SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૨, ઉદેસો-૩ આદિમાં વિબ પડે છે, તેવા ઉપાશ્રયમાં બુદ્ધિમાનું સાધુએ શય્યા, સ્વાધ્યાય, આદિ માટે નિવાસ કરવો ન જોઈએ.. [૪ર૭સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે અહીં ગૃહસ્થ, ગૃહસ્થ-પત્ની પુત્રી, પુત્રવધૂ, યાવતુ, કર્મચારિઓ આદિ લડાઈ ઝઘડા કરે છે. યાવતુ મારપીટ કરે છે અને ધર્મચિંતનમાં વિદ્ધ થાય છે. તો બુદ્ધિમાનું સાધુએ ત્યાં નિવાસ-આદિ કરવો ન જોઈએ. [૪૨૮]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતું તેની કર્મચારિણીઓ પરસ્પર તેલ, માખણ, ઘી અથવા ચરબીથી શરીરનું માલિશ કરે છે. અથવા લગાવે છે. તેથી ધર્મ ચિંતનમાં બાધા થાય છે, તો એવો ઉપાશ્રયમાં સાધુએ નિવાસાદિ કરવો ન જોઈએ. [૪૨૯સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પરમાં સ્નાન, સુગંધિત પદાર્થ, લોધ્ર, ચૂર્ણ પા આદિ લગાવે છે, મસળે છે, મસળીને મેલ ઉતારે છે. પીઠી ચોળે છે, અથવા એવી કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે જેથી ધર્મધ્યાનમાં બાધા પડે છે, તો બુદ્ધિમાનું મુનિએ એવા ઉપાશ્રયમાં નિવાસ, શય્યા, સ્વાધ્યાય આદિ ન કરવા જોઈએ. - ૪૩૦]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પર શીતલ જલથી કે ગરમ જલથી, અધિક જલ લઈને જલ ઉછાળી શરીર સાફ કરે છે, એક બીજા પર સીંચન કરે છે, સ્નાન કરાવે છે, તેવા ઉપાશ્રયને ધર્મધ્યાનમાં બાધક જાણી, બુદ્ધિમાનું સાધુ તેમાં નિવાસ આદિ ન કરે. [૪૩૧ સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત કર્મચારિણીઓ આદિ નગ્ન થઈને સ્થિત છે અથવા નગ્ન થઈને છૂપાયેલ છે, એકાન્તમાં મૈથુન સેવન કરે છે, અથવા કોઈ ગુપ્ત વિચાર કરે છે, તેવા ઉપાશ્રયને ધર્મ ધ્યાનમાં બાધક સમજી મુનિ ત્યાં નિવાસ આદિ ન કરે. [૪૩]સાધુ સાધ્વી જે ઉપાશ્રયને ચિત્રવાળો જાણે અને તે ચિત્રોમાં સ્ત્રી આદિ દેખીને પહેલા કરેલ વિષય કીડાનું સ્મરણ થાય, ધર્મધ્યાનમાં વિઘ્ન પડે એમ સમજી એવા ઉપાશ્રયમાં બુદ્ધિમાન મુનિ નિવાસ આદિ ન કરે. જે સંસ્તારક ડાથી યાવતુ કરોળિયાના જાળા આદિથી યુક્ત હોય તો એવા પ્રકારના સંસ્મારકને દૂષિત જાણીને મળે તોય ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ યા સાધ્વી જે સંથારાને ઈડા આદિથી રહિત જાણે પરન્તુ જો વજનદાર હોય તો તેને મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વી સંથારો ઈંડા આદિ યાવત કરોળિયાના જાળા આદિથી રહિત પ્રતીત હોય પરન્તુ અપડિહારી હોય, અર્થાત તેના સ્વામી પાછું લેવા ઈચ્છતા ન હોય, એવો સંથારો મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વીને જે સંથારો ઈડાથી યાવતુ જાળા આદિથી રહિત પ્રતીત હોય, હલકા પણ હોય, પડિહારી પણ હોય, પરંતુ સારી રીતે બનાવેલ ન હોય-ટૂટી જાય અથવા વિખાઈ જાય, કે ડગમગતું હોય, તે મળે તોય ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈડા તથા જીવ-જંતુઓ આદિથી રહિત, હલકા પડિહારી અને ઠીક બનાવેલ જાણે, અને તે જો દાતા આપતા હોય તો ગ્રહણ કરે. [૪૩૪]આ પૂર્વોક્ત દોષો ને ત્યાગી સાધુ, સંસ્તારકની એષણાની આ ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy