________________
૨૯૮
વિવાગસૂર્ય-૧/૧/૧૦ પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ તે કોઈ સ્થવિર સાધુઓની પાસે ધર્મ સાંભળશે, સાંભળીને મનન કરશે, ત્યાર પછી મુંડિત થઈને અગારવૃત્તિનો ત્યાગ કરી અણગાર ધર્મને પ્રાપ્ત કરશે. તે અણગાર ઇય સમિતિ યુક્ત યાવતું બ્રહ્મચારી થશે. ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પયિનું પાલન કરીને આલોચના અને પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ કરતો સમાધિભાવને પ્રાપ્ત કરીને કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી દેવભવની સ્થિતિ પૂર્ણ થઈ જવા પર ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમ્પન કાળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેનો કલાભ્યાસ, પ્રવ્રજ્યાગ્રહણ યાવતું મોક્ષગમન ઇત્યાદિ બધો વૃત્તાન્ત “ઢ પ્રતિજ્ઞ'ની જેમ જાણી લેવો. | અધ્યયનઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(અધ્યયનઃ ૨-ઉઝિતક [૧૧] ભગવન્! વિપાકશ્રુતના દ્વિતીય અધ્યયનનો મોક્ષસંપ્રાપ્ત શ્રમણ ભગવાનું મહાવીરે શું અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વાણિજગ્રામ નગર હતું. તે નગરમાં ઇશાન ખૂણામાં દુતિપલાશ ચૈત્ય હતું. તે ઉદ્યાનમાં “સુધમ' નામના યક્ષનું એક યક્ષાયતન હતું. મિત્ર રાજા અને તેની શ્રી નામની રાણી હતી. તથા તે નગરમાં અન્યૂન પંચેન્દ્રિય શરીરયુક્ત યાવતુ રૂપવતી, ૭૨ કળાઓમાં પ્રવીણ, ગણિ કાના ૬૪ ગુણોથી યુક્ત, ૨૯ પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી, ૩૧ પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન ૩૨ પ્રકારના પુરુષ સમ્બન્ધી ઉપચારોમાં નિપુણ કામધ્વજા નામની વેશ્યા હતી. તેના પ્રસુપ્ત નવ અંગો જાગૃત હતા. તે ૧૮ દેશી ભાષાઓમાં વિશારદ હતી. તે સુન્દર વેષભૂષા અને શૃંગાર રસનું ઘર બનેલી હતી, તેમ જ ગતિ, રતિ અને ગાન્ધર્વ, નાટ્ય તથા નૃત્ય કળામાં પ્રવીણ, સુન્દર ગમન કરનારી, કુચાદિત સૌન્દર્યથી સુશોભિત, ગતિ, નૃત્ય આદિ કળાઓથી હજાર મુદ્રા પરિમિત શુલ્ક કમાનારી, જેના વિલાસ-ભવન ઉપર ઊંચી ધ્વજા લહેરાઈ રહી હતી, તેને રાજા તરફથી છત્ર, ચામર અને બાલવ્યજન મળ્યા હતા અને જે કણરથમાં ગમનાગમન કર્યા કરતી હતી, તે કામધ્વજા નામની ગણિકા હજારો ગણિકાઓ પર આધિપત્ય કરી ત્યાં રહી હતી.
[૧૨] તે વાણિજગ્રામ નગરમાં વિજય મિત્ર નામનો એક ધનવાનું સાર્થવાહ નિવાસ કરતો હતો.તે વિજય મિત્રને સવગ સંપન્ન સુભદ્રા નામની પત્ની હતી.તે વિજય મિત્રનો પુત્ર અને સુભદ્રાનો આત્મજ ઉઝિતક નામનો એક સવાંગ સંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વાણિજ ગ્રામ નગરમાં પધાર્યા. પર્ષદા નીકળી અને ત્યાંનો રાજા પણ કોણિક નરેશની માફક ચાલ્યો. ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનતા અને રાજા બને પાછા ચાલ્યા ગયા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર ભિક્ષા માટે વાણિજગ્રામનગરામાં ગયા. ઊંચ નીચ બધા ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા રાજમાર્ગ પર પધાર્યા. ત્યાં રાજમાર્ગ પર તેમણે અનેક હાથીઓ જોયો કે જે યુદ્ધને માટે તૈયાર હતા. તે હાથીઓને કવચ પહેરાવ્યો હતા અને તે શરીર રક્ષક, ઉપકરણ, ઝૂલ આદિથી યુક્ત હતા, તેઓના પેટ દ્દઢ બંધનથી બાંધેલા હતા. તેમના ઝૂલાની બન્ને બાજુ મોટા મોટા ઘંટા લટકી રહ્યા હતા, તેમજ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org