________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮
૧૦
પર આરૂઢ થઇને સમસ્ત ઋદ્ધિની સાથે યાવત્ ગીત વાજિંત્રના શબ્દોની સાથે જ્યાં મલ્લી અરિહંત હતા ત્યાં આવ્યા યાવત્ તેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અરિ હંતે તે મોટી પરિષદને. કુંભ રાજાને અને જિતશત્રુ પ્રકૃતિ રાજાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. પરિષદ જે દિશામાઁથી આવી હતી તે દિશામાં ચાલી ગઇ, કુંભરાજા શ્રમણો પાસક થયા તે પણ પાછા ગયા. પ્રભાવતી દેવી શ્રમણોપાસિકા બની તે પણ પાછી ગઇ.
ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને કહ્યું- ભંતે ! આ સંસાર આદીપ્ત છે પ્રદીપ્ત છે.’ ઇત્યાદિ યાવતુ તે દીક્ષિત થઈ ગયા ચૌદ પૂર્વના જ્ઞાની થયા પછી અનન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને યાવત્ સિદ્ધ થયા. ત્યાર પછી મલ્લી અરિહંત સહસ્રામવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને જનપદમાં વિહાર કરવા લાગ્યા. મલ્લી અરિહંતના ભિષક આદિ અઠ્ઠાવીસ ગણ અને અટ્ઠાવીસ ગણધર થયા. મલ્લી
અરિહંતની ચાલીસ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર આર્થિકાઓની સંપદા હતી. મલ્લી અરિહંતોની ૧૮૪૦૦૦ શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની ૩૬૫૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. મલ્લી અરિહંતની છસો ચૌદપૂર્વી સાધુઓની, ૨૦૦૦ અવધિજ્ઞાનીઓની ૩૨૦૦ કેવળજ્ઞાની ૩૫૦૦ વૈક્રિયલબ્ધિધારી, આઠસો મન:પર્યવજ્ઞાની ચૌદસો વાદી અને ૨૦૦૦ અનુત્તરોપપાતિક સાધુઓની સંપદા હતી.
મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ થઇ. તેમાંથી શિષ્યપ્રશિષ્ય આદિ વીસ પુરુષો રુપ યુગો સુધી અર્થાત્ વીસમા પાટ સુધી યુગાંતકર ભુમિ થઇ. અને બે વર્ષની પર્યાય થવા ૫૨ પર્યાયાન્તકર ભુમિ થઇ ભવ પર્યાયનો અંતકરનાર મોક્ષે જનાર સાધુ થયા. મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઉંચા હતા તેમના શરીરનો વર્ણીપ્રયંગુની સમાન હતો. સમચતુરસ્ર સંસ્થાન અને વજીૠષભન રાચ સંહનન હતું. તે મધ્ય દેશમાં સુખે-સુખે વિચરીને જ્યાં સમ્મતશેખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેઓએ સમ્મેદશૈલના શિખરપર પાદોપગમન અનશન અંગીકાર કર્યો. મલ્લી અરિહંત એકસો વર્ષ ગૃહવાસમાં રહ્યા સો વર્ષ કમ પંચાવન હજાર વર્ષ કેવળી પર્યાય પાળીને આ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પાળીને-પૂર્ણ કરીને ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષ અને ચૈત્રમાસની શુકલ પક્ષની ચોથની તીથિમાં ભરણી નક્ષત્રનો યોગ ચંદ્રની સાથે થવા૫૨ અર્ધરાત્રિના સમયે અત્યંતર પરિષદ્ની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે નિર્જલ એક માસના અનેશન પૂર્વક બંને હાથ લાંબા રાખીને વેદનીય આયુ નામ અને ગોત્ર કર્મ ક્ષીણ થવા ૫૨ સિદ્ધ થયા. જમ્બુદ્બીપ- પ્રજ્ઞાપ્તિમાં વર્ણિત નિર્વાણ મહોત્સવ અહીં પણ કહેવો. જોઈએ .
અધ્યયન – ૮ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
અધ્યયન-૯-મા કંદી
[૧૧૦]શ્રમણ યાવત્ નિણિને પ્રાપ્ત ભગવાન્ મહાવીરે આઠમા જ્ઞાતાધ્યા યનનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન્ ! નવમા જ્ઞાત અધ્યયનો શું અર્થ પ્રરૂપેલું છે ? હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં ચંપાનગરી હતી. કોણિક રાજા હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org