________________
૧૦૨
નાયાધમ કહાઓ - ૧૯/૧૧૦ તે ચંપા નગરીની બહાર ઉત્તરપૂર્વ દિશામાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપા નગરીમાં માકંદી નામનો સાર્થવાહ રહેતો હતો. તે યાવતું સમૃદ્ધિશાળી હતો. તેની ભદ્રા નામની ભાર્યા હતી. તે ભદ્રાભાઈની કુક્ષીએ ઉત્પન બે સાર્થવાહ પુત્રો હતા. જિનપા લિત ને જિનરક્ષિત તે બંને માકંદી પુત્ર એક વાર કોઈ સમયે એકઠા થયા. તો આપસમાં આ પ્રમાણે કથા સમુલ્લાપ થયો. આપણે લોકોએ પોતાવહનથી લવણ સમુદ્રને અગી યાર વાર અવગાહન કરેલ છે. દરેક વખતે આપણે અર્થ-ધનની પ્રાપ્તિ કરેલ છે. કરવાં યોગ્ય કાર્ય કર્યું અને પછી શીઘ્રતાથી વિઘ્ન વિના પોતાના ઘરે આવ્યાં.તોહેદેવાનુપ્રિયા ! બારમીવાર પણ પોતવહનથી લવણ સમુદ્રમાં અવગાહન કરવું આપણા માટે સારું રહેશે. આ પ્રમાણે વિચાર કરીને હે માતા-પિતાઃ અમે આપની અનુમતિ લઈ બારમી વાર લવણસમુદ્રમાં જવા ઇચ્છીએ છીએ. ઇત્યાદિ.
તયાર પછી માતા-પિતાએ તે માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું - હે પુત્રો ! આ તમારા બાપ-દાદા આદિના દ્વારા ઉપાર્જિત પ્રચુરધન છે. તે ભાવતું ભોગવવા તેમજ વહેંચવા કરવાને માટે પર્યાપ્ત છે, તેથી પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુ દાયવાળા ભોગોને ભોગવો, વિઘ્ન-બાધાઓથી યુક્ત અને જેમાં કંઈ આલંબન નથી, એવા લવણ-સમુદ્રમાં ઉતરવાથી શું લાભ છે? હે પુત્રો બારમી યાત્રા સોપસર્ગ પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બંને બારમી વાર લવણ સમુદ્રમાં પ્રવેશ કરો નહી. જેથી તમારા શરીરને વ્યાપત્તિ ન થાય. ત્યાર પછી માકંદી પુત્રઓએ માતા-પિતાને બીજીવાર અને ત્રીજીવારપણ આ પ્રમાણે કહ્યું માતા પિતા જ્યારે તે માકંદ પુત્રોને સામાન્ય કથન અને વિશેષ કથનના દ્વારા સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે ઈચ્છા ન હોવા છતાં તેઓએ તેની અનુમતિ આપી. ત્યાર પછી માતા-પિતાના અનુમતિ પામેલ માકંદીપુત્રો ગણિમ ધરિમ, મેય અને પરિચ્છેદ ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અહંન્નકની જેમ લવણ સમુદ્રમાં અનેક સેંકડોં યોજન સુધી ચાલ્યા ગયા
[૧૧૧] ત્યાર પછી તે માકંદી પુત્રોનો અનેક સેંકડો યોજન સુધી અવગાહન કરી જવા પર સેંકડો ઉત્પાત ઊત્પન્ન થયા. તે ઉત્પાત્ત આ પ્રમાણે છે - અકાળમાં ગર્જના થવા લાગી. યાવતું અકાલમાં સ્વનિત શબ્દ થવા લાગી. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી. ત્યાર પછી તે નૌકા પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી. વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાયમાન થવા લાગી. વારે વાર સંક્ષુબ્ધ થવા લાગી. પાણીના તીક્ષ્ણ વેગથી વારંવાર ટકરાવા લાગી. હાથથી જેમ જમીન પર દડો પછડાય તેમ જગ્યાએ – જગ્યાએ ઉંચી નીચી થવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થઈ છે એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે તે પ્રમાણે તે ઉપર ઉછળવા લાગી. અને વિદ્યાથી ભ્રષ્ઠ વિદ્યાધર કન્યા જેમ આકાશ તલથી નીચે પડે છે તે પ્રમાણે તે નૌકા પણ નીચે પડવા લાગી. જેમ મહાન ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયના મારી ભાગે છે, તે જ રીતે તે પણ આમ તેમ દોડવા લાગી. માતા-પિતા દ્વારા જેનો અપરાધદુરાચાર જાણી લીધો છે એવા સજ્જન પુરુષના કૂળની કન્યાની જેમ નીચે નમવા લાગી. તરંગોના સેકંડો પ્રહારોથી તાડિત થઈને તે થરથરવા લાગી જેને પતિ મૃત્યુ પામ્યો હોય તેવી નવવધૂ જેમ આંસુ વહાવે છે તેમ પાણીથી ભીંજાયેલ ગ્રંથિઓમાંથી ઝરનારી જળધારાના કારણે તે નૌકા પણ જાણે રમશ્રપાત કરતી હોય તેમ લાગતું હતું. પર ચક્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org