________________
અધ્યયન-૭
૨૦૫ આવીને મારી સામે ઘાત કરવાને ઈચ્છે છે, તો એ પુરુષને પકડવો યોગ્ય છે, એમ વિચાર કરીને તે પકડવા દોડ્યો. ઈત્યાદિ ગુલનીપિતા સંબંધે કહ્યું છે તેમ બધું કહ્યું. પરંતુ અહીં અગ્નિમિત્રા ભાય કોલાહલ સાંભળીને આવે છે અને તેને કહે છે. વિશેષ એ કે સકલાલ પુત્ર અન્તમાં સંલેખના કરી, શરીર ત્યાગી અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયો અને થાવત મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધિ પદ પામશે.
અધ્યયન-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન-૮-મહાશતક) [૪૮] હે જંબૂ! એ પ્રમાણે ખરેખર તે કાળે અને તે સમયે રાજગૃહ નગર હતું. ત્યારે ગુણશીલ નામ ચૈત્ય હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે રાજગૃહ નગરમાં મહાશતક નામે ગૃહપતિ રહેતો હતો. તે ધનવાન અને ધનાઢ્ય હતો. પરંતુ તેણે કાંસમય સહિત આઠ હિરણ્ય કોટિ નિધાનમાં મૂકેલ, કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ વૃદ્ધિમાં વ્યાજે મૂકેલ અને કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ એવાં આઠ વ્રજો હતાં, તે મહાશતકને રેવતી વગેરે તે સ્ત્રીઓ હતી. તે પરિપૂર્ણ અંગવાળી અને સુંદર રૂપવાળી હતી. તે મહાશતકની ભાયી રેવતીને પિતાના ઘરથી આવેલ આઠ હિરણ્યકોટિ અને દશ હજાર ગાયોનાં એક વ્રજના હિસાબે આઠ વકો હતા. બાકીની બાર સ્ત્રીઓને પોતપોતાના ઘરેથી આવેલ એક એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજ હતું.
[૪૯]તે કાળે અને તે સમયે મહાવીર સ્વામી સમોસર્યા. પરિષદ વાંદવાને નીકળી. મહાશતક પણ આનંદની જેમ વંદન કરવાને નીકળે છે અને તેમજ શ્રાવકધર્મને અંગીકાર કરે છે, પરંતુ કાંસ્ય સહિત આઠ હિરણ્યકોટિ અને આઠ વ્રજના પરિમાણનો ઉચ્ચાર કરે છે. આટલી મયદા રાખે છે. તથા રેવતી પ્રમુખ તેર ભાયઓ સિવાય અન્ય શેષ મૈથુનવિધિનો ત્યાગ કરે છે. હંમેશા બે દ્રોણ જેટલી કાંસ્યપાત્રમાં ભરેલી સ્વર્ણ મુદ્રાઓ વડે વ્યવહાર કરવો મને કહ્યું છે. ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક થયો અને તે જીવ અને અજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવત્ વિચરવા લાગ્યો. ત્યાર પછી શ્રમણ ભગ વાન મહાવીર વિહાર કરી ગયા. અને અન્ય જનપદોમાં વિચારવા લાગ્યા.
પિnત્યાર બાદ રેવતી ગૃહપત્નીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે કુટુંબ જાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો એ પ્રમાણે ખરેખર હું બાર પત્નીઓનાં વિઘ્નનાં કારણે મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર મનુષ્ય સંબંધી ભોગવવા યોગ્ય ભોગોને ભોગવવા સમર્થ થતી નથી. માટે આ બારે સપત્નીઓને અગ્નિપ્રયોગ વડે, શસ્ત્રપ્રયોગ વડે અથવા વિષપ્રયોગ વડે જીવનથી મુક્ત કરીને અને તેઓની એકએક હિરણ્યકોટિ અને એક-એક ગાયોના વ્રજ ઉપર સ્વયમેવ કબજે કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગો યાવતું ભોગવવા યોગ્ય છે. રેવતી એમ વિચાર કરે છે, વિચાર કરીને તે સપત્નીઓને મારવા માટે અંતર, અવસર, છિદ્રો અને એકાન્ત જોતી રહે છે. ત્યાર બાદ રેવતી ગૃહપત્ની અન્ય કોઈ દિવસે તે બારે સપત્નીઓનાં છિદ્રો જાણીને છ સપત્નીઓને શસ્ત્ર પ્રયોગથી છ ને વિષપ્રયોગથી મારી નાખે છે. મારીને તે બારે સપત્નીઓનાં પિતૃગૃહથી આવેલ એક-એક હિરણ્યકોટિ અને એક-એક વ્રજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org