SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અંતરાય ધાતકર્મ ચોથું છેદતા પ્રભુકેવળી સર્વજ્ઞ ભાવે ગુણ પ્રભાવે વસ્તુ કલના સવીકળી પ્રથમ મોહનો ક્ષય થતાં આવરણો પણ જાય. જ્ઞાન અને દર્શન તણા, અંતરાય દૂર થાય, કર્મચાર થી સર્વ એ આત્મ પ્રદેશ વિમુકત પ્રગટ થાય કેવળ નહીં જ્ઞાન દર્શન યુકત. [10]નિષ્કર્ષ-આસૂત્ર સૌથી મહત્વની બાબત હોય તો એ છે કે સર્વપ્રથમમોહનો ક્ષય થાય છે. અને મોહનો ક્ષય થવાથી જબાકીના જ્ઞાનાદિત્રણનો ક્ષય થાય છે. અર્થાત્ સર્વકર્મનીજડરૂપ કર્મ હોય તો મોહનીય છે. કષાય એમોહનીયનો એક ભાગ છે. અને સૂત્રકારે પણ આઠમા અધ્યાયમાં #Sાયત્વીીવ: મેળો યોધ્યાત્રિાનો એમ કહેલું છે. આ વાત પરથી સૂત્રનો એ નિષ્કર્ષતો સ્મરણીય જ છે કે વ્યવહારમાં જ્ઞાનાવરણના ક્ષયોપશમથી, જીવને વિશેષ જ્ઞાન સંભવી શકે છે. એવું કહેવાય પણ છે કે અમુક માણસને જ્ઞાનનો ક્ષયોપશમ ખૂબજ સારો છે. પણ કેવળ જ્ઞાન અર્થાત સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ માટે તો મોહનીયના ક્ષય સાથે દર્શનાવરણ અને અંતરાય ના ક્ષય પૂર્વકનો જ્ઞાનાવરણ ક્ષય જ કેવળજ્ઞાન અપાવી શકે છે. 0 0 0 0 0 (અધ્યાયઃ૧૦-સૂત્રઃ૨) U [1]સૂત્રહેતુ-કર્મનો આત્મત્તિક ક્ષય કઈ રીતે થાય? તેના કારણોને જણાવે છે. I [2] સૂત્રકમૂળ વહેવાનિર્વાગામ U [3]સૂત્ર પૃથક-વન્ય - દેd - માd –નિરામ્યમ્ |[4] સૂત્રસાર-બંધ હેતુઓના અભાવથી અને નિર્જરાથી [કર્મનો આત્મજિકક્ષય થતા -કેવળજ્ઞાન,કેવળદર્શન ને પ્રાપ્ત કરે છે.] U [5]શબ્દજ્ઞાનઃવહેતીમાવ-બંધના હેતુઓનો અભાવ હોવો તે. નિર્જરાખ્યામ-નિર્નર-કર્મનું ખરી જવું. સ્થા-દ્વિવચન સૂચવે છે. [6]અનુવૃત્તિ-સૂત્ર ૧૦:૧મોત્સયા- થીયામ્ પદોની અનુવૃત્તિઅહીંલેવી. U [7]અભિનવટીકા - એક વખત બંધાયેલું કર્મ કયારેક તો ક્ષય પામે જ છે, પણ તે જાતનું કર્મ ફરી બંધાવાનો સંભવ હોય અગર તે જાતનું કોઈ કર્મ હજી શેષ-બાકી હોય, ત્યાં સુધી તે કર્મનો આત્મત્તિક ક્ષય થયો છે એમ ન કહેવાય. આત્મત્તિક ક્ષય એટલે પૂર્વબધ્ધ કર્મનો ક્ષય અને નવા કર્મને બાંધવાની યોગ્યતાનો અભાવ. મોક્ષની સ્થિતિ કર્મના આત્મત્તિક ક્ષય વિના સંભવતીજ નથી તેથી એવા આત્યન્તિક ક્ષયના કારણોને પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ રજૂ કરે છે. આવા કારણો બે *દિગમ્બર આખાયમાં અન્યત્વપનામ $ વપ્રમોલોમોલ- એ પ્રમાણે સંયુક્ત સૂત્ર જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005040
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 10
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy