________________
શ્રુતસ્કંધ-૨, વર્ગ-૯
૧૭૯
આઠ અધ્યયનો જાણવા જોઇએ વિશેષતા એ કે પૂર્વભવમાં બે દેવીઓ શ્રાવસ્તી નગરીમાં, બે જણી હસ્તિનાપુર નગ૨માં, બે જણી કાંપિલ્યપુર નગરમાં, બે જણી સાકેત નગરીમાં ઉત્પન્ન થઈ. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજય્ હતું. બધી પાર્શ્વ અરિહંતની પાસે પ્રવ્રુજિત થઇ અને શુક્ર ઇન્દ્રિની અગ્રમહિષી થઈ. તેમની સ્થિતિ સાત પલ્યોપમની કહી છે. બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવત્ સમસ્ત દુઃખોનો અંત ક૨શે.
વર્ગ-૯ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વર્ગઃ ૧૦
[૨૩૮-૨૪૧] ‘હે જમ્મૂ ! યાવત્ સમાં વર્ગના આઠ અધ્યયન પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે :- કૃષ્ણા કૃષ્ણરાજી રામા રામરક્ષિતા વસુ વસુગુપ્તા વસુમિત્રા અને વસુંધરા. આ આઠ ઈશાન દેવલોકની અગ્રમહિષીઓ છે. ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું, યાવત્ ભગવાન સમોસર્યા. પરિષદ નીકળી યાવત્ પર્યુપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કૃષ્ણા દેવી ઇશાન કલ્પમાં, કૃષ્ણાવતંસક વિમાન માં કૃષ્ણ નામના સિંહાસનઉપર સુધમ સભામાં બેઠી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીના સમાન જાણવો. તે જ પ્રમાણે આઠે અધ્યયનનો પણ કાલીના ગમથી જાણવા. વિશેષતા એ કે પૂર્વભવમાં બે બનારસ નગરીમાં, બે રાજગૃહ નગરમાં, બે શ્રાવસ્તી નગરીમાં, બે કૌશામ્બી નગરીમાં ઉત્પન્ન થઇ. દરેકના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મ હતું. દરેક પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઇ. તેઓ પુષ્પચૂલા આર્યને શિષ્યાના રૂપે સોપાણી દરેક ઇશાન ઇન્દ્રની અગ્નમહિષી થઇ દરેકની સ્થિતિ નવ પલ્યોપમની કહેલી છે. દરેક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અન્ત ક૨શે.
આ પ્રમાણે હે જમ્મૂ ! ધર્મની આદિના કર્તા, તીર્થના સ્થાપક, સ્વયંબોધને પ્રાપ્ત, પુરુષોત્તમ યાવત્ સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. ધર્મકથા નામનો બીજો શ્રુતસ્કંધ દશવર્ગોમાં સમાપ્ત થયો.
વર્ગ- ૧૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શ્રુતસ્કંધ - ૨ - ગુર્જરછાયા પૂર્ણ
૬ | નાયાધમ્મકહાઓ-ગુર્જરછાયાપૂર્ણ
અંગસૂત્ર-૬-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org