SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નાયાધમ્મ કહાઓ - ૧/-/૮/૧૦૬ [૧૦૬] ત્યાર પછી જ્યારે મલ્લી અરિહંત મનોરમા શિબિકા ઉપર આરૂઢ થયા તે સમયે તેમની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. જમાલિના નિર્ગમનની જેમ વર્ણન કરવું જોઇએ. ત્યાર પછી મલ્લી અરિહંત જ્યારે દીક્ષા ધારણ કરવાને માટે નીકળ્યા ત્યારે કોઈ કોઇ દેવોએ મિથિવા નગરીને પાણીથી સિંચી દીધી. સાફ કરી દીધી અને અંદર તથા બહાર ની વિધિ કરીને યાવત્ ચારે તરફ દોડધામ કરવા લાગ્યા. મલ્લી અરિહંત જ્યાં સહસામ્રવન નામક ઉદ્યાન હતું અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું. આવીને શિબિકાથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને સમસ્ત આભરણોનો ત્યાગ કર્યો. પ્રભાવતી દેવીએ તે આભરણો ગ્રહણ કર્યો. ત્યાર પછી મલ્લી અરિહંતે સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે શક્ર, દેવેન્દ્ર, દેવરાજે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પ્રક્ષેપ કરી દીધા. ૧૦૦ મલ્લી અરિહંતે સિદ્ધોને નમસ્કાર હો, આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું જે સમયે અરિહંત મલ્લીએ ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્ધોષ વાઘો ની ધ્વનિ અને ગાવા-વગાડવાના શબ્દો શકેન્દ્રના આદેશથી એકદમ બંધ થઇ ગયા. તેથી ચારિત્રગ્રહણ સમયે પૂર્ણ નીરવતા વ્યાપ્ત થઇ ગઇ. જે સમયે મલ્લી અરિહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે મલ્લી અરિહંતને મનુષ્ય ધર્મથી ઉપરનું મનુષ્ય ક્ષેત્ર સંબંધી ઉત્તમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મલ્લી અરિહંતે હેમવન્ત ઋતુના બીજા માસમાં, ચોથા પખવાડીયામાં, અર્થાત્ પોષ માસના શુકલ પક્ષ માં અને પોષ માસની પક્ષની એકાદશીના પક્ષમાં પૂર્વાણ કાળના સમયમાં, નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને આશ્વિની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત થવા ૫૨ ત્રણસો અત્યંતર પરિષદ્ની સ્ત્રીઓની સાથે અને ત્રણસો બાહ્ય પરિષા પુરૂષોની સાથે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી. મલ્લી અરિહંતનું અનુસરણ કરીને આ આઠ જ્ઞાત કુમારો દીક્ષિત થયા, તે આ પ્રમાણે છે ઃ - [૧૦૭] નન્દ, નિન્દિમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને આઠમા મહાસેન આ આઠ જ્ઞાત કુમારો એ દીક્ષા અંગીકાર કરી. [૧૦૮] ત્યાર પછી ભવનપતિ, વાણવ્યંતર જ્યોતિષ્ક, અને વૈમાનિક આ નિકાય નાદેવોએ મલ્લી અરિહંતોને દીક્ષામહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતો. ત્યાં આવ્યા.આવીને અષ્ટાલિકામહોત્સવ કર્યો,યાવોત-પોતાનાસ્થાને ચાલ્યા ગયા. મલ્લી અરિહંતને જે દિવસે દીક્ષા અંગીકાર કરી તેજ દિવસે દિવસના અંતિમ ભાગમાં શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટકની ઉપર બેઠા હતા. તે સમયે શુભ પરિણામોના કારણે પ્રશસ્ત અધ્યવસાયોના કારણે વિશુદ્ધ અને પ્રશસ્ત લેશ્યાઓના કારણે તદાવરણ કર્મની ૨જને દૂર કરનાર અપૂર્વ કરણને પ્રાપ્ત થયેલા અરિહંત મલ્લીને અનન્ત યાવત્ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ઉત્પતિ થઇ. [૧૦૯] તે કાળ અને તે સમયમાં બધા દેવોના આસન ચલાયમાન થયા. ત્યાર તે બધા ત્યાં આવ્યા. બધાએ ધર્મોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઇને અષ્ટાહિનકા મહોત્સવ કર્યો. પછી જે દિશાથી પ્રગટ થયા હતા દિશામાંપાછા ગયા. કુંભ રાજા પણ વંદના કરવાને માટે નીકળ્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ પોત-પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ૫૨ સ્થાપિત કરીને હજાર પુરુષોદ્વાર વહન કરાય તેવી શિબિકાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy