SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શતક-૩, ઉદેસી-૪ કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે - કૃષ્ણ, નીલ, અને કાપોતલેશ્યાવાળામાં અથતુ જે જેની વેશ્યા, તેની તે વેશ્યા કહેવી. એ પ્રમાણે બીજા પણ પ્રશ્નો કરવા યાવતું - હે ભગવન્! જે જીવ, જ્યોતિષિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જીવ, જેવી વેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણેઃ- તેજલેશ્યાવાળાઓમાં. હે ભગવન્! જો જીવ વૈમાનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેવી લેયાવાળાઓમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે છે તેવી વેશ્યાવાળામાં તે, ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે તેજલેશ્યાવાળાઓમાં, પાલેશ્યાવાળાઓમાં અને શુક્લલેશ્યાવાળાઓમાં. [૧૮૮] હે ભગવનું ! ભાવિતાત્મા. અનગાર, બહારનાં પગલોનું ગ્રહણ કર્યા સિવાય વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુગલોનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે, પ્રલંઘી શકે છે? હે ગૌતમ! હા, તે. તેવી રીતે તેમ કરવા સમર્થ છે. હે ભગવતુ ! ભાવિતાત્મા અનગાર, બહારનાં ૫દૂગલોનું ગ્રહણ કર્યા સિવાય, જેટલાં રૂપો રાજગૃહ નગરમાં છે, તેટલાં રૂપોને વિકૃર્વ વૈભાર પર્વતમાં પ્રવેશ કરી તે સમ પર્વતને વિષમ કરી શકે? કે તે વિષમ પર્વતને સમ કરી શકે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, એજ રીતે બીજો આલાપક પણ કહેવો. વિશેષ એ કે, પુદ્ગલોનું ગ્રહણ કરીને પૂર્વ પ્રમાણે કરી શકે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! શું માથી મનુષ્ય વિકુવણ કરે કે અમાયી મનુષ્ય વિકુર્વણ કરે.? હૈ ગૌતમ ! માથી મનુષ્ય, પ્રણીત એવું પાન ભોજન કરે છે, એવું ભોજન કરી કરીને વમન કરે છે. તે પ્રણીત પાન ભોજનદ્વારા તેના હાડ અને હાડમાં રહેલી મજ્જા તે ઘન થાય છે તથા તેનું માંસ અને લોહી પાતળા થાય છે. વળી તેના તે ભોજનના) જે યથાબાદર પગલો છે તેનું તેને તે તે રૂપે પરિણમન થાય છે. તે આ પ્રમાણેઃ- શ્રોત્રેઢિય- પણે યાવત્-સ્પર્શેદ્રિયપણે, તથા હાંડપણે, હાડની મજ્જાપણે, કેશપણે, શ્મશ્રપણે, રોમપણે, નખપણે, વીર્યપણે અને લોહિપણે (તે પુદ્ગલો) પરિણમે છે. અને અમાથી મનુષ્ય તો લૂખું એવું ભોજન કરે છે, એવું ભોજન કરીને તે વમન કરતો નથી. તે લૂખા પાન ભોજનદ્વારા તેનાં હાડની મજા પાતળા થાય છે અને તેનું માંસ અને લોહી ઘન થાય છે તથા તેના જે યથાબાદર પુદ્ગલો છે તેનું પણ તેને પરિણમન થાય છે. તે આ પ્રમાણે છેઃ- ઉચ્ચારપણે. મૂત્રપણે અને વાવતુ-લોહિપણે. તો તે કારણથી યાવતઅમાથી મનુષ્ય વિદુર્વણ કરતો નથી ? માયી, તે કરેલી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે માટે તેને આરાધના નથી અને અમાવી, તે પોતાની ભૂલવાળી પ્રવૃત્તિનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, [શતક-૩-નાઉદેસા-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ ઉદ્દેશકપ) [૧૮૯] હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, બહારનાં પુદ્ગલોને લીધા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવતુ-પાલખી રૂપને વિદુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy