SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૭, ૩૪૩ નિષાદ સ્વર-મસ્તકથી નીકળતો સ્વર. આ સાત સ્વરસ્થાન જાણવા જોઇએ.સાત પ્રકારના જીવોથી સાત સ્વર નિકળે છે. યથા-જ સ્વર મયૂરના કંઠથી, ઋષભ સ્વર કુકુટના કંઠથી, ગાંધાર સ્વર હંસના કંઠથી, મધ્યમ સ્વર ઘેટાના કંઠથી,પંચમ સ્વર કોયલના કંઠથી, ધૈવત સ્વર સારસ અથવા કૉચના કંઠથી, અને નિષાદ સ્વર સાથીના કંઠથી નીકળે છે. સાત પ્રકારના અજીવ પદાથોંથી નીકળવાવાળા સાત સ્વર. જેમકેપન્ન સ્વર-મૃદંગથી, ઋષભસ્વર–રણશીંગડાથી ગાંધારસ્વર-શંખથી, મધ્યમ સ્વરઝાલરથી, પંચમ સ્વર ગોધિકા વાદ્યથી,ધૈવત સ્વર ઢોલથી, અને નિષાદસ્વરમહાભેરીથી નીકળે છે. [૬૧૫-૬૨૨] સાત સ્વરવાળા મનુષ્યોના લક્ષણો આ પ્રમાણે છે. જેમકે-ષડ્રેજ સ્વરવાળા મનુષ્યને આજીવિકા સુલભ થાય છે. તેનું કાર્ય નિષ્ફળ નથી જતું. તેને ગાયોની, પુત્રોની અને મિત્રોની પ્રાપ્તિ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સેનાપતિ બને છે. તેને ધનલાભ થાય છે. તથા વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન આદિ પ્રાપ્ત થાય છે. ગાંધાર સ્વરવાળા-ગીત-યુક્તિશ, પ્રધાન-આજીવિકાવાળા, કવિ કલાઓનો જ્ઞાતા, પ્રજ્ઞાશીલ અને અનેક શાસ્ત્રોનો જ્ઞાતા થાય છે. મધ્યમ સ્વરવાળો-સુખથી ખાઈ પીએ છે અને દાન આપે છે. પંચમ સ્વરવાળારાજા શૂરવીર, લોકસંગ્રહ કરવાવાળા અને ગણનાયક હોય છે. ધૈવત સ્વરવાળાશાકુનિક, ઝગડાળ, વાગરિક, શૌકરિક અને મચ્છીમાર હોય છે. નિષાદ સ્વરવાળાચાંડાલ, અનેક પાપકર્મોને કરવાવાળા અથવા ગોઘાતક હોય છે. [૬૨૩-૬૨૯] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહેલ છે. જેમકે-જે ગ્રામ, મધ્યમ ગ્રામ, ગાંધાર ગ્રામ. પજ ગ્રામની મધ્યમ સાત મૂછનાઓ હોય છે. જેમકે-ભંગી, કૌરવીય, હરિ, રજની, સારકાન્તા, સારસી, શુધ્ધષજ. મધ્યમ ગ્રામની સાત મૂછનાઓ હોય છે. જેમકે-ઉત્તમ મન્દા, રજની, ઉત્તરા, ઉત્તરાસમા, અશોકાન્તા, સૌવીરા અભીરુ ગાંધાર ગ્રામની સાત મૂછનાઓ છે. જેમકે-નંદી, ક્ષત્રિમા, પુરિમા, શુધ્ધ ગંધારા, ઉત્તરગંધારા, સુઠુતર આયામ નિયમથી છઠ્ઠી જાણવી અને સાતમી ઉત્તરાયના અથવા કોડીમાના નામે છે. [૬૩૦-૬૩૮] આ સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેય-ગીતની કઈ યોનિ હોય છે? કેટલા સમયના ઉચ્છવાસો પ્રમાણ છે? તથા ગેયના કેટલા આકરો છે? સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે. અને ગીત રુદિતયોનિ વાળું છે. છંદનો પાદ બોલવામાં જેટલો કાલ લાગે તેટલો સમય ગીતના ઉચ્છવાસો હોય છે, અને ગીતના ત્રણ આકારો છે મંદ સ્વરથી આરંભ કરે મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે, અને અંત ભાગમાં ગીત ધ્વનિને મંદ કરતો થકો હોય છે. આ ત્રણ ગેયના આકાર ગેયના છ દોષો, આઠ ગુણો ત્રણ વૃત્તો અને બે ભણિતિઓને જે સમ્યગૂ પ્રકારથી જાણે તે સુશિક્ષિત વ્યક્તિ રંગમાં ગાઈ શકે છે. ગાનના છ દોષો આ પ્રમાણે છે- ભયભીત થઈને ગાવું.શીઘ્રતાપૂર્વક ગાવું. સંક્ષિપ્ત કરીને ગાવું. તાલબદ્ધ નહિ ગાવું. કાક જેવા સ્વરથી ગાવું. નાકથી ઉચ્ચારણ કરતા થકા ગાવું. ગાનના આઠ ગુણો આ પ્રમાણે છે-પૂર્ણ હોય, રક્ત હોય,અલંકૃત હોય, વિસ્વર ન હોય, મધુર હોય, સ્વર સહિત હોય, સુકુમાર હોય. ગાનના બીજા આઠ ગુણો હોય છે જેમકે-ઉરવિશુદ્ધ, કંઠ વિશુદ્ધ અને શિરોવિશુદ્ધ ગીત, ગવાય મૃદુઅને ગંભીર સ્વરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy