SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદેસો-ર ૭૭ પ્રતીતિ અને રૂચિ કરતા શ્રમણો, બ્રાહ્મણ યાવત દરિદ્રોની ગણના કરી કરીને, તેના માટે મકાન બનાવે છે, જેમ શાળા યાવત ગૃહ આદિ. મુનિ જો એવી શાળા અથવા ગૃહ આદિ-માં નિવાસ કરે છે, એક બીજાના આપેલામાં રહે છે, તો તે મહા વર્ષ વતિ છે. ૪િ૧૮]આ સંસારમાં પૂર્વ આદિ દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાશીલ એવા હોય છે, જેઓ સાધુના આચાર ગોચર જાણતા નથી. તે ગૃહસ્થ શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરતા(પાંચ પ્રકારના-નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવિક ) શ્રમણોને માટે મકાન બનાવે છે, જેમકે શાળા, યાવતું ગૃહ આદિ, જે સાધુ આવી ગૃહ આદિ કોઈ પણ પ્રકારના ગૃહુર્થીના આપેલ નિવાસસ્થાનમાં નિવાસ કરે છે તે સાવઘક્રિયા વસતિ છે. ૪૧૯આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં કોઈ કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ તથા તેમના નોકર-ચાકર આદિ હોય છે. તેઓને સાધુના આચાર ગોચર સમ્યકુ-રીતે જ્ઞાત. નથી હોતા. તેઓ સાધુ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા થકા કોઈ એક સાધુના. ઉદ્દેશ્યથી, શાળા યાવતું ભવન, ગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાનું સમારંભ કરીને તથા અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો મહાન સમારંભ કરીને મહાન સંરંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકર્મોનું આચરણ કરીને, જેમકે તેને આચ્છાદિત કરીને લીંપીને બેઠક અથવા દ્વાર બંધ કરીને, (શાળા આદિ તૈયાર કરાવે છે.) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિ સળગાવેલી હોય છે, જે સાધુ આવા પ્રકારની શાળા આદિમાં રહે છે, એક-બીજાના દાન ભેટ આપેલામાં રહે છે, તેઓ દ્વિપક્ષક્રિયાનું સેવન કરે છે, અર્થાત્ સાધુ થઈને પણ ગૃહસ્થની જેમ કાર્ય કરે છે. આયુષ્યમનુ આ મહાસાવધ ક્રિયા નામની વસતી છે. [૪૨]આ જગતમાં પૂર્વઆદિ ચારે દિશાઓમાં (યાવતુ) સાધુઓ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ અને ઐચિ રાખતા કોઈ કોઈ ગૃહસ્થ-પોતાને માટે મહાન પૃથ્વીકાયનો સમારંભ કરીને, અપકાય યાવતુ ત્રસકાયનો સમારંભ સંરંભ અને આરંભ કરીને મકાન બનાવે છે. ત્યાં સચિત્ત પાણી હોય છે. આગ સળગતી રહે છે.જે મુનિ આવા સ્થાનમાં જાય છે, એક-બીજાના આપવાથી તેમાં ઉતરે છે, તે એકપક્ષી કર્મનું સેવન કરે છે. હે આયુષ્યનું ! આ અલ્પસાવદ્ય ક્રિયા વસતિ છે. (તેમાં રહેવામાં દોષ નથી. પૂર્વોક્ત નવ પ્રકારની વસતિઓમાં અભિક્રાંતક્રિયાવાળી અને અધ્યપક્રિયાવાળી વસતિ સાધુને ઉતરવા યોગ્ય છે, શેષ સાત અયોગ્ય છે.) આ મુનિનો તથા આયનો આચાર છે. તેનું યથાવિધિ પૂર્ણરૂપથી પાલન કરતા મુનિએ સંયમમાં યતનાશીલ થવું જોઈએ. | અધ્યયનઃ૧-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૨-ઉદેસોઃ ૩) [૪૨૧] અહીં આહારપાણીની તો સુલભતા છે. પરંતુ નિર્દોષ ઉપાશ્રય દુર્લભ છે. કારણ કે સાધુ માટે કોઇક સ્થાનમાં છત બનાવેલ હોય છે, તો વળી કોઈ સ્થાન લીધેલ હોય, ક્યાંક સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય અને વળી કોઈક જગ્યાએ દ્વાર નાના-મોટા કર્યા હોય, ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠીન છે. અને બીજી વાત એ છે કે શય્યાતરનો આહાર સાધુને કલ્પતો નથી, અને જો ન લે તો ઘણા શય્યાતર ગૃહસ્થો રુષ્ટ થઈ જાય છે. જો ક્યારેક ઉક્ત દોષોથી રહિત Jajn Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy