________________
[૧૮]
नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ
/12/2Z
s
ઉવાસગ દસાઓ
સાતમું અંગસૂત્ર-ગુર્જરછાયા
SSSSSSSSSSSSSSS
22
S
SSSSSSSSSS
(કઅધ્યયન-૧-આણંદઃ-) [૧] તે કાલે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી. તેનું વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે સમજી લેવું, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું.
[૨]તે કાલે અને તે સમયે આર્ય સુધમસ્વિામી સમોસ- સુધમાં સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી જંબૂ સ્વામીએ તેમની ઉપાસના કરતાં પૂછ્યું, ભગવ અહંન્ત યાવતું નિવણિને પ્રાપ્ત થયેલાં શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાધર્મકથા નામક છઠા અંગનો આ અર્થ કહ્યો છે, જે મેં તમારા પાસેથી સાંભળ્યો છે. તો ઉપાસકદશા નામક સાતમા અંગનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ! શ્રમણ યાવત્ નિવણિને પ્રાપ્ત ઉપાસકદશા નામક સાતમાં અંગના દશ અધયયનો કહેલાં છે.
[]આનંદ, કામદેવ, ગૃહપતિ ચલુનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, ગૃહપતિ કુંડકોલિક, સકડાલપુત્ર, મહાશકિતક, નંદિનીપિતા અને સાહિપિતા.
[૪]હે ભગવાન! ભગવંત મહાવીરે પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
[પહે જંબૂ, તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં દૂતિપલાશચૈત્ય હતું. જિતશત્રુરાજા હતો. તેનું વર્ણન ઉવવાઈ મુજબ.
તે વાણિજ્યગ્રામમાં આનંદ નામક ગૃહપતિ રહેતો હતો. તે સંપન્ન અને બીજા કોઈથી પરાભવ ન પામનાર હતો. તે આનંદ ગૃહપતિને ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકાયેલી હતી. વળી તેને દશ હજાર ગાયોના એક વજના હિસાબે ચાર વ્રજો હતા. તે આનંદ ગૃહપતી ઘણા રાજા ધનિક વગેરે યાવતુ સાર્થવાહોના ઘણા કાર્યોમાં મંત્ર-વિચારોમાં તથા કુટુંમ્બોમાં ગૃહ્ય રહસ્યો, નિશ્ચયો અને વ્યવહારોમાં પૂછવા યોગ્ય, સલાહ લેવા યોગ્ય હતો. પોતાના કુટુમ્બનો પણ આધાર, પ્રમાણભૂત યાવતુ બધા કાર્યોને વધારનાર હતો. તે આનંદ ગૃહપતિને શિવાનન્દા નામે ભાય હતી. તે પરિપૂર્ણ અંગવાળી, યાવતુ સુંદર રૂપવાળી, આનંદ ગૃહપતિને પ્રિય અને આનંદ ગૃહપતિને સાથે અનુરક્ત અને અવિરક્ત થયેલી ઈષ્ટ શબ્દાદિ મનુષ્ય સંબંધી કામ અને ભોગોનો અનુભવ કરતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org