________________
#
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૩૩
નાખવાને માટે હષ્ટ-તુષ્ટ થઇ અને તે ઉભી થઈ. ઉભી થઇને તે ભોજનગૃહમાં ગઇ. ત્યાં જઇને તેણીએ તે શરદ ઋતુ સંબંધી તીખું અને કડવું ઘણાં તેલવાળું બધું જ શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. ત્યાર પછી તે ધર્મરુચિ અણગાર આહાર પર્યાપ્ત છે’ એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા. તેણે ધર્મઘોષ સ્થવિર પાસે ઇર્ષ્યાપથ પ્રતિક્રમણ કર્યું. અન્નપાનનું પ્રતિલેખન કર્યું અને ગ્રહને બતાવ્યું ત્યારે ધર્મઘોષ સ્થવીરે તે સુભૂમિ ૠતુ સંબંધી તેમજ તેલથી વ્યાપ્ત શાકમાંથી એક બુંદ હાથમાં લઇને ચાખ્યું. ત્યારે તે શાક તીખું, ખારું, કડવું, અખાદ્ય, અભોજ્ય અને વિષની સમાન જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું.-‘હે દેવાનુપ્રિય, જો તમે આ તૂંબડાનું શાક ખાશો તો તમે અસમય માંજ જીવથી રહિત જાશો. તેથી હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને આ શરદ ૠતુ સંબધી તૂંબડાનું શાક એકાંતમાં, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠવી દો. તેને પરઠવીને પછી બીજા પ્રાસુક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને ગ્રહણ કરીને તેને ભોગવો. ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરને એમ કહેવા ૫૨ ધર્મચિ અણગાર ધર્મઘોષસ્થવિર પાસેથી. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનની અધિક દૂર નહીં તેમજ અધિક અધિક નજીક નહીં એવા થંડીલની પ્રતિલેખના કરીને શાકની એક બુંદ લીધી અને તે ભુભાગ ઉપર નાંખી. ત્યાર પછી તે તીખા કડવા અને તેલથી વ્યાપ્ત શરદ સંબંધી શાકની ગંધથી ઘણી હજારો કીડીઓ ત્યાં આવી ગઇ. તેમાંથી જે કીડીઓએ શાક ખાધું. કે તરતજ તે અસમયમાં મૃત્યુ પામી.
ત્યાર પછી ધર્મરુચિ અણગારના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. કે જો શાકનું એક બુંદ નાંખવા પર અનેક હજાર કીડીઓ મરી ગઇ તો હું બધું જ શાક ભુમિ ઉપર નાંખીશ તો તો તે ઘણા પ્રાણીઓ, જીવો, ભુતો અને સત્ત્વોના વધનું કારણ થશે. તેથી શાકને ખાઇ જવું મારા માટે શ્રેયસ્કર છે. આ શાક મારા શરી૨ને જ સમાપ્ત કરશે. અણગારે એવો વિચાર કરીને મુખવસ્તિકાનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન કરીને મસ્તક સહિત ઉપરના શરીરનું પ્રમાર્જન કર્યું. તે શરદ સંબંધી તૂંબડાનું તીખું કડવું અને ઘણાં તેલથી વ્યાપ્ત શાક સ્વયંજ બિલમાં સર્પની જેમ પોતાના શરીરના કોઠામાં નાંખી દીધું. ધર્મચિ અણગારના શરીરમાં એક મુહૂર્તમાં જ વેદના ઉત્પન્ન થઇ તે વેદના ઉત્કૃષ્ટ હતી યાવત્ દુસ્સહ હતી. શાક પેટમાં નાંખ્યા પછી ધર્મરુચિ અણગાર સ્થાનથી રહિત, બલ હીન, વીર્યથી રહિત, તથા પુરુષકાર અને પરાક્રમથી હીન થઇ ગયા હવે આ શરીર ધારણ નહિ કરી શકાય, એમ જાણીને તેણે આચારનું પાત્ર એક સ્થાન પર રાખી દીધું. તેણે રાખીને સ્થંડિલભૂમિનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરીને તેણે દર્ભનો સંથારો કર્યો. અને તે તેના પર બેસી ગયા. પૂર્વ દિશાની તરફ મુખ રાખીને પર્યંક આસનથી બેસીને બંને હાથ જોડીને મસ્તકપર આવર્તન કરીને અંજલી કરીને આ પ્રમાણે કહ્યું
‘અરિહંતો યાવત્ સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર. મારા ધર્મગુરુ ધમ ચાર્ય સ્થવિરભગવંત ધર્મઘોષમુનિને નમસ્કાર. પહેલાં મેં સ્થવિર ભગવાન ધર્મઘોષની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતનું જીવન પર્યંતને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. યાવત્ પરિગ્રહના પણ, આ સમયે પણ હું તેજ ભગવંતોની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું. જીવન પર્યંત જેમ સ્કંધક મુનિએ કર્યો તેમ અહીં પણ જાણી લેવું. યાવત્ અંતિમ શ્વાસોચ્છ્વાસ સાથે આ શરીરનો પણ પરિત્યાગ કરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org