SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આયારો - ૨/૨/૩/૪૨૧ ૭૮ ઉપાશ્રય મળી પણ જાય, તો પણ સાધુની આવશ્યક ક્રિયાને યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે કારણ કે સાધુ ચર્ચાવાન, કાયોત્સર્ગ કરનાર, એકાંતમાં સ્વાધ્યાય કરનાર તથા શય્યા સંસ્તા૨ક અને પિંડપાત ની શુદ્ધ ગવેષણા કરનાર છે. તેથી ઉક્ત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. એમ કેટલાક સરલ, નિષ્કપટી તેમજ મોક્ષપથગામી ભિક્ષુ ઉપાશ્રયના દોષ બતાવે છે. કેટલાક ગૃહસ્થ સાધુની સાથે છળ કરે છે, અને કહે છે કે આ મકાન ઉપર છત પહેલા કરેલ હતી, આપને માટે નથી કરી. ત્યાર પછી આ ખાલી રાખેલ છે, અથવા આ ભાગમાં આવેલ છે, અથવા તમે તેને જો ઉપયોગમાં લેશો નહિ તો ખાલી પડ્યું રહશે. આવા પ્રકારના ગૃહસ્થના છલ-કપટો સાધુ સમજે અને સ્થાનને દૂષિત જાણી તેનાં દોષો કહી દે. શિષ્ય પૂછે છે કે સ્થાનના દોષ કહી દેનાર મુનિ શું સમ્યક્ વક્તા છે ? આચાર્ય કહે છે- હા વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સમ્યક્ વક્તા છે. [૪૨૨] સાધુ અને સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય નાનો છે. નાના દરવાજા વાળો છે. અથવા નીચો છે, કે બીજા અતિથિના સામાનથી રોકાયેલ છે, તો આવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રિએ અથવા વિકાળે, નીકળતા કે પ્રવેશ કરતાં આગળ હાથ પ્રસારીને પછી પગ સાવધાની પૂર્વક મૂકીને બહાર નીકળવું કે પ્રવેશવું જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે આવો ઉપાશ્રય કર્મબંધનનું કારણ છે. કેમકે તેવા ઉપાશ્રયમાં અન્યતીર્થિકો અથવા બ્રાહ્મણાદિના છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડીઓ, વસ્ત્ર, મૃગછાલ, પડદો, ચામડાની કોથળી, ચામડા કાપવાના ઓજાર, અવ્યવસ્થિત જ્યાં ત્યાં વિખરાયેલાં હોય, અને સાવધાની રાખ્યા વિના સ્ખલિત થતો સાધુ રાત્રે અથવા વિકાલે ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે; તો કાં લપસી પડે, લપસતો કે પડતો પોતાનો હાથ-પગ ભાંગે અને પ્રાણી, ભૂત જીવ, સત્વની હિંસા કરે. એટલા માટે સાધુનો એજ પૂર્વોપદિષ્ટ આચાર છે, કે તેને તેવા ઉપાશ્રયમાં આગળ હાથ પ્રસારીને પાછળ પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું જોઇએ. [૪૨૩] સાધુ સારી રીતે વિચારીને ધર્મશાળામાં સ્થાનની યાચના કરે. ત્યાં સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી કાર્યકર્તા હોય, તેઓ પાસે સ્થાનની યાચના કરતાં કહે કે હે આયુષ્યમન્ ! તમારી આજ્ઞાનુસાર સમ અને ભૂભાગ સુધી અમે અહિંયા નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે-ભલે આયુષ્યમન્ બ્રાહ્મણ ! અહિંયા નિવાસ કરો. ત્યારે મુનિએ કહેવું જોઇએ કે જેટલા સ્વધર્મી સાધુઓ આવશે તે પણ અહીંયા રહેશે. અને ત્યાર બાદ સમયપૂર્ણ થતાં અમે બધા અન્યત્ર વિહાર કરીશું. [૪૨૪] સાધુ-સાધ્વી જેના સ્થાન-મકાનમાં રહે, તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે ન મળે તો પણ ચાર પ્રકારનો આહાર લેવો તે અપ્રાસુક છે. જો તે આપે તો પણ ગ્રહણ કરવો ન જોઇએ. [૪૨૫]સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો સમજે કે આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિકાય જલકાયથી યુક્ત છે, તેમાં પ્રજ્ઞાવાન સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ, વાચના કે મનન ચિંતનાદિમાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ,શય્યા-આસન આદિ ન કરવા જોઈએ અને સ્વાધ્યાય માટે પણ ન બેસવું જોઈએ. [૪૨૩]સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો જાણે કે ગૃહસ્થના ઘર વચ્ચેથી આવાગમન કરવાનો માર્ગ છે. અને આવવા જવામાં પ્રતિબંધ થાય છે. સ્વાધ્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy