SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧/૮ થયેલ છે, જેને શ્રદ્ધો, સંશય, કુતૂહલ વિશેષ પ્રકારે શ્રદ્ધા, વિશેષ પ્રકારે સંશય, તેવા જંબૂસ્વામી ઉભા થયા, ઉભા થઇને જે સ્થળે આર્ય સુધર્મા સ્થવિર હતા ત્યાં આવે છે, આવીને આર્ય સુધર્મા સ્થવિરની ત્રણ વખત દક્ષિણ દિશાથી પ્રદક્ષિણા કરે છે. વંદન નમીને આર્યસુધર્મા સ્થવિરની ન અતિ દૂર કે ન અતિ નજદીક, સાંભળવાની ઇચ્છાવાળા નમસ્કાર કરી, તેમની સન્મુખ બે હાથ જોડી વિનય પૂર્વક પર્યાપાસના કરતા આ પ્રમાણે બોલે છે. હે ભગવંત ! શ્રુત ધર્મની આદિના કરનારા, ચતુર્વિંધ તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળે જ બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન શૂરવીર, પુરુષોમાં ઉત્તમ કમલ જેવા સુંદર, પુરુષોમાં ઉત્તમ ગંધ હસ્તિ સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકહિત કરનારા; લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોતના કરનારા, અભયદાન આપનારા, શરણને આપનારા, જીવોને શ્રદ્ધા રૂપ ચક્ષુને આપનારા, ધર્મમાર્ગને બતાવનારા, બોધિને આપનારા, ધર્મને આપનારા, ધર્મની દેશના આપનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મને વિષે શ્રેષ્ઠ, ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી સમાન, અપ્રહિત શ્રેષ્ઠ કેવલજ્ઞાન દર્શનના ધારક, રાગાદિને જીતનારા, બીજા પ્રાણીને જીતાડનારા, સંસાર સાગરથી પોતે તરેલા, બીજા પ્રાણીઓને તારનારા, તત્ત્વને જાણનારા, બોધ કરાવનારા, કર્મ બંધનથી મુકાયેલા, અન્ય પ્રાણીઓને કર્મથી મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી સર્વ ઉપદ્રવ રહિત, અચલ, અરોગી, અનંત,અવ્યાબાધ જ્યાંથી પાછું આવવાનું નથી એવી સિદ્ધ ગતિને પામેલા એવા શ્રમણ ભગવાન્ મહાવીરે છઠ્ઠા અંગનો એટલે કે જ્ઞાતા ધર્મકથાનો શું અર્થ કહ્યો છે ? જંબૂ ! છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ પ્રરૂપેલા છે.તે આપ્રમાણે જ્ઞાતા અને ધર્મકથા. જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ મોક્ષને પામેલા પ્રભુએ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધો પ્રરૂપેલ છે જેમ કે જ્ઞાત ઉદાહરણો અને ધર્મકથા તો હે ભગવંત ! પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાતાના કેટલા અધ્યયનો કહ્યાં છે ? હે જંબૂ ! શ્રમણ યાવત્ શાશ્વત સ્થાનને પામેલા ભગવાન્ મહાવીર સ્વામીએ જ્ઞાતાના ઓગણીશ અધ્યયન કહેલા છે તે આ પ્રમાણે-ઉત્ક્ષિપ્ત જ્ઞાત સંઘાટક અંડક કૂર્મ શૈલક તુંબ રોહિણી મલ્લી માર્કદી ચંદ્રમા દાવદ્રવ ઉદક મંડૂક તેતલી નંદીકૂલ અવરકંકા આકીર્ણ સુષમા પુંડરીક શાત. [૯-૧૦] ભગવંત ! જો શ્રમણ યાવત્ શાશ્વત સ્થાનને પામેલા ભગવાન મહાવી૨ સ્વામીએ જ્ઞાત શ્રુતસ્કન્ધના ઓગણીશ અધ્યયનનો કહ્યાં છે તે આ પ્રમાણે ઉત્ક્ષિપ્તજ્ઞાત યાવત્ પુંડરીકજ્ઞાત સુધી તો પ્રથમ અધ્યયનનો હે ભગવંત ! શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળ અને તે સમયે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત નામના વર્ષ (ક્ષેત્ર) માં દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગર હતું. ગુણશૈલચૈત્ય હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો, તે મોટા હિમવંત પર્વત સમાન હતો ઈત્યાદિ વર્ણન સમજી લેવું. તે શ્રેણિક રાજાને નંદાનામની દેવી હતી. તેના હાથ-પગ અતિ કોમળ હતાં વગેરે તે શ્રેણિકનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભય કુમાર હતો. સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત યાવત્ સ્વરૂપવાન હતો. તે કુમાર સામ, દંડ, ભેદ, દાન આ ચાર પ્રકારની રાજનીતિને અને વ્યાપાર નીતિની વિધિને સારી રીતે જાણનારો હતો. નૈગમાદિ નયને જાણનારો, ઈહા, અવાય, માર્ગણા, વેષણા તથા અર્થ શાસ્ત્રમાં કુશલ હતો. ઔત્પત્તિક, વૈયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિવાળો હતો. શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં; Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy