________________
૧૮૧
અધ્યયન-૧ હતી. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં કોલ્લાક નામે સંનિવેશ- તે સમૃદ્ધિવાળો, નિરુપદ્રવ, દર્શનીય, સુંદર યાવતુ મનને પ્રસન્ન કરનાર હતો. તે કોલ્લાક સંનિવેશમાં આનંદ ગૃહપતિના ઘણા મિત્ર, જ્ઞાતિજનો, સ્વકીય, સ્વજન સંબંધી અને પરિજનો હતાં. તે ધનિક અને સમર્થ હતો.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ નીકળી અને વાંદીને પાછી ગઈ. કોણીકરાજાની પેઠે જિતશત્રરાજા વંદન કરવાને નીકળ્યો. નીકળીને યાવતુ પપાસના કરી. ત્યારપછી આનંદ ગૃહપતિ મહાવીર સ્વામી આવ્યાની આ વાત સાંભળી અરિહંત ભગવંતોનું નામ શ્રવણ પણ મહાફળવાળું છે તો વંદન-નમસ્કાર વગેરેનું શું કહેવું ? માટે હું જાઉં અને યાવતુ તેમની પર્વપાસના કરું, એવો વિચાર કરી શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા લાયક વસ્ત્રો ધારણ કરી અલ્પ અને મહામૂલ્ય અલકારો વડે અલંકૃત શરીરવાળો થઈ પોતાના ઘરથી બહાર નીકળે છે. નીકળીને કોરંટ પુષ્પોથી માળાથી યુક્ત છત્ર ધારણ કરી મનુષ્યોના સમૂહથી વીંટાયેલો, પગે ચાલીને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગમાં થઈને નીકળે છે અને જ્યાં દૂતિપલાશ ચૈત્ય છે અને જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. આવીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર યાવતું પુર્કપાસના કરે છે.
[]ત્યારબાદ શ્રમણ ભગવાનું મહાવીરે આનંદ ગૃહપતિને તથા અત્યંત મોટી પરિષદને ધર્મોપદેશ કર્યો. પરિષદ પાછી ગઈ અને રાજા પણ પાછો ગયો.
[૭]ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્! નિર્ચન્જ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. પ્રતીતિ કરું છું. રુચિ કરું છું. ભગવન્! તમે કહો છો તે એમ જ છે. તેમ જ છે. હે ભગવન્! તે સત્ય છે. હે ભગવન્! એ મને ઇષ્ટ છે. એ મને સ્વીકૃત છે અને ઈચ્છિત અને પ્રતીચ્છિત છે. દેવાનુપ્રિયા આપની પાસે જેમ ઘણા રાજા, યુવરાજો, રાજસ્થાનીય પુરુષો, માંડલિકો, કૌટુમ્બિકો, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહો વગેરે મુંડ થઈને ગૃહ નિવાસથી નીકળી મુનિ થયા તેવી રીતે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવામાં સમર્થ નથી. હું પાંચઅણુવ્રત અને સાતશિક્ષાવ્રત આવી રીતે બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરીશ. ભગવાને કહ્યું. જેમ સુખ ઊપજે તેમ કરો- પ્રતિબન્ધ ન કરો.
[૮]ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણભગવંતમહાવીરની પાસે પ્રથમ સ્કૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું કે હું યાવત્ જીવન મન વચન અને કાયા વડે સ્થૂલ પ્રાણાતિપાતનું આચરણ નહિ કરું અને નહિ કરાવું. પછી તે સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે કે હું યાવતું જીવન બે કરણ ત્રણ યોગમન વચન કાયા થી મૃષાવાદ કરું નહિ, કરાવું નહિ પછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે. જીવનપર્યત દ્વિવિધ ત્રિવિધ-મન વચન અને કાયા વડે અદત્તાદાન નહિ કરું અને નહિ કરાવું.પછી સ્વદારસન્તોષ સંબંધી પ્રત્યાખ્યાન કર્યું. એક શિવાનન્દના પત્ની સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુન વિધિનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ઈચ્છાનું પરિમાણ કરતો હિરણ્ય અને સુવર્ણનું પરિમાણ કરે છે. ચાર હિરણ્યકોટિ નિધાનમાં, ચાર હિરણ્યકોટિ વ્યાજમાં અને ચાર હિરણ્યકોટિ ગૃહ અને ગૃહોપકરણના વિસ્તારમાં રોકેલી છે. તે સિવાય બાકીના હિરણ્ય-સુવર્ણ વિધિનો ત્યાગ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org