને ભેંસોનું માંસ ખાવાનું કહેતો. કેટલાંકને તેતર, બટેરા, લાવરી, કબૂતર, કુકડા અને મોરનું માંસ ખાવાનું કહેતો. આ જ પ્રમાણે બીજા ઘણાં જલચર, સ્થલચર અને ખેચર આદિ જીવોનું માંસ ખાવાનું કહેતો અને પોતે પણ તે મત્સ્ય માંસ ખાવાનું કાવત્ મયૂરરસ યાવતુ ઘણાં જલચર,સ્થલચરઅને ખેચર જીવોના માંસથી તથા મત્સ્યરસ યાવતું મયૂરરસ સાથે પકાવેલ, તળેલા અને ભૂંજલા માંસ સાથે છ પ્રકારની સુરાઆદિ મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન આદિ કરતો સમય વ્યતીત કરતો હતો.
- આ પાતકમય કર્મમાં નિપુણ, પ્રધાન તથા તે ક્રિયાઓને જ પોતાનું જ્ઞાન, વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ માનતો તે ધન્વન્તરિ નામનો વૈદ્ય અત્યંત પાપકર્મોનું ઉપાર્જન કરીને બત્રીસસો વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કાળ કરીને છઠ્ઠી નરક ભૂમિમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારક રૂપે ઉત્પન્ન થયો. તે સમયે સાગરદત્તની ગંગદત્તા નામની પત્ની, જે જાતનિન્દુ હતી. કોઈ એક વખતે મધ્ય રાત્રિએ કુટુમ્બ સંબંધી ચિન્તાથી જાગતી તે ગંગાદત્તા સાર્થવાહિનીના મનમાં જે વિચાર ઉત્પન્ન થયો, હું ઘણાં લાંબા સમયથી સાગરદત્ત સાર્થવાહની સાથે ઉદાર પ્રધાન કામભોગોનો ઉપભોગ કરી રહી છું, પરંતુ મેં આજ સુધીમાં એક પણ જીવતા રહેનાર બાળકને અથવા બાલિકાને જન્મ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું નથી, તેથી તે માતાએ ધન્ય છે તથા તે માતાઓ કૃતાર્થ તેમજ કૃત પુણ્ય છે, તેમજ તેઓએ જ મનુષ્ય સંબંધી જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. જેમની કુક્ષિથી ઉત્પન્ન થયેલ જે પોતાના સ્તનોના દૂધમાં લુબ્ધ, મધુર આલાપ કરનાર, અલિત વચન વાળી, સ્તન મૂળથી કક્ષપ્રદેશ સુધી અભિસરણશીલ તથા અત્યંત સરળ એવા બાળ કોને કમળ સમાન કોમળ હાથોથી પકડીને પોતાનાં ખોળામાં સ્થાપિત કરે છે અને જે બાળકો વારંવાર સુમધુર, કોમળ, વચનો પોતાની માતાને સંભળાવે છે, તે માતાઓને હું ધન્ય માનું છું.
- હું અધન્યા, અપયા, અમૃતપુયા છું, કારણ કે હું આ પૂર્વોક્ત બાલસુલભ એવી ચેષ્ટાઓમાંથી એકને પણ પ્રાપ્ત કરી શકી નથી. હવે મારે માટે એ જ હિતકારક છે કે, કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org