SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ ૨૭ ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થવા પર મૃગાદેવીએ જન્માલ્વ યાવત્ અવયવોના આકારમાત્ર રાખનાર બાળકને જન્મ આપ્યો. - હુંડ તથા આંધળા તે બાળકને જોઈને ભયભીત, ત્રસ્ત, વ્યાકુળ તથા ભયથી કાંપતી મૃગાદેવીએ ધાયમાતાને બોલાવીને કહ્યું કે - દેવાનુપ્રિયે ! તમે જોઓ, આ બાળકને લઇ જઈને એકાન્તમાં કોઈ કૂડા-કચરાના ઢગલા પર ફેંકી આવો. ત્યારબાદ તે ધાયમાતા મૃગાદેવીના આ કથનને તથાસ્તુ' - ઘણું સારું, કહીને સ્વીકૃત કરતી જ્યાં વિજય નરેશ હતા ત્યાં આવી અને હાથ જોડીને સર્વ વૃતાંત કહ્યો તે ધાયમાતા પાસેથી આ સંપૂર્ણ વૃત્તાન્ત સાંભળીને વ્યાકુળ થયેલો વિજય નરેશ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મૃગાદેવી પાસે આવ્યો, આવીને તેને આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર! આ તમારો પ્રથમ ગર્ભ છે, જો તમે તેને કોઈ એકાન્ત સ્થાનમાં – અર્થાતુ - કુડા-કચરાના ઢગલા (ઉકરડા) પર ફેકાવી દેશો તો તમારી પ્રજા સ્થિર નહીં રહે. તેથી ફેંકવાને બદલે તમે આ બાળકને ભોંય રામાં રાખીને છૂપી રીતે ભક્તપાનાદિ દ્વારા પાલનપોષણ કરો. એમ કરવાથી તમારી ભાવી પ્રજા ચિરસ્થાયી રહેશે. ત્યારબાદ મૃગાદેવીએ વિજય નરેશના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો - હે ગૌતમ ! આ રીતે મૃગાપુત્ર પોતે કરેલા પૂર્વના પાપકર્મોનું પ્રત્યક્ષ ફળ ભોગવતો સમય વિતાવી રહ્યો છે. [૧૦]- હે ભગવાનું! તે બાળક અહીંથી કાળ કરીને કયાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ મૃગાપુત્ર બત્રીસ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને કાળમાસમાં કાળ કરીને આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્દર ભારત વર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં સિંહરૂપે સિંહકુળમાં જન્મ લેશે તે ત્યાં મહાઅધર્મી અને સાહસિક બનીને વધારેમાં વધારે પાપકર્મોનું ઉપાર્જન કરશે, પછી તે કાળ કરીને આ રત્નપ્રભા નામક એક સાગ રોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પહેલા નરકમાં ઉત્પન્ન થશે. પછી તે ત્યાંથી નીકળીને સીધો સરીસૃપોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી કાળ કરીને ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી બીજી નરકભૂમિમાં ઉત્પન્ન થશે.ત્યાંથી પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાં કાળ. કરીને સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાલી ત્રીજી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સિંહની યોનિમાં પછી કાળ કરીને ચોથી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સંપ ત્યાંથી પાંચમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને સ્ત્રી થશે કાળ કરીને છઠ્ઠી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને મનુષ્ય બનશે અને કાળ કરીને સાતમી નરકભૂમિમાં ત્યાંથી નીકળીને જલચર પંચેન્દ્રિય તિર્યંચોમાં મત્સ્ય, કાચબો, ગ્રાહ, મગર અને સંસમાર આદિ જલચર પંચે ન્દ્રિય જાતિના જે કુલકોટિઓની સંખ્યા સાડાબાર લાખ છે, તેના એક એક યોનિભેદમાં લાખો વાર જન્મ મરણ કરતો એમાં જ વારંવાર ઉત્પન્ન થશે, તત્પશ્ચાતુ ત્યાંથી નીકળીને ચતુષ્પદોમાં - ઉર:પરિસર્પ, ભુજ પરિસર્પ - તથા ખેચર જીવોમાં તેમ જ ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય પ્રાણીઓ તથા વનસ્પતિમાં રહેલો કડવા વૃક્ષો અને કડવા દૂધવાળા વૃક્ષોમાં વાયુ, તેજ, જલ અને પૃથ્વીકાયમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાર બાદ ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં બળદ રૂપે ઉત્પન્ન થશે. જ્યારે તે બાળકપણાને છોડીને યુવાવસ્થામાં આવશે ત્યારે ગંગા નામની મહાનદીના કિનારાની માટીને ખોદતાં નદીનો કિનારો પડી જવાથી પીડિત થતો મૃત્યુનો. પ્રાપ્ત થશે, મૃત્યુને પ્રાપ્ત થયા પછી તે ત્યાંજ સુપ્રતિષ્ઠપુર નામના નગરમાં કોઇ શેઠને ઘરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy