SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉદ્દેસો-૧ ૧૫ સિદ્ધો ન કહેવા. નૈરયિકોની પેઠે વાનવ્યંતરો અને યાવતુ- વૈમાનિકો જાણવા. લેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે કહેવા. કૃષ્ણલેશ્યાવાળા અને નીલલેશ્યાવાળા જીવો પણ સામાન્ય જીવોની પેઠે જાણવા. વિશેષ એ કે :- અહીં તે સામાન્ય જીવોમાંનાં પ્રમત્ત અને અપ્રમત્ત જીવો ન કહેવા તથા તેજોલેશ્યા- પદ્મલેશ્યાવાળા અને શુલ્કલેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે જાણવા તેમાં વિશેષ એ કે-તે જીવોમાંના સિદ્ધો અહીં ન કહેવા. [૨૩] હે ભગવન્ ! જ્ઞાન ઇહવિક છે, પારભવિક છે કે તદ્રુભયભવિક છે ? હૈ ગૌતમ ! જ્ઞાન ઇહભવિક પણ છે, પારભવિક પણ છે અને તદુભયભયક પણ છે. દર્શન પણ એજ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! ચારિત્ર ઇહભાવિક છે, પારભવિક છે કે તદુભયભવિક છે ? હે ગૌતમ ! ચારિત્ર ઇહભવિક છે, પણ પારભવિક કે તદુભયભવિક ચારિત્ર નથી એ પ્રમાણે તપ અને સંયમ પણ જાણવા. [૨૪] હે ભગવન્ ! શું અસંવૃત અનગાર સિદ્ધ થાય છે, બોધ પામે છે, મૂકાય છે, નિર્વાણ પામે છે, સર્વ દુઃખોનો અંત કરે છે ? હે ગૌતમ ! આ અર્થ ઠીક નથી. હે ભગવન્ ! તે કયા કારણથી યાવત્ અંતને નથી કરતો ? અસંવૃત અનગાર આયુષ્યને છોડીને શિથીલ બંધને બાંધેલી સાતે કર્મપ્રકૃતિઓને ઘનબંધને બાંધેલી કરવાનો આરંભ કરેછે, હ્રસ્વ-અલ્પકાળ સ્થિતિવાળીને દીર્ઘકાળ સ્થિતિવાળી કરવાનો આરંભ કરે છે, મંદ અનુભાગવાળીને તીવ્રઅનુભાગવાળી કરવાનો આરંભ કરે છે. અલ્પ-થોડા- પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરવાનો આરંભ કરે છે. અને આયુષ્યકર્મનો તો કદાચિત્ બાંધે છે, તેમ કદાચિત્ બાંધતો પણ નથી. અશાતાવેદનીયકર્મને તો વારંવા૨ એકઠું કરે છે, તથા અનાદિ, અનંત, દીર્ઘમાર્ગવાળા, ચારગતિવાળા, સંસા૨ારણ્યને વિષે પર્યટન કરે છે. ગૌતમ ! તે કારણથી અસંવૃત અનગાર સિદ્ધ થતો નથી, યાવત્-સર્વ દુઃખોનો અંત-નાશ કરતો નથી. હે ભગવન્ ! સંવૃત અનગાર સિદ્ધ થાય છે. યાવત્-સર્વ દુઃખોના અંતને કરે છે ? હે ગૌતમ ! હા, સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંતને કરે છે. હે ભગવન્ ! તે કયા અર્થથી-હેતુથી ? હે ગૌતમ ! સંવૃત્ત અનગાર આયુને છોડીને ગાઢ બંધને બાંધેલી સાતકર્મપ્રકૃતિઓને શિથિલબંધને બાંધવાનો, દીર્ઘલાંબાકાળની સ્થિતિવાળીને હ્રસ્વ-થોડા-કાળની સ્થિતિવાળી કરવાનો, તીવ્ર અનુભાગવાળીને મંદ અનુભાગવાળી કરવાનો અને બહુ પ્રદેશાગ્રવાળીને અલ્પ પ્રદેશાગ્રવાળી કરવાનો આરંભ કરે છે આયુષ્યકર્મને બાંધતો નથી. તથા અશાતાવેદનીય કર્મનો વારંવાર ઉપચય પણ કરતો નથી. માટે અનાદિ, અનન્ત, મોટા-લાંબા માર્ગવાળા, ચાતુરન્ત, ચાર પ્રકારની ગતિવાળા-સંસારરૂપી અરણ્યનું ઉલ્લંઘન કરે છે, હે ગૌતમ ! તે કારણથી ‘સંવૃત અનગાર સિદ્ધ થાય છે’ યાવત્-સર્વ દુઃખોનો અંત કરે છે, એ પ્રમાણે કહેવાય છે. [૨૫] હે ભગવન્ ! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મ કર્મ હણ્યાં અને વર્જ્ય નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે ? હે ગૌતમ ! કેટલાક (જીવો) દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી; હે ભગવન્ ! અહીંથી ચ્યવીને યાવત્-પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળા કેટલાક -પરલોકમાં-દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી; તેનું શું કારણ ? હે ગૌતમ ! જે જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાનિ, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ તથા સન્નિવેશમાં અકામ તૃષ્ણાવડે, અકામ ક્ષુધાવડે, અકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy