________________
૧૩૪
નાયાધમ્મ કહાઓ- ૧/-/૧૬/૧૫૯ છું. આ પ્રમાણે કહીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પ્રાપ્ત થઈને તે મૃત્યુને પ્રાપ્ત થયા. ત્યાર પછી ધર્મઘોષ મુનિએ ધર્મરુચિ અણગારને લાંબા સમયથી ગયેલા જાણીને નિગ્રંથ શ્રમણોને બોલાવ્યા; બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! ધમરુચિ અણ ગારને યાવતુ તેલાવાળું કડવા તુંબડાનું શાક મળ્યું હતું તેને પરઠવા માટે તે બહાર ગયા છે. ઘણો સમય થઈ ગયો છે તેથી હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મરુચિ અણગારની સર્વ સ્થાને માર્ગણા- કરો. ત્યારે શ્રમણનિગ્રંથોએ પોતાના ગુરુના આદેશને અંગીકાર કર્યો.બહાર નીકળ્યા નીકળીને ચારેતરફધર્મરુચિ અણગારની માર્ગણા-ગવેષણા કરતાં થકાં જ્યાં ચંડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા. આવીને જોયું તો ધર્મચિ અણગારનું શરીર નિપ્રાણ, નિષ્પષ્ટ અને નિર્જીવ પડ્યું હતું તેને જોઈને તેઓના મુખમાંથી સહજ શબ્દો નીકળી ગયાહાહા ! અહો ! આ અકાર્ય થયું છે, ખરાબ થયું છે.” આમ કહીને તેઓએ ધર્મરુચિ અણગારના કાળધર્મ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને ધર્મરુચિ અણગારના આચાર ભાંડક (પાત્ર) ગ્રહણ કર્યા અને જ્યાં ધર્મઘોષ નામના સ્થવિર હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને બોલ્યા
આપનો આદેશ મેળવીને અમે સુભૂમિભાગ ઉદ્યાનની ચારે તરફ ધર્મરુચિ અણ ગારની યાવતું દરેક રીતે તપાસ કરતાં સ્પંડિલ ભૂમિમાં ગયા, જઈને યાવતુ જલ્દીથીજ અહીં પાછા આવ્યા. હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળ ધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચાર પાત્ર છે. ત્યાર પછી સ્થવિર ધર્મઘોષે પૂર્વ દિશામાં ઉપયોગ લગાડ્યો. ઉપયોગ લગાડીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને બોલાવ્યા. બોલાવીને તેઓને કહ્યું-હે આર્યો ! આ પ્રમાણે મારો અંતેવાસી ધર્મચિ નામક અણગાર સ્વભાવથી ભદ્ર વાવતુ વિનીત હતા. તે માસખમણની તપસ્યા કરી રહ્યા હતા. યાવતુ તે નાગશ્રી. બ્રાહ્મણીના ઘરે પારણાને માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ તેમને પાત્રમાં યાવતું બધુજ કડવું વિષ સમાન હૂંબનું શાક નાખી દીધું. ત્યારે ધર્મરુચિ અણગાર પોતાના માટે પયપ્તિ આહાર જાણીને યાવતુ કાલની આકાંક્ષા ન કરતા થકા વિચારવા લાગ્યા. ધર્મરુચિ અણગાર ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પયય પાળીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઈને કાલ માસમાં કાળ કરીને, ઉપર સૌધર્મ આદિ દેવલોકને ઓળ ગીને યાવતુ સવર્થસિદ્ધ નામના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત એક જ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલ છે. તે ધર્મચિ દેવ ત્યાંથી શ્રુત થઈને યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
[૧૬] તેથી હે આર્યો ! તે અધન્ય, અપુણ્ય, યાવતું લિંબોળીની સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે, જેણે તથા રૂપ સાધુ ધર્મરુચિ અણગારને મા ખમણના પારણામાં શરદુ સંબંધી યાવતુ તેલથી વ્યાપ્ત કડવા તુંબનું શાક આપીને અસમયમાં જ મારી નાંખ્યા. ત્યારે તે નિગ્રંથ શ્રમણોએ ધર્મઘોષ સ્થવિરની પાસેથી આ વૃત્તાન્ત સાંભ ળીને અને સમજીને ચંપા નગરીના હ્રજ્ઞાટક આદિમાગમાં જઈને યાવતુ ઘણા લોકોને આ વાત કહી ઘણા લોકો પણ આપસમાં આ વાતચીત કરવા લાગ્યા. તે બ્રાહ્મણો ચંપા નગરીમાં ઘણા લોકો પાસેથી તે વૃત્તાન્ત સાંભળીને અને સમજીને કુપિત થયા યાવતુ ક્રોધથી લાલ થઈ ગયા - બળવા લાગ્યા. તેઓ જ્યાં નાગશ્રી હતી ત્યાં પહોંચ્યા. તેઓએ નાગશ્રીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org