SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરાવર્તન કરે. પ્રથમ સંઘયણ વાળા પૂર્વધરો જ આ સંયમ સ્વીકારી શકે છે. આ ચારિત્રનો સ્વીકાર કરવાના અધિકારી બે પ્રકારે કહ્યા છે - (૧)તીર્થંકર પરમાત્મા પાસે ચારિત્ર ગ્રહણ કરનારા અથવા (૨)તીર્થંકર પરમાત્મા પાસે જેમણે ચારિત્રહણ કર્યું છે તેમની પાસે ચારિત્રગ્રહણ કરનારા આચારિત્ર ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં અને બે પાટ પરંપરા સુધી જ હોય છે. જેમ કે આ તીર્થમાં જબૂસ્વામીના નિર્વાણ બાદ આ ચારિત્રનો વિચ્છેદ થયો. ૩- આત્માની વિશેષ પ્રકારે શુધ્ધિ કરવા માટે વિશેષ પ્રકારના આચાર તપવાળું ચારિત્ર તેને પરિહાર વિશુધ્ધિ ચારિત્ર જાણવું. ૪-પરિહાર એટલે ત્યાગ. અર્થાત ગચ્છનાત્યાગ વાળો જે તપ વિશેષ. અને તેનાથી થતી ચારિત્રની વિશુદ્ધિ-વિશેષ શુધ્ધિ, તે પરિવાર વિશુધ્ધિ. છમાસ પર્યન્તતપ કરનારા પરિણારી અથવા નિર્વિશમાન કહેવાય. વૈયાવચ્ચ કરનારા અનુપદારી કહેવાય અને ગુરુ તરીકે સ્થાપેલ મુનિ વાનીવાર્ય મુનિ કહેવાય. આ ચારિત્ર સ્ત્રીઓ [સાધ્વીઓ અંગીકાર કરી શકતા નથી. જ સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર - ૧-જેમાં ક્રોધઆદિકષાયો ઉદયમાં હોતા નથી, ફક્તલોભનો અંશ અતિસૂક્ષ્મપણે હોય છે તે સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર. ર-સૂક્ષ્મ સમ્પરાય શબ્દમાં સૂક્ષ્મ અને સમ્પરાય બે શબ્દો છે સમ્પરાય એટલે લોભ. જયારે ચાર કષાયોમાં કેવળ લોભજ હોય અને તે પણ સૂક્ષ્મ હોય [-અતિ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આ ચારિત્ર હોય છે. સૂક્ષ્મલોભને કર્મગ્રન્થની પરીભાષામાં દશમ્ગુણસ્થાનક કહ્યું છે. અત્યારે શ્રેણીનો અભાવ હોવાથી દશમું ગુણસ્થાનક કોઈને પ્રાપ્ત થતું નથી. માટે આ ચારિત્રનો પણ અભાવ વર્તે છે. ૩-આ ચારિત્રમાં સ્થૂળથી ક્રોધાદિ ચારે કષાયો અને સૂક્ષ્મથી ક્રોધ-માન-માયા એ ત્રણે કષાયોનો ઉદય હોતો નથી. એક માત્ર સૂક્ષ્મ લોભનો ઉદય વર્તે છે. એવી કક્ષાના સંયતોને સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર કહેલું છે. આ ચારિત્રનો કાળ માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવો. આ ચારિત્ર ઉપશમ શ્રેણીએ ચઢતા કે પડતા જીવને તથા ક્ષપક શ્રેણીએ ચડતા જીવને હોય છે. ૪-રૂક્ષ્મ એટલે ચૂર્ણરૂપ થયેલ જે અતિ જધન્ય. સમપરાય એટલે લોભ કષાય. તેના ક્ષય રૂપે જે ચારિત્રતે મૂક્ષ્મપરાય વરિત્ર કહેવાય. મોહનીયની ૨૮ પ્રકૃત્તિ માંથી ૨૭ મોહનીય ક્ષય કે ઉપશમ થયો હોય, ફકત સંજવલન લોભનો ઉદય હોય, સંજવલન લોભ માં પણ બાદર સંજવલન લોભનો પણ ક્ષય કે ઉપશમ થયા બાદ ફક્ત એક સૂક્ષ્મ લોભનો જ ઉદયય વર્તતો હોય ત્યારે જીવને જે ચારિત્ર હોય છે તેને સૂક્ષ્મ સમ્પરાય ચારિત્ર કહેવામાં આવે છે. જો ઉપશમ શ્રેણીએ થી જીવ પડતો હોય તો સરિટશ્યમાન ક્યારેય અને કપક શ્રેણીએ ચઢતા જીવનેવિશુધ્ધ દશાના અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન મારા ચારિત્ર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy