________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ કુટુંબને વિષે, મંત્ર, ગુપ્ત કાર્ય, એકાંત કાર્યને, નિશ્ચયને વિષે એકવાર અને વારંવાર પૂછવા લાયક હતો. મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, અલંબનભૂત, અશુભૂત, સર્વ કાર્યોમાં સર્વ ભૂમિકાઓમાં અવિસંવાદી વચનવાળો, રાજ્યની ધુરાને ધારણ કરનારા હતો. શ્રેણિક રાજાના રાજ્ય, દેશ, કોશ, કોઠાર, સૈન્ય, વાહન, નગર અને અંતઃપુર વગેરેની સંભાળ રાખતો હતો. ' '[૧૧-૧૨] તે શ્રેણિક રાજાને ધારિણી નામની દેવી હતી તે શ્રેણિક રાજાને ઇષ્ટ હતી યાવતુ સુખ ભોગવતી સુખે રહેતી હતી. ત્યાર પછી તે ધારિણી દેવી કોઈ સમયે પોતાના ભવનમાં ઉત્તમ શય્યા ઉપર સૂતી હતી તેમાં ઘરની બહારના ભાગમાં સુંદર કોમળ વિશિષ્ટ સંસ્થાનવાળા ઉપર થાંભલા શ્રેષ્ઠ શાલભંજિકા - પૂતળીઓ બનેલી હતી. ઉજ્જવળ ચંદ્રકાન્તાદિક મણિઓ, સુવર્ણ અને કર્કતનાદિક રત્નોના શિખર, કપોત પાલી, ગવાક્ષ અર્ધચંદ્ર આકારવાળા પગથિયા; નિહક, અંતર, કણકાલી, ચંદ્રશાળા આદિ ઘરના વિભાગોની સુંદર રચનાથી યુક્ત ભવન હતું. સ્વચ્છ ગેરથી તેમાં ઉત્તમ રંગ કરેલ હતો. બહારથી ઘોળેલું અને કોમળ પથ્થર વગેરે વડે ઘસીને કોમળ કરેલ હતું. જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવેલ હતું. વિવિધ પ્રકારના પચરંગી મણિઓ અને રત્નોથી ભૂમિતલ બાંધેલ હતું. પદ્મના આકારવાળી, અશોકાદિક, પુષ્પપ્રધાન લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ઠ પુષ્પોની જાતિ વડે તેના ઉલ્લોચનું તળીયું ચિતરેલું હતું. તેના દ્વાર ભાગોમાં માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશો સારી રીતે સ્થાપિત કરેલા અને ચંદનથી ચર્ચિત અને મુખ ઉપર સરસ પાવડે આચ્છા દિત કરેલા હતા. પ્રતરક સુવર્ણના અલંકારોથી અને મણિ તથા મોતીની માળાઓથી સારી રીતે તેના દ્વાર સુશોભિત હતા. તે ભવનમાં સુગંધી શ્રેષ્ઠ પુષ્પોવડે કોમળ અને પદ્મલ શવ્યાનો ઉપચાર કરવામાં આવેલો હતો. તે મન અને દયને આનંદ આપનાર હતો. કપૂર, લવિંગ, મલયજ, ચંદન, કાળા ગુરૂ, ઉત્તમકંદુક, તરૂષ્ક અને અનેક સુગંધિત દ્રવ્યોના સંયોગથી બનેલ ધૂપનાં જલવાથી ઉત્પન્ન થયેલ મઘમઘાતી ગંધથી રમણીય હતો. તેમાં ઉત્તમ ચૂર્ણની ગંધ પણ વિદ્યમાન હતી. સુગંધની અધિકતાના કારણે તે ગંધ દ્રવ્યની ગુટિકાની જેમ દેખાતો હતો. મણિ-ઓના કિરણોવડે ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. ઘણું કહેવાથી શું? તે વાસગૃહ કાંતિ અને ગુણવડે દેવના ઉત્તમ વિમાનનો પરાજય કરનારો હતો.
તે વાસગૃહમાં એક ઉત્તમ શય્યા હતી. તેમાં શરીર પ્રમાણ લાંબુ ઓશિકું હતું બન્ને બાજુ ઓશીકા મુકેલા હતાં તેથી બન્ને બાજુએ તે શય્યા ઊંચી હતી. મધ્યભાગમાં નમેલી હોવાથી ગંભીર ઉંડી હતી. ગંગા નદીના કાંઠાની રેતીની જેમ તેમાં પગ મુકવાથી પગ ઉંડો ખેંચી જાય તેવી કોમળ હતી. સાફ ધોયેલું ક્ષૌમ-રેશમી અને દુકૂલ-રૂના કે અતસીના વસ્ત્રનો જોટો તેના પર આચ્છાદન કરેલો હતો. આસ્તરક, મલક, નવત, કુશક્ત, લિબ અને સિંહ કેસર વગેરે વિવિધ ઓછાડ વડે તે આચ્છાદિત હતી. જ્યાં સુધી તેનું સેવન ન કરવામાં આવે ત્યાં સુધી તેના ઉપર સુંદર બનાવેલ રજસ્ત્રાણ રહેતું હતું. તેના ઉપર મચ્છરદાની હતી. તે અતિશય રમણીય હતી. તેનો સ્પર્શ આજિનક ચામડાનું વસ્ત્ર, રૂબૂર, માખણ, અને આકડાના રૂ જેવો કોમલ હતો; આવા પ્રકારની શથ્થામાં, મધ્યરાત્રિના સમયે કાંઈક સૂતેલી અને કાંઇક જાગેલી હોવાથી વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org